શોધખોળ કરો

રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર: અનાજ આપવાના નિયમો બદલાયા, હવે પરિવાર નહીં પણ....

કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ: અંત્યોદય અન્ન યોજનામાં પરિવારને બદલે હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ અપાશે, જોકે એક કુટુંબ માટે 35 કિલોની મહત્તમ મર્યાદા યથાવત રહેશે.

કેન્દ્ર સરકારનો નવો પ્રસ્તાવ: અંત્યોદય અન્ન યોજનામાં પરિવારને બદલે હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ અપાશે, જોકે એક કુટુંબ માટે 35 કિલોની મહત્તમ મર્યાદા યથાવત રહેશે.

જો તમારી પાસે રેશનકાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. કેન્દ્ર સરકારે દેશની રેશન સિસ્ટમ એટલે કે અનાજ વિતરણના નિયમોમાં મોટો ફેરફાર કરવાની તૈયારી કરી લીધી છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા (સુધારા) બિલ, 2026 ના નવા ડ્રાફ્ટ મુજબ, હવે 'અંત્યોદય અન્ન યોજના' (AAY) હેઠળ અનાજ આખા પરિવારના સરેરાશ આધારે નહીં, પરંતુ કુટુંબના દરેક સભ્ય એટલે કે વ્યક્તિ દીઠ આપવામાં આવશે.

1/5
નવા નિયમ પ્રમાણે દરેક પાત્ર વ્યક્તિને મહિને 7 કિલો અનાજ મળશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે એક પરિવાર માટે 35 કિલોની મહત્તમ મર્યાદા તો યથાવત જ રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પૂરતું અનાજ અને પોષણ પહોંચાડવાનો છે.
નવા નિયમ પ્રમાણે દરેક પાત્ર વ્યક્તિને મહિને 7 કિલો અનાજ મળશે. જોકે, સરકારે સ્પષ્ટતા કરી છે કે એક પરિવાર માટે 35 કિલોની મહત્તમ મર્યાદા તો યથાવત જ રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી પૂરતું અનાજ અને પોષણ પહોંચાડવાનો છે.
2/5
અત્યાર સુધી એવો નિયમ હતો કે અંત્યોદય અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારમાં સભ્યોની સંખ્યા ગમે તેટલી હોય, તેમને દર મહિને સીધું 35 કિલો અનાજ આપી દેવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે નવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાશનનું વિતરણ વ્યક્તિ દીઠ થવું જોઈએ. જો આ નવો નિયમ લાગુ થશે, તો પરિવારના દરેક સભ્યને 7 કિલો અનાજ મળશે. જોકે, અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં એક પરિવારને વધુમાં વધુ 35 કિલો અનાજ જ મળશે, તેનાથી વધુ નહીં.
અત્યાર સુધી એવો નિયમ હતો કે અંત્યોદય અન્ન યોજના હેઠળ પાત્રતા ધરાવતા પરિવારમાં સભ્યોની સંખ્યા ગમે તેટલી હોય, તેમને દર મહિને સીધું 35 કિલો અનાજ આપી દેવામાં આવતું હતું. પરંતુ હવે સરકારે નવો પ્રસ્તાવ મૂક્યો છે કે રાશનનું વિતરણ વ્યક્તિ દીઠ થવું જોઈએ. જો આ નવો નિયમ લાગુ થશે, તો પરિવારના દરેક સભ્યને 7 કિલો અનાજ મળશે. જોકે, અહીં એ ધ્યાન રાખવું જરૂરી છે કે કોઈ પણ સંજોગોમાં એક પરિવારને વધુમાં વધુ 35 કિલો અનાજ જ મળશે, તેનાથી વધુ નહીં.
3/5
સરકારનું માનવું છે કે જૂની સિસ્ટમમાં થોડી અસમાનતા રહેલી છે. દાખલા તરીકે, જો કોઈ પરિવારમાં માત્ર 2 કે 3 સભ્યો હોય તો પણ તેમને 35 કિલો અનાજ મળે છે, જેનાથી તેમને વ્યક્તિ દીઠ વધુ રાશન મળી જાય છે. જ્યારે મોટા પરિવારોમાં સભ્યો વધુ હોય, તો વ્યક્તિ દીઠ અનાજના ભાગે ઓછું રાશન આવે છે. આ અસંતુલનને દૂર કરવા અને બધાને એકસમાન રાશન મળી રહે તે માટે આ નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે, જેથી વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સંતુલિત બને.
સરકારનું માનવું છે કે જૂની સિસ્ટમમાં થોડી અસમાનતા રહેલી છે. દાખલા તરીકે, જો કોઈ પરિવારમાં માત્ર 2 કે 3 સભ્યો હોય તો પણ તેમને 35 કિલો અનાજ મળે છે, જેનાથી તેમને વ્યક્તિ દીઠ વધુ રાશન મળી જાય છે. જ્યારે મોટા પરિવારોમાં સભ્યો વધુ હોય, તો વ્યક્તિ દીઠ અનાજના ભાગે ઓછું રાશન આવે છે. આ અસંતુલનને દૂર કરવા અને બધાને એકસમાન રાશન મળી રહે તે માટે આ નવી વ્યવસ્થા લાવવામાં આવી રહી છે, જેથી વિતરણ વ્યવસ્થા વધુ પારદર્શક અને સંતુલિત બને.
4/5
આ નવા નિયમથી એવા પરિવારોને સૌથી વધુ લાભ થશે જેમના સભ્યોની સંખ્યા વધુ છે અને જેઓ આર્થિક રીતે નબળા છે. વ્યક્તિ દીઠ રાશન નક્કી થવાથી મોટા કુટુંબના દરેક સભ્યની જરૂરિયાતને યોગ્ય રીતે ધ્યાનમાં લઈ શકાશે. સરકારનો દાવો છે કે આનાથી ખરેખર જેમને જરૂર છે તેમના સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયામાં મોટો સુધારો આવશે.
આ નવા નિયમથી એવા પરિવારોને સૌથી વધુ લાભ થશે જેમના સભ્યોની સંખ્યા વધુ છે અને જેઓ આર્થિક રીતે નબળા છે. વ્યક્તિ દીઠ રાશન નક્કી થવાથી મોટા કુટુંબના દરેક સભ્યની જરૂરિયાતને યોગ્ય રીતે ધ્યાનમાં લઈ શકાશે. સરકારનો દાવો છે કે આનાથી ખરેખર જેમને જરૂર છે તેમના સુધી અનાજ પહોંચાડવાની પ્રક્રિયામાં મોટો સુધારો આવશે.
5/5
કેન્દ્ર સરકારે આ નવા ડ્રાફ્ટ બિલ અંગે સામાન્ય નાગરિકો, નિષ્ણાતો અને અન્ય સંબંધિત સંસ્થાઓ પાસેથી તેમના સૂચનો અને વાંધા મંગાવ્યા છે. જો તમે પણ આ અંગે કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ, તો 13 જુલાઈ, 2026 સુધીમાં સરકારને તમારી ટિપ્પણીઓ મોકલી શકો છો. લોકો તરફથી મળેલા સૂચનો અને પ્રતિસાદનો યોગ્ય અભ્યાસ કર્યા પછી, ડ્રાફ્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે અને ત્યારબાદ તેને કાયદાકીય પ્રક્રિયા માટે આગળ વધારવામાં આવશે.
કેન્દ્ર સરકારે આ નવા ડ્રાફ્ટ બિલ અંગે સામાન્ય નાગરિકો, નિષ્ણાતો અને અન્ય સંબંધિત સંસ્થાઓ પાસેથી તેમના સૂચનો અને વાંધા મંગાવ્યા છે. જો તમે પણ આ અંગે કોઈ અભિપ્રાય આપવા માંગતા હોવ, તો 13 જુલાઈ, 2026 સુધીમાં સરકારને તમારી ટિપ્પણીઓ મોકલી શકો છો. લોકો તરફથી મળેલા સૂચનો અને પ્રતિસાદનો યોગ્ય અભ્યાસ કર્યા પછી, ડ્રાફ્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે અને ત્યારબાદ તેને કાયદાકીય પ્રક્રિયા માટે આગળ વધારવામાં આવશે.

