શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સિંધિયા ક્યારે જોઇન કરશે બીજેપી? તેના માટે પીએમ મોદીએ શું બનાવ્યો છે પ્લાન, જાણો વિગતે
માનવામાં આવે છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામોની ચર્ચા થઇ હતી, જેમાં સિંધિયાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે
![સિંધિયા ક્યારે જોઇન કરશે બીજેપી? તેના માટે પીએમ મોદીએ શું બનાવ્યો છે પ્લાન, જાણો વિગતે jyotiraditya scindia will going to Rajya Sabha with BJP સિંધિયા ક્યારે જોઇન કરશે બીજેપી? તેના માટે પીએમ મોદીએ શું બનાવ્યો છે પ્લાન, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/03/11133001/MP-05.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની રાજનીતિમાં જ્યોતિરાદિત્યના રાજીનામા બાદ મોટી હલચલ મચી ગઇ છે. કમલનાથ સરકાર પર સંકટના વાદળો ઘેરાઇ ગયા છે, ત્યારે જોવાનુ એ રહ્યું કે હવે જ્યોતિરાદિત્યિ સિંધિયાનુ આગળનુ પગલુ શું હશે.
સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામુ ધરી દીધુ છે, અને તેની સાથે સાથે બીજા 22 કોંગ્રેસી ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. બીજેપીએ પોતાનુ ઓપરેશન લૉટલ સફળ રીતે પાર પાડી દીધુ છે, હાલ આ તમામ ધારાસભ્યો બેંગ્લુરુના એક રિસોર્ટમાં રોકાયા છે.
હવે શું કરશે સિંધિયા......
સુત્રોનુ માનીએ તો જ્યોતિરાદિત્ય સિંધિયા પોતાના સમર્થકો અને કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો સાથે 12મી માર્ચે બીજેપીમાં સામેલ થઇ શકે છે. સુત્રોનુ એ પણ કહેવુ છે કે બીજેપીમાં સામેલ થતા પહેલા સિંધિયા પોતાના સમર્થકોને સંબોધિત પણ કરી શકે છે.
ગઇકાલે મોડી સાંજે બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી હતી, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના વરિષ્ઠ નેતા સામેલ થયા હતા. માનવામાં આવે છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં રાજ્યસભા ચૂંટણી માટે પાર્ટીના ઉમેદવારોના નામોની ચર્ચા થઇ હતી, જેમાં સિંધિયાને રાજ્યસભામાં મોકલવામાં આવી શકે છે. આમ પીએમ મોદીએ સિંધિયાને મોટુ પદ આપવાનો પ્લાન બનાવ્યો છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)