શોધખોળ કરો

Karpoori Thakur : સામાજિક ન્યાયના યોદ્ધા, વાંચો 'ભારત રત્ન' કર્પૂરી ઠાકુરની કહાની 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે કર્પૂરી ઠાકુરને 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

કર્પૂરી ઠાકુર અત્યંત પછાત વર્ગના સૌથી મોટા નેતાઓમાંના એક હતા. તેમના વિશે એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં એવા સ્થાન પર પહોંચી ગયા હતા, જ્યાં સમાન પૃષ્ઠભૂમિમાંથી આવતા કોઈપણ નેતાનું પહોંચવું લગભગ અશક્ય હતું.  કર્પુરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતૌજિયા (હાલ કર્પુરીગ્રામ)માં થયો હતો.તેઓ અત્યંત પછાત સમાજમાંથી આવતા હતા. 

કર્પૂરી ઠાકુર એક વખત બિહારના ડેપ્યુટી સીએમ, બે વખત મુખ્યમંત્રી અને અનેક વખત ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. 1952 માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તાજપુર બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓએ એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી.

કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા પરંતુ તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી - તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા. જો કે ખાસ વાત એ છે કે તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.

1967માં કર્પૂરી ઠાકુર બિહારના ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમને શિક્ષણ મંત્રી પદ પણ મળ્યું. શિક્ષણ મંત્રી બનતાની સાથે જ તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી દીધી. આ નિર્ણયની ચોક્કસપણે ટીકા થઈ હતી, પરંતુ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું.

1977માં જ્યારે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે રાજ્યની સરકારી નોકરીઓમાં પછાત લોકો માટે આરક્ષણ લાગુ કર્યું. મુંગેરીલાલ કમિશનની ભલામણ પર, તેમણે નોકરીઓમાં પછાત લોકો માટે 27 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરી.

કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રાજકારણમાં તેમની સફર ચાર દાયકા સુધી ચાલી, પરંતુ તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારને વિરાસતમાં આપવા  માટે તેમના નામે ઘર પણ નહોતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા

વિડિઓઝ

Rajpipla News : રાજપીપળામાં મંદિરના મકાનમાંથી મળ્યા 37 શંકાસ્પદ વાઘના ચામડા અને 133 નખ
Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Earthquake: ધોરાજી -ઉપલેટામાં ફરી ધરા ધ્રૂજી, વહેલી સવારે આવ્યો 3.8ની તીવ્રતાનો આંચકો, 12 કલાકમાં 2 આંચકા
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
Weather Update: રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે કે ઘટશે? હવામાન વિભાગે શું કરી આગાહી
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
WPL 2026: WPL શરૂ થાય તે પહેલા ગુજરાત જાયન્ટ્સને મોટો ફટકો, આ સ્ટાર ભારતીય ખેલાડી બહાર
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
Iran Protest: ઇરાનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ ઇન્ટરનેટ સેવા બંધ, હજારો પ્રદર્શનકારી રોડ પર ઉતર્યા
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
સ્લીપર બસમાં આગ લાગવાની ઘટનાઓ રોકવા કેંદ્ર સરકારનો મોટો નિર્ણય, આ સુરક્ષા ફીચર્સ જરુરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
રાજપીપળામાં મંદિરના બંધ રુમમાંથી વાઘના શંકાસ્પદ 40 ચામડા અને 130 નખ મળ્યા
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
Embed widget