શોધખોળ કરો
જનતા કર્ફ્યુ: ગુજરાતમાં જડબેસલાક રસ્તાઓ સૂમસામ, દુકાનો-મોલ બંધ

Background
જતના કર્ફ્યૂ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રવિવારે સવારે 7થી રાતે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યૂ પાળવાની અપીલના પગલે દેશભરમાં સરવાથી જ કર્ફ્યૂની અસર જોવા મળી રહે છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકો સિવાય તમામ લોકો ઘરની બહાર ન નીકળે . આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરની બહાર નહીં નિકળે. સાંજે 5 વાગે પોતાના ઘરોમાં જ તાળી પાડી, થાળી વગાડી, ઘંટી વગાડી એકબીજાનો આભાર વ્યક્ત કરશે અને વાઈરસ સામે લડવામાં એકતા દર્શાવશે.
15:51 PM (IST) • 22 Mar 2020
કોરોનાવાયરસના કારણે ગુજરાતમાં મોતનો પહેલો કેસ નોંધાયો છે. સુરતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ એક વ્યક્તિનું મોત થયું છે. કોરોનાના કારણે ગુજરાતમાં મોતનો કિસ્સો નોંધાતાં ખળભળાટ મચ્યો છે. સુરતમાં કોરોનાવાયરસના કુલ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે.
17:24 PM (IST) • 22 Mar 2020
જનતા કર્ફ્યૂની અસર યાત્રાધામ સોમનાથ મંદિરમાં પણ જોવા મળી.શ્રદ્ધાળુઓની ભીડ સાથે જોવા મળતુ મંદિર ખાલીખમ જોવા મળ્યું. શ્રદાળુઓ વગરનું તીર્થધામ પ્રથમ વખત જોવા મળ્યું ખાલી.
Load More
Tags :
Health Ministry Of India Coronavirus Test Maharastra Coronavirus Cases In India Coronavirus Epidemic Coronavirus Outbreak Janta Curfew Coronavirus In India Coronavirus News Coronavirus Prevention Coronavirus Prime Minister Narendra Modi Covid-19ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ . બોલિવૂડ, રમતગમત, રાજકારણ સહિતના તમામ મોટા સમાચાર માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એટલે એબીપી અસ્મિતા. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો એબીપી અસ્મિતા.
New Update





















