શોધખોળ કરો
કર્ણાટક: કુમારસ્વામીની સરકાર પડ્યાના બે દિવસ બાદ ત્રણ ધારાસભ્ય અયોગ્ય જાહેર
ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. અને કુમારસ્વામીની સરકાર પડી ગઈ હતી.

બેંગલુરુ: કર્ણાટકમાં કુમાર સ્વામીની સરકાર પડ્યાના બે દિવસ વિધાનસભા અધ્યક્ષે કેઆર રમેશે ત્રણ ધારાસભ્યને અયોગ્ય જાહેર કર્યાં છે. જેમાં રમેશ એ જરકીહોલી, મહેશ કુમથલ્લી અને આર શંકર સામેલ છે. આ પહેલા સ્પીકરે ધારાસભ્ય રમેશ એ જરકીહોલી અને મહેશ કુમથલ્લી અંગે કહ્યું હતું આ બન્ને 6 જુલાઈએ મને જાણ કર્યા વગર મારી ઓફિસમાં આવ્યા હતા. તેઓએ ખોટી રીતે રાજીનામું આપ્યું હતું. મે મારા સચિવને તેમનો પત્ર લેવાનો નિર્દેશ આપ્યો હતો. આ પહેલા કર્ણાટકના વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે તેઓ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરશે અને સુપ્રીમ કોર્ટે જે વિશ્વાસ તેના પર દેખાડ્યો છે તેને યથાવત રાખશે. કુમારે બાગી ધારાસભ્યના રાજીનામા અને અયોગ્યતા સંબંધિત અરજી પર નિર્ણય કરવાનો છે.
તેઓએ કહ્યું કે બાગી ધારાસભ્યોને તેમની સમક્ષ ઉપસ્થિત થવાનો હવે તક નહીં મળી અને હવે આ અધ્યાય બંધ થઈ ગયો છે. તેઓએ કહ્યું, કાયદો બધા માટે સમાન હોય છે. પછી તે મજૂર હોય કે ભારતના રાષ્ટ્રપતિ. ભાજપ કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવ રજૂ કરવાની ઉતાવળમાં નથી કારણ કે 15 બાગી ધારાસભ્યની કિસ્મત પર લટકી તલવાર છે. વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા કે બન્ને પાર્ટીઓ તરફથી તેમને અયોગ્ય ઠેરવવા માટે આપેલી અરજી પર ફેસલો કરવાનો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકમાં કૉંગ્રેસ-જેડીએસ ગઠબંધનની સરકાર વિધાનસભામાં થયેલા ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવામાં નિષ્ફળ ગઈ હતી. અને કુમારસ્વામીની સરકાર પડી ગઈ છે. કૉંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને 99 મતો મળ્યા હતા જ્યારે ભાજપને 105 મત મળ્યા હતા.Karnataka assembly speaker KR Ramesh Kumar: Independent MLA R Shankar has been disqualified pic.twitter.com/A2HtmhVVio
— ANI (@ANI) July 25, 2019
વધુ વાંચો





















