શોધખોળ કરો

6 સાંસદો સાથે લીધા બાદ પણ રાઘવ ચઢ્ઢા મુશ્કેલીમાં! કપિલ સિબ્બલે કહ્યું - ‘આ વિલય થઈ જ ન શકે કારણ કે...’

સિનિયર વકીલ કપિલ સિબ્બલે 10મી અનુસૂચિનો હવાલો આપીને કહ્યું કે પક્ષના વિલય વગર માત્ર સાંસદોનું જોડાવું ગેરકાયદેસર છે, ભાજપને માત્ર લોકોને ખરીદતા જ આવડે છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રાઘવ ચઢ્ઢા સહિત ૭ સાંસદોના ભાજપ પ્રવેશને કપિલ સિબ્બલે ગેરબંધારણીય ગણાવ્યા.
  • સિબ્બલ અનુસાર, પક્ષપલટા વિરોધી કાયદા મુજબ સાંસદોએ સભ્યપદ ગુમાવવું પડે.
  • કોઈપણ પક્ષના સંગઠનાત્મક નિર્ણય વિના ભળવું એ 'વિલય' ગણાતું નથી.
  • સિબ્બલે ભાજપની 'લોકોને ખરીદવાની' નીતિ પર કટાક્ષ કર્યો.
  • ઉત્તર ભારતમાં કાળઝાળ ગરમી અને હીટવેવના પ્રકોપમાંથી ટૂંક સમયમાં મુક્તિ મળશે.
  • 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' સક્રિય થવાથી ધૂળની ડમરીઓ અને વરસાદી માહોલ સર્જાશે.
  • 28 થી 30 એપ્રિલ દરમિયાન દિલ્હી, પંજાબ અને રાજસ્થાનમાં વરસાદની શક્યતા છે.
  • 29 એપ્રિલથી તાપમાન 42 ડિગ્રીથી નીચે આવતા લોકોને મોટી રાહત થશે.
  • વરસાદથી ઠંડક થશે, પરંતુ વાવાઝોડાને કારણે વિઝિબિલિટી ઘટતા વાહનવ્યવહારને અસર થઈ શકે છે.

Raghav Chadha BJP merger: આમ આદમી પાર્ટી (AAP) નો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયેલા રાઘવ ચઢ્ઢા સહિત 7 રાજ્યસભા સાંસદોની મુશ્કેલીઓ વધી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલ કપિલ સિબ્બલે આ નેતાઓના ભાજપમાં વિલયને સંપૂર્ણપણે ગેરબંધારણીય ગણાવ્યો છે. સિબ્બલના મતે, બંધારણની 10મી અનુસૂચિમાં આપેલા પક્ષપલટા વિરોધી નિયમો મુજબ આ 7 સાંસદોએ પોતાનું સભ્યપદ ગુમાવવું પડી શકે છે. આ મુદ્દે તેમણે ભાજપ પર આકરા પ્રહારો કરતા કટાક્ષ કર્યો હતો કે ભાજપને માત્ર લોકોને ખરીદતા જ આવડે છે.

શુક્રવારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ સહિત AAP ના 7 રાજ્યસભા સાંસદોએ અચાનક ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી, જેના પછી રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કપિલ સિબ્બલે આ મામલે કાયદાકીય સ્થિતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું કે, "મને નથી લાગતું કે AAP છોડીને જનારા આ 7 સાંસદો અથવા તો ખુદ ભાજપના નેતાઓ 'વિલય' (Merger) નો સાચો અર્થ જાણે છે. કદાચ તેઓ આપણા બંધારણને સમજતા જ નથી."

શું હોય છે વિલયનો સાચો અર્થ?

સિબ્બલે 'વિલય' નો કાનૂની અર્થ સમજાવતા કહ્યું કે, "વિલયનો સાચો અર્થ એ થાય છે કે સૌથી પહેલા કોઈ રાજકીય પક્ષે સંગઠનાત્મક રીતે એવો નિર્ણય લેવો પડે કે તેઓ બીજી પાર્ટીમાં ભળવા માંગે છે. એટલે કે, જો આમ આદમી પાર્ટીએ પોતાની કોઈ સત્તાવાર બેઠક બોલાવી હોત અને તેમાં ભાજપમાં ભળવાનો ઠરાવ પસાર કર્યો હોત, તો જ આ વિલય માન્ય ગણાત. બીજા પ્રકારનો વિલય એ છે જ્યારે બે અલગ-અલગ પક્ષો ભેગા મળીને કોઈ નવી પાર્ટી બનાવે."

