શોધખોળ કરો

Karnataka : અનામતને લઈ 'કર-નાટક', મુસલમાનોને મળેલી 4 ટકા અનામત ખતમ

કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે.

Muslim Reservation : કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે. આ નિર્ણય સાથે ભાજપ સરકારે 10 ટકા મુસ્લિમોને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.

હવે વોક્કાલિગા સમુદાયને આપવામાં આવતી અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવી છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.  જ્યારે મુસ્લિમ સમુદાયને હવે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ અનામત મળશે. આ કેટેગરીમાં મુસ્લિમોએ 10 ટકા EWS ક્વોટા માટે બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સમુદાયો સાથે લડવું પડશે.

ચૂંટણીના એક મહિના પહેલા અનામત શ્રેણીમાં ફેરફાર

આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રવક્તા રમેશ બાબુએ કહ્યું હતું કે, પછાત રાજ્યમાં મુસ્લિમો માટે ક્વોટા અથવા આરક્ષણ લગભગ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે. એક રીતે જોઈએ તો રાજ્યમાં આ એક "સ્થાપિત કાયદો" બની ગયો છે. કોઈપણ વૈજ્ઞાનિક આધાર અને રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલ વિના તેને અચાનક બદલી શકાતો નથી.

કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને સાંપ્રદાયિક પ્રેરિત અને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે. વિપક્ષે કહ્યું છે કે, તે કાયદાની કસોટી પર ટકી શકશે નહીં. પરંતુ બસવરાજ બોમાઈ કહે છે કે, કોઈ પણ રાજ્યમાં ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણની કોઈ જોગવાઈ નથી.

આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર કર્ણાટકમાં ધાર્મિક લઘુમતીઓને અનામત ન આપવાની પ્રથા છે, આખરે કર્ણાટકની અગાઉની સરકાર મુસ્લિમોને કયા આધારે અનામત આપી રહી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી

વિડિઓઝ

Rajkot Rape Case: રાજકોટના આટકોટમાં બાળકી પર દુષ્કર્મ આચરનારને કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Gopal Italia: ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર સમાજને કેમ કરી ટકોર?
Kutch Earthquake : 4.1 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધ્રૂજી ઉઠી કચ્છ જિલ્લાની ધરતી
Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
Accident: શિમલાથી પરત ફરતા ગુજરાતના પરિવારને નડ્યો અકસ્માત, 5 લોકોના કરુણ મોત
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
જૂનાગઢના ગડુમાં ઈટાલિયા પર ફરી એકવાર જૂતું ફેંકવાનો નિષ્ફળ પ્રયાસ, સભામાં હોબાળો
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આટકોટની 7 વર્ષની નિર્ભયાને માત્ર 43 દિવસમાં મળ્યો ન્યાય, દોષિતને ફાંસીની સજાનું એલાન
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
આ બેંકના ગ્રાહકોને લાગશે ઝટકો! હવે ATM માંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા, બેલેન્સ ચેક કરવાની ફી પણ વધી
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
General Knowledge: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી આખા દેશ માટે મળે છે ટ્રેન, કહેવાય છે ભારતીય રેલ નેટવર્કનું હૃદય
"બહુ મોડું થઇ ગયું છે આપણો સમાજ પાછળ રહી ગયો" પરશોત્તમ રૂપાલા
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં 23 જાન્યુઆરીથી માવઠાનું સંકટ, હવામાન વિભાગે કરી આગાહી
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Kutch Earthquake: કચ્છના ખાવડાથીમાં ફરી એકવાર ધરા ધ્રૂજી, ભૂકંપની તીવ્રતા 4.1ની મપાઇ
Embed widget