શોધખોળ કરો

Jahangirpuri Violence: ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે કરી વાત, જાણો શું આદેશ આપ્યાં

Jahangirpuri Violence: : ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ આપી છે અને સ્થિતિ પર પણ ચાંપતી નજર રાખી રહ્યું છે.

Delhi : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શનિવારે શહેરના જહાંગીરપુરી વિસ્તારમાં હિંસાની ઘટના પર દિલ્હી પોલીસના બે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી અને તેમને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો. સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી.

સમાચાર એજન્સી પીટીઆઈના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહમંત્રી અમિત શાહે પોલીસ કમિશનર અને વિશેષ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) સાથે વાત કરી અને તેમને જહાંગીરપુરી હિંસાની ઘટના પછી તમામ જરૂરી પગલાં લેવા જણાવ્યું.

રાષ્ટ્રીય રાજધાનીમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલા શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાની ઘટના અંગે પોલીસ દળે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને જરૂરી સૂચનાઓ આપી છે અને સ્થિતિ પર પણ નજર રાખી રહ્યું છે.સૂત્રોએ જણાવ્યું કે દિલ્હી પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વરિષ્ઠ અધિકારીઓ સહિત પૂરતા પ્રમાણમાં સુરક્ષાકર્મીઓ તૈનાત કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે જહાંગીરપુરી સિવાય અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના દળો તૈનાત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, પોલીસે જણાવ્યું હતું.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં અસામાજિક તત્વોએ અનેક વાહનોમાં તોડફોડ કરી હતી અને પોલીસ કર્મચારીઓને ઘાયલ કર્યા હતા.

દરમિયાન દિલ્હીના  ઉપરાજ્યપાલે રાષ્ટ્રીય રાજધાનીમાં હિંસા અને પથ્થરમારાની ઘટનાઓની નિંદા કરી અને કહ્યું કે આ પ્રવૃત્તિઓ પાછળ રહેલા કોઈને બક્ષવામાં આવશે નહીં. તેમણે દિલ્હી પોલીસ કમિશનર સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી.

સ્પેશિયલ પોલીસ કમિશનર, કાયદો અને વ્યવસ્થા, દીપેન્દ્ર પાઠકના નિવેદનને ટાંકીને ANIએ કહ્યું કે "સ્થિતિ નિયંત્રણમાં છે. અમે શાંતિ સમિતિઓ સાથે વાતચીત કરીને શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમામને શાંતિ જાળવવા અપીલ કરી રહ્યા છીએ. " (PTIના ઇનપુટ સાથે)














વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Himatnagar Protest : હુડાના વિરોધમાં લોકોએ સાંસદની ઓફિસ બહાર મચાવ્યો હંગામો, જુઓ અહેવાલ
Kutch Earthquake : કચ્છના માંડવીમાં અનુભવાયો 3.9ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો
Hun To Bolish : હું તો બોલીશ : 'ગોગો પેપર' વેચ્યા તો મર્યા સમજો
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાઓનો કજિયો
Hun To Bolish : હું તો બોલીશ : બાલિકા વધૂ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
રાજકોટમાં અરેરાટી: કોટડા સાંગાણીની ગૌશાળામાં ફૂડ પોઈઝનિંગથી 80 ગાયોના ટપોટપ મોત, કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
યુપી ચૂંટણીમાં મોટો ધડાકો: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તમામ 403 બેઠકો પર 'ગૌરક્ષકો'ને મેદાનમાં ઉતારવાની કરી જાહેરાત
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
બાબા વાંગાની 2026 માટે ધ્રુજાવી દેતી આગાહી: કુદરતી આફતો અને યુદ્ધના ભણકારા, શું માનવજાત પર આવશે મોટું સંકટ?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
દક્ષિણના ગઢમાં ભગવો લહેરાયો! તિરુવનંતપુરમમાં NDA ની ઐતિહાસિક જીતથી PM મોદી ગદગદ, જાણો શું કહ્યું?
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
સુરત પોલીસનું ‘ઓપરેશન મ્યુલ હંટ’: સાયબર માફિયાઓ પર તવાઈ, 1600 થી વધુ ખાતેદારોને નોટિસ અને 23 ની ધરપકડ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
SBI ના કરોડો ગ્રાહકોને ઝટકો: બેંકે FD ના વ્યાજદરમાં કર્યો ઘટાડો, જાણો 15 ડિસેમ્બરથી લાગુ થતા નવા રેટ્સ
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
કોલકાતામાં મેસ્સીના ફેન્સે મચાવ્યો હંગામો, સ્ટેડિયમમાં ખુરશીઓ અને બોટલો ફેંકી; CM મમતા બેનર્જીએ માંગી માફી
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
‘જો પત્ની કમાતી હોય તો પતિ પાસેથી ભરણપોષણ માંગી શકે નહીં’: અલ્હાબાદ હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
Embed widget