સિબ્બલે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મૂળ રાજકીય પક્ષનો વિલય ન થાય, ત્યાં સુધી માત્ર અમુક સાંસદોનું બીજી પાર્ટીમાં જોડાઈ જવું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે. ભાજપની કામગીરી અને તોડજોડની રાજનીતિ પર નિશાન સાધતા તેમણે છેલ્લે કટાક્ષમાં એમ પણ કહ્યું કે, 2014 પછી દેશમાં જે પણ "રાજકીય ગોટાળાઓ" થયા છે, તેનો રેકોર્ડ રાખવા માટે હવે એક અલગ મ્યુઝિયમ બનાવવાની જરૂર ઊભી થઈ છે.

Frequently Asked Questions

રાઘવ ચઢ્ઢા સહિત 7 AAP સાંસદો ભાજપમાં જોડાયા બાદ શું મુશ્કેલીઓ વધી શકે છે?

હા, કપિલ સિબ્બલના મતે પક્ષપલટા વિરોધી નિયમો મુજબ આ સાંસદો પોતાનું સભ્યપદ ગુમાવી શકે છે.

કપિલ સિબ્બલના મતે 7 સાંસદોનું ભાજપમાં જોડાણ બંધારણીય છે કે ગેરબંધારણીય?

સિબ્બલના મતે, મૂળ રાજકીય પક્ષના વિલય વિના સાંસદોનું બીજી પાર્ટીમાં જોડાવું સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

રાજકીય પક્ષના 'વિલય' નો સાચો અર્થ શું છે?

વિલયનો અર્થ છે કે પક્ષ સંગઠનાત્મક રીતે બીજી પાર્ટીમાં ભળવાનો નિર્ણય લે અથવા બે અલગ પક્ષો મળી નવી પાર્ટી બનાવે.

કપિલ સિબ્બલે ભાજપ પર શું આરોપ લગાવ્યો છે?

સિબ્બલે ભાજપ પર લોકોને ખરીદવાનો અને તોડજોડની રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
જમ્મુ-કાશ્મીરમાં બદલાશે સરકાર ? BJPનો મોટો દાવો, 'NC ના ધારાસભ્યો મફતમાં વેચવવા તૈયાર, અમે...'
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
Instamart પર કરો બુકિંગ, મિનિટોમાં ઘરે પહોંચશે LPG સિલિન્ડર, કનેક્શન ના હોય તો પણ ચાલશે
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?
Hydrogen Train Fare: PM મોદી આવતીકાલે દેશને સોંપશે પ્રથમ હાઈડ્રોજન ટ્રેન, જાણો કેટલું હશે ભાડુ?
Advertisement

વિડિઓઝ

Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Ahmedabad Rathyatra : ભગવાન જગન્નાથની મંગળા આરતીના કરો દર્શન
Ahmedabad Rath Yatra : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી રથયાત્રાનો કરાવ્યો પ્રારંભ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મમતા બેનર્જીને વધુ એક ઝટકો,TMC સાંસદ કોયલ મલિકે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
Gold-Silver Rate: સોનાની ઘટી ચમક, ફરી કિંમતમાં થયો ઘટાડો, જાણો ગોલ્ડ સિલ્વર લેટેસ્ટ પ્રાઇસ
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબરી, ગુજરાતમાં MBBSની નવી 200 બેઠકો વધી, નેશનલ મેડિકલ કમિશને આપી મંજૂરી
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
જો ખેડૂતોને સમયસર યુરિયા ન મળે તો તેઓ ફરિયાદ ક્યાં કરી શકે? અહીં જાણો.
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Govt Hike Tax: પેટ્રોલ-ડીઝલ અને ATF પર સરકારનો મોટો નિર્ણય, અચાનક વધારી દીધો આ ટેક્સ
Embed widget