દેશ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
હવે વિમાનો પણ ઇથેનોલથી ઉડશે: પ્રદૂષિત ઇંધણ બદલવા દક્ષિણ કોરિયાનો ઐતિહાસિક નિર્ણય
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Advertisement

વિડિઓઝ

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં શનિવારે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Una Gir Somnath Heavy Rain : ઉનામાં બારેમેઘ ખાંગા; નદીમાં પૂર, કાંઠા વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ
Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
અમરેલીમાં મેઘતાંડવ: રાયડી ડેમના 8 દરવાજા ખુલ્યા, રાજુલામાં 6 કલાકમાં 5.39 ઇંચ વરસાદ
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર: રાજુલામાં 5.39 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Una Heavy Rain : ઉનામાં ભારે ધોધમાર વરસાદ. 24 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં જળબંબાકાર
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Exclusive: ત્રીજી વખત લગ્નના બંધનમાં બંધાયો આમિર ખાન, પત્ની ગૌરી સાથેની ફર્સ્ટ વેડિંગ ફોટો આવી સામે
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
Toyota-Mahindra નું વધશે ટેન્શન, MG અને JSW લાવી રહ્યા છે દમદાર નવી ગાડીઓ
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
રામ મંદિર દાન ચોરી મામલે RSS પ્રમુખ મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'દત્તાત્રેય હોસબાલેએ જે...'
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
અમદાવાદની Zydus અને Apollo Hospitalsની પહેલ, કેન્સરના વહેલા નિદાન માટે નવી ટેકનોલોજી લોન્ચ
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
આગામી 8 કલાકમાં દેશના 13 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 80 કિમીની ઝડપે ફુંકાશે પવન
Embed widget