શોધખોળ કરો

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા, જૈશ-એ-મોહમ્મદના આતંકીને કર્યો ઠાર

Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. પોલીસે મંગળવારે જણાવ્યું હતું કે સુરક્ષા દળોને કુલગામમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી.

Kulgam Encounter: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. પોલીસે મંગળવારે (27 સપ્ટેમ્બર) જણાવ્યું હતું કે સુરક્ષા દળોને કુલગામના અહવાટૂ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળી હતી, જેના પગલે ત્યાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

 

ADGP કાશ્મીર વિજય કુમારે કહ્યું કે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે સ્થાનિક આતંકવાદીઓમાંથી એકને સુરક્ષા દળોએ ઠાર માર્યો છે. બંને અનેક આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલા છે.

આ પહેલા સોમવારે (26 સપ્ટેમ્બર) પણ કુલગામમાં જ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. બટપુરા ગામમાં આ અથડામણમાં બે નાગરિકો અને એક જવાન ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના અબુ હુરારા તરીકે થઈ છે. આતંકી પાકિસ્તાનનો રહેવાસી હતો.

PFI: ફરી એકવાર PFI ના ઠેકાણા પર દરોડા

ટેરર ફંડિંગ પર નાકાબંધી કરવા માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ના નિર્દેશ પર દેશની અન્ય એજન્સીઓએ ફરી એકવાર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે. આઠ રાજ્યોમાં દરોડા દરમિયાન કર્ણાટકના કોલારમાંથી છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય SDPIના સેક્રેટરીની પણ ધરપકડ કરવામાં આવી છે.

આસામમાંથી ધરપકડ

કર્ણાટક ઉપરાંત આસામના PFI સાથે જોડાયેલા ચાર લોકોની પણ ગઈ કાલે નાગરબેરા વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. જીલ્લાના ઘણા ભાગોમાં પીએફઆઈ સામે દરોડા હજુ પણ ચાલુ છે. આ માહિતી આસામના ADGP (સ્પેશિયલ બ્રાન્ચ) હિરેન નાથે આપી છે. અગાઉ, આસામ પોલીસે રાજ્યના વિવિધ ભાગોમાંથી PFI કાર્યકરોના 11 નેતાઓ અને દિલ્હીમાંથી એકની ધરપકડ કરી હતી.

દિલ્હીના શાહીન બાગમાં પણ NIAના દરોડા

ગત  ગુરુવારે 100 થી વધુ PFI સભ્યોની અટકાયત કરવામાં આવી હતી

ગત ગુરુવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીના નેતૃત્વમાં અનેક એજન્સીઓએ દેશભરમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સોથી વધુ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે જ સમયે, મહારાષ્ટ્ર ATSએ રાજ્યમાંથી 20 લોકોની અટકાયત કરી હતી.

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) શું છે?

પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) ની રચના 17 ફેબ્રુઆરી 2007ના રોજ થઈ હતી. આ સંગઠન દક્ષિણ ભારતમાં ત્રણ મુસ્લિમ સંગઠનોને મર્જ કરીને બનાવવામાં આવ્યું હતું. જેમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ કેરળ, કર્ણાટક ફોરમ ફોર ડિગ્નિટી અને તમિલનાડુની મનીતા નીતિ પાસરાઈનો સમાવેશ થાય છે. પીએફઆઈનો દાવો છે કે હાલમાં આ સંગઠન દેશના 23 રાજ્યોમાં સક્રિય છે. દેશમાં સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ (SIMI) પર પ્રતિબંધ લગાવ્યા બાદ PFIએ ઝડપથી વિસ્તરણ કર્યું છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં આ સંગઠનની ઘણી પકડ હોવાનું કહેવાય છે. તેની ઘણી શાખાઓ પણ છે. આમાં મહિલાઓ માટે રાષ્ટ્રીય મહિલા મોરચો અને વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. રાજકીય પક્ષો એકબીજા પર ચૂંટણી દરમિયાન મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવવા માટે PFIની મદદ લેવાનો આરોપ પણ લગાવે છે. તેની રચના થઈ ત્યારથી, PFI પર અસામાજિક અને રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓના આરોપો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : હીરા ઉધોગમાં મંદી કેમ?Hun To Bolish: હું તો બોલીશ : રાદડિયાએ કોને પડકાર્યા?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચારValsad Students Scuffle : વલસાડમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી, સામે આવ્યો વીડિયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
IND vs ENG 3rd T20: ઈંગ્લેન્ડની શાનદાર વાપસી, રાજકોટમાં ત્રીજી ટી20માં ભારતને 26 રને હરાવ્યું 
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
સોમનાથ-ઉના હાઈવે પર ભયાનક અકસ્માત, 3 યુવકોના મોત થયા, પતરા કાપી બહાર કઢાયા  
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
ST નિગમના કર્મચારીઓ માટે ખુશખબર, મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો વધારો
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
દક્ષિણ કોરિયાઈ એરપોર્ટ પર વિમાનમાં લાગી આગ, તમામ 176 યાત્રીઓને બચાવી લેવાયા  
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
Gold silver rate today: સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, 83 હજાર નીચે ભાવ, જાણો રેટ 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
5 વિકેટ ઝડપી વરુણ ચક્રવર્તીએ રચ્યો ઈતિહાસ, બુમરાહ-શમી પણ T20I માં નથી કરી શક્યા આ કરિશ્મા 
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
શ્રીલંકન નૌસેનાના ગોળીબારમાં 5 ભારતીય માછીમાર ઘાયલ થયા, MEA એ ટાપુ દેશના હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
સ્નાયુઓમાં નબળાઈ, હૃદયના ધબકારા વધવા... Guillain Barre Syndrome થી સાવધાન રહો, આ લક્ષણો દેખાય તો બતાવો ડૉક્ટરને
Embed widget