શોધખોળ કરો

6 સાંસદો સાથે લીધા બાદ પણ રાઘવ ચઢ્ઢા મુશ્કેલીમાં! કપિલ સિબ્બલે કહ્યું - ‘આ વિલય થઈ જ ન શકે કારણ કે...’

સિનિયર વકીલ કપિલ સિબ્બલે 10મી અનુસૂચિનો હવાલો આપીને કહ્યું કે પક્ષના વિલય વગર માત્ર સાંસદોનું જોડાવું ગેરકાયદેસર છે, ભાજપને માત્ર લોકોને ખરીદતા જ આવડે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોના ભાજપ પ્રવેશને કપિલ સિબ્બલે ગેરબંધારણીય ગણાવ્યા.
  • સિબ્બલ અનુસાર, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ સાંસદોએ સભ્યપદ ગુમાવવું પડે.
  • કોઈપણ પક્ષના સંગઠનાત્મક નિર્ણય વિના ભળવું એ 'વિલય' ગણાતું નથી.
  • સિબ્બલે ભાજપની 'લોકોને ખરીદવાની' નીતિ પર કટાક્ષ કર્યો.
  • ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે.
  • 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાથી ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ સર્જાશે.
  • 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે.
  • 29 એપ્રિલથી તાપમાન 42 ડિગ્રીથી નીચે આવતા લોકોને મોટી રાહત થશે.
  • વરસાદથી ઠંડક થશે, પરંતુ વાવાઝોડાને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનવ્યવહારને અસર થઈ શકે છે.

Raghav Chadha BJP merger: આમ આદમી પાર્ટી (AAP) નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ કપિલ સિબ્બલે આ નેતાઓના ભાજપમાં વિલયને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવ્યો છે. સિબ્બલના મતે, બંધારણની 10મી અનુસૂચિમાં આપેલા પક્ષપલટા વિરોધી નિયમો મુજબ આ 7 સાંસદોએ પોતાનું સભ્યપદ ગુમાવવું પડી શકે છે. આ મુદ્દે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કટાક્ષ કર્યો હતો કે ભાજપને માત્ર લોકોને ખરીદતા જ આવડે છે.

શુક્રવારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત AAP ના 7 રાજ્યસભા સાંસદોએ અચાનક ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી, જેના પછી રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કપિલ સિબ્બલે આ મામલે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે AAP છોડીને જનારા આ 7 સાંસદો અથવા તો ખુદ ભાજપના નેતાઓ 'વિલય' (Merger) નો સાચો અર્થ જાણે છે. કદાચ તેઓ આપણા બંધારણને સમજતા જ નથી."

શું હોય છે વિલયનો સાચો અર્થ?

સિબ્બલે 'વિલય' નો કાનૂની અર્થ સમજાવતા કહ્યું કે, "વિલયનો સાચો અર્થ એ થાય છે કે સૌથી પહેલા કોઈ રાજકીય પક્ષે સંગઠનાત્મક રીતે એવો નિર્ણય લેવો પડે કે તેઓ બીજી પાર્ટીમાં ભળવા માંગે છે. એટલે કે, જો આમ આદમી પાર્ટીએ પોતાની કોઈ સત્તાવાર બેઠક બોલાવી હોત અને તેમાં ભાજપમાં ભળવાનો ઠરાવ પસાર કર્યો હોત, તો જ આ વિલય માન્ય ગણાત. બીજા પ્રકારનો વિલય એ છે જ્યારે બે અલગ-અલગ પક્ષો ભેગા મળીને કોઈ નવી પાર્ટી બનાવે."

સિબ્બલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મૂળ રાજકીય પક્ષનો વિલય ન થાય, ત્યાં સુધી માત્ર અમુક સાંસદોનું બીજી પાર્ટીમાં જોડાઈ જવું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભાજપની કામગીરી અને તોડજોડની રાજનીતિ પર નિશાન સાધતા તેમણે છેલ્લે કટાક્ષમાં એમ પણ કહ્યું કે, 2014 પછી દેશમાં જે પણ "રાજકીય ગોટાળાઓ" થયા છે, તેનો રેકોર્ડ રાખવા માટે હવે એક અલગ મ્યુઝિયમ બનાવવાની જરૂર ઊભી થઈ છે.

Frequently Asked Questions

રાઘવ ચઢ્ઢા સહિત 7 AAP સાંસદો ભાજપમાં જોડાયા બાદ શું મુશ્કેલીઓ વધી શકે છે?

હા, કપિલ સિબ્બલના મતે પક્ષપલટા વિરોધી નિયમો મુજબ આ સાંસદો પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે.

કપિલ સિબ્બલના મતે 7 સાંસદોનું ભાજપમાં જોડાણ બંધારણીય છે કે ગેરબંધારણીય?

સિબ્બલના મતે, મૂળ રાજકીય પક્ષના વિલય વિના સાંસદોનું બીજી પાર્ટીમાં જોડાવું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

રાજકીય પક્ષના 'વિલય' નો સાચો અર્થ શું છે?

વિલયનો અર્થ છે કે પક્ષ સંગઠનાત્મક રીતે બીજી પાર્ટીમાં ભળવાનો નિર્ણય લે અથવા બે અલગ પક્ષો મળી નવી પાર્ટી બનાવે.

કપિલ સિબ્બલે ભાજપ પર શું આરોપ લગાવ્યો છે?

સિબ્બલે ભાજપ પર લોકોને ખરીદવાનો અને તોડજોડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
બંગાળના સોનારપુરમાં TMC નેતા અભિષેક બેનર્જી પર હુમલો: કહ્યું- 1 મહિનો પણ નથી થયો ત્યાં તો....
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
Advertisement

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget