શોધખોળ કરો

Kiran Kumar Reddy : ડુબતી કોંગ્રેસને દક્ષિણમાં મરણતોલ ફટકો, વધુ એક દિગ્ગજે કર્યું અલવિદા

Kiran Kumar Reddy Joins BJP: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવ્યા હતાં. કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા હતાં.

Kiran Kumar Reddy Joins BJP: આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કિરણ કુમાર રેડ્ડીએ આજે અચાનક જ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને સૌકોઈને ચોંકાવ્યા હતાં. કોંગ્રેસ સાથે છેડો ફાડતા જ તેઓ બીજેપીમાં જોડાઈ ગયા હતાં. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું અને સાથે તેમણે પાર્ટી છોડવા પાછળનું કારણ પણ જણાવ્યું હતું.

કોંગ્રેસના પૂર્વ નેતા કિરણ કુમાર રેડ્ડીએ કહ્યું કે, મેં ક્યારેય વિચાર્યું ન હતું કે મારે કોંગ્રેસ છોડવી પડશે. એક કહેવત છે કે, મારો રાજા ખૂબ જ જ્ઞાની છે, તે ક્યારેય પોતાના માટે વિચારતો નથી કે તે કોઈની સલાહ સાંભળતો નથી. હું શું કહેવા માંગુ છું, તે તમે બધા જાણતા જ હશો.

તેમણે વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી લોકોના અભિપ્રાયને સમજી શકતી નથી. પાર્ટી ન તો એનું વિશ્લેષણ કરી રહી છે કે ભૂલ શું છે અને ન તો તેઓ તેને સુધારવા માંગે છે. તેઓ વિચારે છે કે, માત્ર હું જ સાચો છું અને દેશના લોકો સહિત અન્ય બધા ખોટા છે. આ વિચારધારાને કારણે મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો. રેડ્ડી કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ અને પાર્ટીના મુખ્ય પ્રવક્તા અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

'વાત પણ નથી કરતી'



પૂર્વ મુખ્યમંત્રી રેડ્ડીએ કહ્યું હતું કે, તેઓ (કોંગ્રેસનું નેતૃત્વ) માને છે કે, તેઓ સાચા છે અને ભારતના લોકો સહિત અન્ય તમામ લોકો ખોટા છે. તેઓ નિયંત્રણ જાળવવા માટે સત્તા ઇચ્છે છે, પરંતુ સખત મહેનત કરવા અથવા કોઈ જવાબદારી લેવા માંગતા નથી. કોંગ્રેસ સાથે તેમના પરિવારના છ દાયકાથી વધુ સમયના જોડાણને ટાંકીને તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસ તમામ રાજ્યોમાં નુકસાન સહન કરી રહી છે પરંતુ તેનો હાઈકમાન્ડ અન્ય લોકો સાથે વાતચીત પણ નથી કરતું કે તેમનો અભિપ્રાય લેતું નથી.

કોણ છે કિરણ કુમાર રેડ્ડી?

આ વર્ષે માર્ચમાં રેડ્ડીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. સપ્ટેમ્બર 1959માં જન્મેલા રેડ્ડીએ 25 નવેમ્બર 2010 થી 01 માર્ચ 2014 સુધી અવિભાજિત આંધ્ર પ્રદેશના 16મા મુખ્ય પ્રધાન તરીકે સેવા આપી હતી. 2 જૂન 2014 ના રોજ તેલંગાણા રાજ્યની રચના પહેલા તેઓ સંયુક્ત આંધ્ર પ્રદેશના છેલ્લા મુખ્ય પ્રધાન હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
‘ભાજપ 32 લાખ મતે જીત્યું, 35 લાખ મતો રદ’, TMC પહોંચી સુપ્રીમ કોર્ટમાં, SC આપશે આદેશ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?
Hyderabad: 'એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરો', PM મોદીની દેશને અપીલ, પેટ્રોલ-ડીઝલની કિંમતને લઈને શું કહ્યુ?

વિડિઓઝ

PM Modi Speech: સોમનાથ અમૃત મહોત્સવમાં PM મોદીનું સંબોધન
PM Modi in Somnath Temple: PM મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે સોમનાથ દાદાની કરી પૂજા-અર્ચના
Bhavnagar Accident News: ભાવનગરના પરિવારને હિમાચલમાં નડ્યો અકસ્માત, 5 લોકોના મોત,4 ઈજાગ્રસ્ત
Gujarat Heat Wave: અંગ દઝાડતી ગરમીમાં તપવા રહેજો તૈયાર: રાજ્યમાં 4 દિવસ હિટવેવની આગાહી
PM Modi Road Show: સોમનાથમાં હકડેઠઠ જનમેદની વચ્ચે PM મોદીનો રોડ શૉ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
સોમનાથની પવિત્ર ધરતી પરથી પીએમ મોદીનો વિશ્વને શક્તિશાળી સંદેશ: ‘કોઈ તાકાત ભારતને....’
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
હાર્દિક પંડ્યા IPL 2027માં મુંબઈનો કેપ્ટન કેમ નહીં હોય? સામે આવ્યા આ 3 મોટા કારણો
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
PM Modi Gujarat Visit LIVE: સોમનાથમાં વડાપ્રધાન મોદીએ કહ્યું- 'કોઈ પણ તાકાત ભારત પર દબાણ ન લાવી શકે'
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આકરી ગરમીની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં કેટલું રહેશે તાપમાન? 
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
Heatwave : રાજ્યમાં ચાર દિવસ હિટવેવની આગાહી, કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
LPG Booking : ગેસ સિલિન્ડરની ડિલિવરી લેતા સમયે આ એક ભૂલ પડી શકે છે ભારે, તેલ કંપનીઓ આપી ચેતવણી
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Somnath Amrut Mahotsav: PM મોદીએ સોમનાથ મંદિરમાં કરી પૂજા, શિખર પર 11 તીર્થના જળથી કરાયો કુંભાભિષેક
Embed widget