શોધખોળ કરો

Karpoori Thakur : સામાજિક ન્યાયના યોદ્ધા, વાંચો 'ભારત રત્ન' કર્પૂરી ઠાકુરની કહાની 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે કર્પૂરી ઠાકુરને 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

કર્પૂરી ઠાકુર અત્યંત પછાત વર્ગના સૌથી મોટા નેતાઓમાંના એક હતા. તેમના વિશે એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં એવા સ્થાન પર પહોંચી ગયા હતા, જ્યાં સમાન પૃષ્ઠભૂમિમાંથી આવતા કોઈપણ નેતાનું પહોંચવું લગભગ અશક્ય હતું.  કર્પુરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતૌજિયા (હાલ કર્પુરીગ્રામ)માં થયો હતો.તેઓ અત્યંત પછાત સમાજમાંથી આવતા હતા. 

કર્પૂરી ઠાકુર એક વખત બિહારના ડેપ્યુટી સીએમ, બે વખત મુખ્યમંત્રી અને અનેક વખત ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. 1952 માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તાજપુર બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓએ એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી.

કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા પરંતુ તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી - તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા. જો કે ખાસ વાત એ છે કે તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.

1967માં કર્પૂરી ઠાકુર બિહારના ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમને શિક્ષણ મંત્રી પદ પણ મળ્યું. શિક્ષણ મંત્રી બનતાની સાથે જ તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી દીધી. આ નિર્ણયની ચોક્કસપણે ટીકા થઈ હતી, પરંતુ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું.

1977માં જ્યારે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે રાજ્યની સરકારી નોકરીઓમાં પછાત લોકો માટે આરક્ષણ લાગુ કર્યું. મુંગેરીલાલ કમિશનની ભલામણ પર, તેમણે નોકરીઓમાં પછાત લોકો માટે 27 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરી.

કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રાજકારણમાં તેમની સફર ચાર દાયકા સુધી ચાલી, પરંતુ તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારને વિરાસતમાં આપવા  માટે તેમના નામે ઘર પણ નહોતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો

વિડિઓઝ

Gujarat Weather Update: રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો,11 શહેરમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન
Singer Hardil Pandya attacked: સોંગના ક્રેડિટ વિવાદમાં મુંબઈના સિંગર હાર્દિલ પંડ્યા પર અમદાવાદમાં હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ઓનલાઈન ઓર્ડરમાં કોણ કમાઈ છે રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ચાર પગનો આતંક
Hun To Bolish : હું તો બોલીશ : ઠાકોરની એકતા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો, 8 ડિગ્રી ઠંડીમાં ઠુંઠવાયું નલિયા,આ વિસ્તારોમાં 5 દિવસ વરસાદની આગાહી
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
Surat: તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ, 1200ના ભાવનું ઘી 300 માં વેચાતું
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
T20 World Cup 2026: શું બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરાવી શકે છે BCCI? જાણીલો ICC ના નિયમો
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Hero Splendor કે TVS Star City Plus, કઈ બાઈક ખરીદવી રહેશે બેસ્ટ? જાણો તમામ ડિટેલ્સ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
Assam Earthquake: ભારતના આ રાજ્યોમાં વહેલી સવારે ધ્રુજી ધરતી, 5.1 તીવ્રતાના ભૂકંપની લોકોમાં ફફડાટ
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
આજે લોન્ચ થશે Mahindra XUV 7XO, મળશે એડવાન્સ ફીચર્સ, જાણો અંદાજીત કિંમત
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
માદુરોની ધરપકડ બાદ વેનેઝુએલાની સેનાની પહેલી પ્રતિક્રિયા, ડેલ્સી રોડ્રિગ્ઝને આપ્યું સમર્થન, નાગરિકોને કરી આ અપીલ
Embed widget