શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોના વાયરસ અને વિપક્ષોના વિરોધની વચ્ચે આજથી સમગ્ર દેશમાં JEE-મેઈન પરીક્ષા શરૂ
મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) 13 સપ્ટેમ્બરે યોજાશે.
![કોરોના વાયરસ અને વિપક્ષોના વિરોધની વચ્ચે આજથી સમગ્ર દેશમાં JEE-મેઈન પરીક્ષા શરૂ jee main begins today amid stringent covid precautions કોરોના વાયરસ અને વિપક્ષોના વિરોધની વચ્ચે આજથી સમગ્ર દેશમાં JEE-મેઈન પરીક્ષા શરૂ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/01135231/jee.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ જેઇઇ-નીટ પરીક્ષાને લઈને સમગ્ર દેશમાં ચાલી રહેલ હોબાળાની વચ્ચે આજથી જેઈઈ મુખ્ય પરીક્ષા યોજોવાની છે. પરીક્ષા આજેથી લઈને 6 સપ્ટેમ્બરની વચ્ચે લેવાશે. જોકે, છેલ્લાં ઘણાં દિવસથી પરીક્ષા લેવાને લઈને ઘણો વિરોધ થઈ રહ્યો હતો. તમામ વિપક્ષી રાજનીતિક પાર્ટીઓ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ટાંકીને પરીક્ષા ટાળવાની માગ કરી હતી. તેમાં મમતા બેનર્જી, રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓના નામ છે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાશે. સવારે 9 કલાકથી બપોરે 12 કલાક અને બપોરે 3 કલાકથી સાંજે 6 કલાકની વચ્ચે થશે.
શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓ અને અભિભાવકોને પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયા નિશંકે વિદ્યાર્થીઓ અને અભિભાવકોને શુભેચ્છા પાઠવી અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને અપીલ કરી છે કે વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનમાં રાખતા જે પણ સુવિધાની જરૂરત પડે જેમ કે ટ્રાન્સપોર્ટેશન અને સુરક્ષા જેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરે.
મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ(નીટ) 13 સપ્ટેમ્બરે યોજાશે. ઉલ્લેખનીય છે કે 8.58 લાખ વિદ્યાર્થીઓએ જેઇઇ-મેઇન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે 15.97 લાખ વિદ્યાર્થીઓએ નીટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
એક અિધકારીના જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્ર અને પરીક્ષા ખંડના પ્રવેશ દ્વારે સેનેટાઇઝરની વ્યવસ્થા કરવામાં આવી છે. બારકોડ રીડર દ્વારા વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડની ચકાસણી કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતાની સાથે જ વિદ્યાર્થીઓને પરીક્ષા ઓથોરિટી દ્વારા માસ્ક આપવામાં આવશે.
ઓડિશા, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. ઉપરાંત આઈઆઈટીના પૂર્વ વિદ્યાર્થીઓના એક ગ્રુપે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે એક પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પરીક્ષા માટે કુલ 8.58 લાક વિદ્યર્થીઓએ રજિસ્ટર કરાવ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)