શોધખોળ કરો

Karnataka Exit Poll 2023: કર્ણાટકમાં કોની બનશે સરકાર ? કોને કેટલી મળશે સીટ ?

Karnataka Exit Poll Result 2023: 13 મેના રોજ મતગણતરી સાથે કર્ણાટકનું ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલા એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના પરિણામો લાવી દીધું છે.

Karnataka Exit Poll:  કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે બુધવારે (10 મે) મતદાન થયું હતું. તમામ 224 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. લોકોએ મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લીધો અને આગામી સરકારનું ભાવિ ઈવીએમમાં ​​સીલ થઈ ગયું. 13 મેના રોજ મતગણતરી સાથે કર્ણાટકનું ચિત્ર સ્પષ્ટ થશે, પરંતુ તે પહેલા એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના પરિણામો લાવી દીધું છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા આવેલા મોટાભાગના સર્વે અને ઓપિનિયન પોલના આંકડામાં કર્ણાટકમાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત જોવા મળી હતી.

કઈ પાર્ટીને કેટલી સીટો મળી શકે છે ?

સ્ત્રોત- CVoter

કુલ બેઠકો – 224 બેઠકો

ભાજપ- 83-95

કોંગ્રેસ- 100-112

જેડીએસ - 21-29

અન્ય- 2-6

કર્ણાટકમાં કોને કેટલો વોટ શેર મળી શકે?

સ્ત્રોત- CVoter
કુલ બેઠકો – 224 બેઠકો
ભાજપ - 38%
કોંગ્રેસ - 41%
જેડીએસ - 15%
અન્ય - 6%

મુખ્ય રીતે હરીફાઈ સત્તાધારી ભાજપ, કોંગ્રેસ અને પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની જેડીએસ વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આ ચૂંટણી તમામ રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે લોકસભાની ચૂંટણી આખા વર્ષ દરમિયાન યોજાવાની છે. ભાજપ ચૂંટણી જીતીને દક્ષિણના આ ગઢને જાળવી રાખવા માંગે છે, જ્યારે કોંગ્રેસ 2024ની લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમાં સત્તા પર પાછા ફરવા માંગે છે અને જનતાને મજબૂત સંદેશ આપવા માંગે છે.

કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ હાવેરી જિલ્લાની સરકારી શાળામાં પોતાનો મત આપ્યા બાદ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ પુનરાગમન કરશે અને રેકોર્ડ માર્જિનથી જીતશે. તેઓ સતત ચોથી વખત શિગગાંવ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ "મની પાવર" દ્વારા ચૂંટણી જીતવા માંગે છે કારણ કે તેની પાસે જનતાને બતાવવા માટે કોઈ વિકાસ કાર્ય નથી. તેમણે પ્રચાર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારી અને ભ્રષ્ટાચાર અંગે મૌન રાખવાનો પણ આરોપ લગાવ્યો હતો. સિદ્ધારમૈયા મૈસુર જિલ્લાની વરુણા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

કર્ણાટકમાં કયા વર્ષે કોને કેટલી મળી બેઠક

વર્ષ ભાજપ કોંગ્રેસ જેડીએસ

1999- 44 132 10

2004 - 79 65 58

2008- 110 80 28

2013- 40 122 40

2018 - 104 78 37

કર્ણાટક ચૂંટણીમાં ક્યારે અને કેટલું વોટિંગ થયું ?

1999- 67.65 ટકા

2004- 65.17 ટકા

2008- 64.68 ટકા

2013 – 71.45 ટકા

2018 – 72.10 ટકા

2023 - 65.69 ટકા

આ પણ વાંચોઃ

JDS બની શકે છે કિંગમેકર, જાણો વિવિધ Exit Polls ના રિઝલ્ટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
CJP Protest Delhi: સુરક્ષાકર્મીઓ પર હુમલો, તોડફોડ.... દિલ્હી પોલીસે દાખલ કરી FIR
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
આજે પણ સંસદ કૂચ કરશે CJP, અભિજીત દીપકેની જાહેરાત-'આંદોલન સમાપ્ત થશે નહીં'
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
Embed widget