શોધખોળ કરો
કેજરીવાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, ઉપરાજ્યપાલને મોકલ્યો પ્રસ્તાવ
આ અગાઉ કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે.

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. કેજરીવાલે દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળીને સરકાર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ અગાઉ કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. ઉપરાજ્યપાલ બૈજલને ઔપચારિક રીતે કેજરીવાલને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા છે તેની જાણકારી અપાઇ હતી. હવે ઉપરાજ્યપાલ કેન્દ્રિય ગૃહમંત્રાલયના માધ્યમથી રાષ્ટ્રપતિને આની સૂચના આપશે. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ધારાસભ્ય દળના નેતા અરવિંદ કેજરીવાલને મુખ્યમંત્રી તરીકેની નિમણૂકની અધિસૂચના જાહેર કરશે. રાજ્યમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે એક અધિકારીએ કહ્યું કે, ઉપરાજ્યપાલ અને અરવિંદ કેજરીવાલની મુલાકાત 15 મિનિટ ચાલી હતી. બંન્ને વચ્ચે નવી સરકારની રચનાને લઇને ચર્ચા કરાઇ હતી.
વધુ વાંચો





















