શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સાથે સેનાની અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ
આતંકીએ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળીને કર્યુ હતુ. માર્યા ગયેલા ત્રણે આતંકીઓમાંથી બેની ઓળખ થઇ હતી
![જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સાથે સેનાની અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ J&K: security forces terrorists encounter in srinagar જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સાથે સેનાની અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/27115923/Army-JK-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ સુરક્ષાદળોનુ ઓપરેશના ચાલુ છે, બુધવારે શ્રીનગરમાં લવેપોરા વિસ્તારમાં આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થઇ. આ અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર માર્યા ગયા હતા. સાથે સીઆરપીએફનો એક જવાન શહીદ થયાના પણ સમાચાર છે.
સેનાને શ્રીનગરના લવેપોરા વિસ્તારમાં આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ત્યાબાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યુ હતુ. વિસ્તારની ઘેરબંદી કરી દીધી હતી. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. બાદમાં સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા, આ અથડામણમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો, જેની ઓળખ રમેશ રાજન તરીકે થઇ છે.
સીઆરપીએફ અનુસાર, અથડામણમાં બે આતંકીઓને ઘટનાસ્થળ પર જ ઠાર કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઘાયલ થઇ ગયો હતો. ઘાયલ આતંકીએ હૉસ્પીટલમાં દમ તોડ્યો હતો.
આતંકીએ વિરુદ્ધ આ ઓપરેશન સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પોલીસે સાથે મળીને કર્યુ હતુ. માર્યા ગયેલા ત્રણે આતંકીઓમાંથી બેની ઓળખ થઇ હતી.
![જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓ સાથે સેનાની અથડામણ, 3 આતંકી ઠાર, એક જવાન શહીદ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/12152117/Armyy-03-300x200.jpg)
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
મનોરંજન
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)