શોધખોળ કરો

Karpoori Thakur : સામાજિક ન્યાયના યોદ્ધા, વાંચો 'ભારત રત્ન' કર્પૂરી ઠાકુરની કહાની 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે કર્પૂરી ઠાકુરને 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

કર્પૂરી ઠાકુર અત્યંત પછાત વર્ગના સૌથી મોટા નેતાઓમાંના એક હતા. તેમના વિશે એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં એવા સ્થાન પર પહોંચી ગયા હતા, જ્યાં સમાન પૃષ્ઠભૂમિમાંથી આવતા કોઈપણ નેતાનું પહોંચવું લગભગ અશક્ય હતું.  કર્પુરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતૌજિયા (હાલ કર્પુરીગ્રામ)માં થયો હતો.તેઓ અત્યંત પછાત સમાજમાંથી આવતા હતા. 

કર્પૂરી ઠાકુર એક વખત બિહારના ડેપ્યુટી સીએમ, બે વખત મુખ્યમંત્રી અને અનેક વખત ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. 1952 માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તાજપુર બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓએ એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી.

કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા પરંતુ તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી - તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા. જો કે ખાસ વાત એ છે કે તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.

1967માં કર્પૂરી ઠાકુર બિહારના ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમને શિક્ષણ મંત્રી પદ પણ મળ્યું. શિક્ષણ મંત્રી બનતાની સાથે જ તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી દીધી. આ નિર્ણયની ચોક્કસપણે ટીકા થઈ હતી, પરંતુ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું.

1977માં જ્યારે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે રાજ્યની સરકારી નોકરીઓમાં પછાત લોકો માટે આરક્ષણ લાગુ કર્યું. મુંગેરીલાલ કમિશનની ભલામણ પર, તેમણે નોકરીઓમાં પછાત લોકો માટે 27 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરી.

કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રાજકારણમાં તેમની સફર ચાર દાયકા સુધી ચાલી, પરંતુ તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારને વિરાસતમાં આપવા  માટે તેમના નામે ઘર પણ નહોતું.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Game Zone Fire Case | સાગઠિયાના સાથી કોણ? | કયા દિગ્ગજ નેતાએ કરી જેલમાં મુલાકાત?હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
Rajkot: ભ્રષ્ટ TPO મનસુખ સાગઠિયાને ક્રાઈમ બ્રાંચની ઓફિસમાં મળનાર પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટર કોણ?
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો આદેશ, 15 જુલાઈ સુધીમાં આ કામ નહીં કરે તો થશે કડક કાર્યવાહી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
શું છે વૉટર ફાસ્ટિંગ, જેનાથી 21 દિવસમાં આ વ્યક્તિએ 13 કિલો વજન ઘટાડ્યું, જાણો તેના ફાયદા અને નુકસાન
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?
Embed widget