Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં સેનાએ શરૂ કર્યુ એન્કાઉન્ટર, એક આંતરી ઠાર, સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ
Jammu Kashmir: કુલગામમાં ભારતીય સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.આ દરમિયાન ભારતીય સેનાના એક અધિકારી ઘાયલ થયા હતા.

Jammu Kashmir: સોમવારે (8 સપ્ટેમ્બર) જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે, ગુદર જંગલ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો, સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો હતો. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો હતો. જોકે, એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે.
ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે X પર એક પોસ્ટ શેર કરી હતી અને ઓપરેશન વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે, "જમ્મુ અને કાશ્મીર પોલીસ અને ભારતીય સેનાએ ગુપ્ત માહિતીના આધારે ગુદરના જંગલોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સતર્ક સૈનિકોએ શંકાસ્પદ ગતિવિધિ જોઈ, તેમણે આતંકવાદીઓને પડકાર ફેંક્યો, જેના જવાબમાં ભારે ગોળીબાર થયો. આ દરમિયાન એક આતંકવાદી માર્યો ગયો અને એક જુનિયર કમિશન્ડ ઓફિસર ઘાયલ થયા. ઓપરેશન હજુ પણ ચાલુ છે.
છેલ્લા બે મહિનામાં સેનાએ ઘણા આતંકવાદીઓને ઠાર માર્યા
ભારતીય સેનાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પણ ઘણા ઓપરેશન હાથ ધર્યા હતા. સેનાએ 28 જુલાઈથી ઓપરેશન મહાદેવ શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્રણ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. આ ત્રણ આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. ઓગસ્ટ મહિનામાં પણ સેનાનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાન દ્વારા ઘણા નાપાક પ્રયાસો કરવામાં આવ્યા હતા, જોકે, સેનાએ તેના તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા.
OP GUDDAR, Kulgam
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) September 8, 2025
Based on specific intelligence input by JKP, joint search operation was launched by #IndianArmy, @JmuKmrPolice & @crpf_srinagar in Guddar forest of #Kulgam.
Vigilant troops observed suspicious activity and upon being challenged, terrorists opened fire,… pic.twitter.com/pV3oWW6gor
ઓપરેશન સિંદૂર દરમિયાન સોથી વધુ આતંકવાદીઓ માર્યા ગયા
પહલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ દરમિયાન, સોથી વધુ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં નવ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.





















