શોધખોળ કરો

પીએમ મોદીની કેબિનેટમાં થઈ શકે મહત્વના ફેરફારો, ગિરીરાજ સિંહ ગુમાવી શકે ખુરશી

નવી દિલ્હીઃ મોદી સરકાર 19થી 23 જૂન દરમિયાન કેબિનેટમાં ફેરબદલ કરી શકે તેવી શક્યતાઓ છે. યુપીમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમુક નેતાઓને મહત્વના પદ આપી શકાય છે. સૂત્રો પ્રમાણે, મોદી ટૂંક જ સમયમાં મંત્રીમંડળની પુનર્રચના કરવા માંગે છે જેથી કેટલાક બાકી રહી જતા કામનો નિકાલ લાવી શકાય. રાજસ્થાનના નેતા ઓમ માથુર અને અર્જુન મેઘવાલને મંત્રી બનાવવામાં આવી શકે છે. યુપીમાં આવતા વર્ષે થનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનોજ સિન્હા અને સંજીવ બાલિયાનને પ્રમોટ કરવામાં આવી શકે છે. બંન્ને હાલ રાજ્યમંત્રી છે. પાવર મિનિસ્ટ્રીનો સ્વતંત્ર ચાર્જ રાખનારા પીયુષ ગોયલ પણ પ્રમોટ થઈ શકે છે. રાજ્યસભાથી સાંસદ ઓમ માથુર મંત્રી બની શકે છે. તેઓ હાલ યુપીમાં પાર્ટીનું કામકાજ જોઈ રહ્યા છે. અલહાબાદથી સાંસદ શ્યામ ચરણ ગુપ્તા મંત્રી બની શકે છે. મળતી માહિતી પ્રમાણે, યુપીમાં વિધાનસભા ચૂંટણીને જોતા આ નિર્ણય લેવામાં આવી શકે છે. આસામથી રમેન ડેકાને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. રાજ્યસભામાં સાંસદ એવા વિનય સહસ્ત્રબુદ્ધેને પણ મંત્રી બનાવી શકાય છે. જેમને મંત્રાલયમાંથી હટાવવામાં આવશે તેમાં ગિરિરાજ સિંહનું નામ મોખરે છે. બિહારથી આવતા લઘુ ઉદ્યોગ રાજ્યમંત્રી તેમના નિવેદનોને લઈને હંમેશા ચર્ચામાં રહ્યા છે. માઇનોરિટીઝ મંત્રી નજમા હેપતુલ્લાની ખુરશી પણ મુશ્કેલીમાં છે. જ્યારે, રસાયણ મંત્રી નિહાલચંદ કે જેમના પર બળાત્કારનો આરોપ છે તે  પણ ખુરશી ગુમાવી શકે છે.
કેબિનેટમાં મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર સ્પોર્ટ્સ(ઇન્ડીપેન્ડન્ટ ચાર્જ)ની જગ્યા સર્વાનંદ સોનોવાલનાં આસામના સીએમ બન્યા બાદ ખાલી પડી છે. એ પ્રકારની ચર્ચા પણ થઈ રહી છે કે, વડાપ્રધાન કેટલાક મંત્રીઓની ખરાબ કામગીરીના કારણે કોઈ નાનો વિભાગ આપી શકે છે. અરુણ જેટલી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નિતિન ગડકરીના વિભાગમાં કોઈ ફેરફાર નહી કરવામાં આવે. ઉલ્લેખનીય છે તે મોદીએ અને તેમના કેબિનેટે 26 મે, 2014ના રોજ શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ માત્ર એક વાર જ નવેમ્બર, 2014માં કેબિનેટમાં ફેરફાર કર્યા હતા. જેમાં મોટા ચહેરામાં શિવસેનામાંથી આવેલા સુરેશ પ્રભુ અને ગોવાના મુખ્યમંત્રી રહેલા મનોહર પર્રિકરને કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા હતા. હાલ મોદીની કેબિનેટમાં  66 મંત્રીઓમાંથી 13 ઉત્તર પ્રદેશથી, 8 બિહરાથી, 8 મહિલાઓ,  7 મહારાષ્ટ્રથી છે. 34 મંત્રી સ્પેશ્યાલિસ્ટ, તેમાં 15 વકીલ છે, અને 7 મંત્રી સંઘ સાથે જોડાયેલા છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
Transport Cost Hike: ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધતાં સામાન્ય લોકોનું બગડશે બજેટ, જાણો કઇ-કઇ વસ્તુઓ થશે મોંઘી
Transport Cost Hike: ટ્રાન્સપોર્ટ કોસ્ટ વધતાં સામાન્ય લોકોનું બગડશે બજેટ, જાણો કઇ-કઇ વસ્તુઓ થશે મોંઘી
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ

વિડિઓઝ

Rajkot news: રાજકોટમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર 2 વેપારીઓને કોર્ટે ફટકારી સજા
Ambalal Patel Prediction: ગરમીથી આંશિક રાહત મળવાની અંબાલાલ પટેલની આગાહી
Rajkot Congress Protest: રાજકોટમાં મંદિરોના ડિમોલિશનને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
CNG Price Hike: CNGમાં ભાવ વધારો થતા અમદાવાદમાં રિક્ષા ચાલકોમાં રોષ
Amit Shah Gujarat Visit: અમિત શાહ આજથી બે દિવસ ગુજરાત પ્રવાસે, જુઓ પળેપળની અપડેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
જો સ્થિતિ નહીં સુધરે તો બધું જ ખતમ થઈ જશે! ઉર્જા સંકટ પર પીએમ મોદીએ આપી ચેતવણી
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
પ્રજા પર મોંઘવારીનો ડબલ માર! અદાણી બાદ ગુજરાત ગેસે પણ CNGના ભાવમાં કર્યો વધારો
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
સરકારનો મોટો નિર્ણય: પેટ્રોલ પર પહેલીવાર લાગ્યો નવો ટેક્સ, સામાન્ય પ્રજા પર શું અસર થશે?
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
2027 વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનું BCCI ને સીધું અલ્ટીમેટમ: 'મારી જરૂર ના હોય તો કહી દો'
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે ગુડ ન્યૂઝ: GPSSB વર્ગ-3ની પરીક્ષાની તારીખો જાહેર
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
ટાટા, મારુતિ અને મહિન્દ્રાની આ 7 કાર સુરક્ષિત છે કે અસુરક્ષિત? RTI તપાસમાં થયો મોટો ખુલાસો
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
Monsoon: કેરળમાં ક્યારે પહોંચશે ચોમાસું? હવામાન વિભાગે કહ્યું- તોડી શકે છે 35 વર્ષ જુનો રેકોર્ડ
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
'વિશ્વના નકશા પર રહેવા માંગો છો કે ઇતિહાસમાં?', ભારતીય આર્મી ચીફે પાકિસ્તાનને આપી વોર્નિંગ!
Embed widget