શોધખોળ કરો

Karpoori Thakur : સામાજિક ન્યાયના યોદ્ધા, વાંચો 'ભારત રત્ન' કર્પૂરી ઠાકુરની કહાની 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે કર્પૂરી ઠાકુરને 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

કર્પૂરી ઠાકુર અત્યંત પછાત વર્ગના સૌથી મોટા નેતાઓમાંના એક હતા. તેમના વિશે એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં એવા સ્થાન પર પહોંચી ગયા હતા, જ્યાં સમાન પૃષ્ઠભૂમિમાંથી આવતા કોઈપણ નેતાનું પહોંચવું લગભગ અશક્ય હતું.  કર્પુરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતૌજિયા (હાલ કર્પુરીગ્રામ)માં થયો હતો.તેઓ અત્યંત પછાત સમાજમાંથી આવતા હતા. 

કર્પૂરી ઠાકુર એક વખત બિહારના ડેપ્યુટી સીએમ, બે વખત મુખ્યમંત્રી અને અનેક વખત ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. 1952 માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તાજપુર બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓએ એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી.

કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા પરંતુ તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી - તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા. જો કે ખાસ વાત એ છે કે તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.

1967માં કર્પૂરી ઠાકુર બિહારના ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમને શિક્ષણ મંત્રી પદ પણ મળ્યું. શિક્ષણ મંત્રી બનતાની સાથે જ તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી દીધી. આ નિર્ણયની ચોક્કસપણે ટીકા થઈ હતી, પરંતુ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું.

1977માં જ્યારે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે રાજ્યની સરકારી નોકરીઓમાં પછાત લોકો માટે આરક્ષણ લાગુ કર્યું. મુંગેરીલાલ કમિશનની ભલામણ પર, તેમણે નોકરીઓમાં પછાત લોકો માટે 27 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરી.

કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રાજકારણમાં તેમની સફર ચાર દાયકા સુધી ચાલી, પરંતુ તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારને વિરાસતમાં આપવા  માટે તેમના નામે ઘર પણ નહોતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget