શોધખોળ કરો

Karpoori Thakur : સામાજિક ન્યાયના યોદ્ધા, વાંચો 'ભારત રત્ન' કર્પૂરી ઠાકુરની કહાની 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

નવી દિલ્હી:  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જારી નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એવી જાહેરાત કરવામાં આવી છે કે કર્પૂરી ઠાકુરને 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિના એક દિવસ પહેલા મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે.

કર્પૂરી ઠાકુર અત્યંત પછાત વર્ગના સૌથી મોટા નેતાઓમાંના એક હતા. તેમના વિશે એવું કહેવાય છે કે કર્પૂરી ઠાકુર બિહારની રાજનીતિમાં એવા સ્થાન પર પહોંચી ગયા હતા, જ્યાં સમાન પૃષ્ઠભૂમિમાંથી આવતા કોઈપણ નેતાનું પહોંચવું લગભગ અશક્ય હતું.  કર્પુરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરના પિતૌજિયા (હાલ કર્પુરીગ્રામ)માં થયો હતો.તેઓ અત્યંત પછાત સમાજમાંથી આવતા હતા. 

કર્પૂરી ઠાકુર એક વખત બિહારના ડેપ્યુટી સીએમ, બે વખત મુખ્યમંત્રી અને અનેક વખત ધારાસભ્ય અને વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. 1952 માં તેઓ સમાજવાદી પાર્ટીની ટિકિટ પર તાજપુર બેઠક પરથી પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યારથી તેઓએ એકપણ વિધાનસભા ચૂંટણી હારી નથી.

કર્પૂરી ઠાકુર બે વખત મુખ્યમંત્રી રહ્યા પરંતુ તેઓ ક્યારેય પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. ડિસેમ્બર 1970 થી જૂન 1971 અને ડિસેમ્બર 1977 થી એપ્રિલ 1979 સુધી - તેઓ બે વખત મુખ્યમંત્રી રહ્યા. જો કે ખાસ વાત એ છે કે તેઓ બિહારના પહેલા બિનકોંગ્રેસી મુખ્યમંત્રી હતા. 1967ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં, કર્પૂરી ઠાકુરના નેતૃત્વમાં યુનાઈટેડ સોશ્યલિસ્ટ પાર્ટી એક મોટી શક્તિ તરીકે ઉભરી આવી, જેના પરિણામે બિહારમાં પ્રથમ વખત બિન-કોંગ્રેસી પક્ષની સરકાર બની.

1967માં કર્પૂરી ઠાકુર બિહારના ડેપ્યુટી સીએમ બન્યા હતા. તેમને શિક્ષણ મંત્રી પદ પણ મળ્યું. શિક્ષણ મંત્રી બનતાની સાથે જ તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી દીધી. આ નિર્ણયની ચોક્કસપણે ટીકા થઈ હતી, પરંતુ મિશનરી સ્કૂલોએ હિન્દીમાં ભણાવવાનું શરૂ કર્યું.

1977માં જ્યારે તેઓ બીજી વખત મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે રાજ્યની સરકારી નોકરીઓમાં પછાત લોકો માટે આરક્ષણ લાગુ કર્યું. મુંગેરીલાલ કમિશનની ભલામણ પર, તેમણે નોકરીઓમાં પછાત લોકો માટે 27 ટકા અનામતની સિસ્ટમ લાગુ કરી.

કર્પૂરી ઠાકુરનું 17 ફેબ્રુઆરી 1988ના રોજ 64 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. રાજકારણમાં તેમની સફર ચાર દાયકા સુધી ચાલી, પરંતુ તેમની પ્રામાણિકતા એવી હતી કે જ્યારે તેઓ મૃત્યુ પામ્યા ત્યારે તેમના પરિવારને વિરાસતમાં આપવા  માટે તેમના નામે ઘર પણ નહોતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો
6 વર્ષ પછી અચાનક કેમ ટ્રેન્ડિંગમાં આવ્યું 'લોકડાઉન 2020'? જાણો કોરોનાના ડર વગર લોકો કેમ વાગોળી રહ્યા છે જૂની યાદો
શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા
શું ફરીથી આવી રહ્યું છે કોરોના જેવું લોકડાઉન? ઈરાન યુદ્ધના કારણે તેલ અને ગેસની કટોકટીએ વધારી ચિંતા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ધર્મ ગમે તે, કાયદો સમાન
Hun To Bolish : હું તો બોલીશ : મહાદાનનો મહારેકોર્ડ
Hun To Bolish : હું તો બોલીશ : કાળાબજારીઓના કાંડનો પર્દાફાશ
UCC Bill Passed In Gujarat Assembly : વિધાનસભામાં UCC વિધેયક બહુમતીથી પસાર
PM Modi Speech: મિડલ ઈસ્ટ સંકટ પર રાજ્યસભામાં PM મોદીનું સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
ઐતિહાસિક દિવસ: ઉત્તરાખંડ બાદ ગુજરાત વિધાનસભામાં 'UCC બિલ 2026' બહુમતીથી પસાર, કોંગ્રેસનું વોકઆઉટ
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી: દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં કરાયા દાખલ, રાહુલ-પ્રિયંકા પહોંચ્યા
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધનો અંત નજીક? અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતીના એંધાણ, શરતો સાથે વાતચીત માટે ઈરાન તૈયાર
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
મહાયુદ્ધ વચ્ચે PM મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની પહેલીવાર ટેલિફોનિક વાતચીત: 'હોર્મુઝ સ્ટ્રેટ' ખોલવા મુદ્દે થઈ મોટી ચર્ચા
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: રાજસ્થાન રોયલ્સનો રેકોર્ડ તોડી RCB બની IPL ની સૌથી મોંઘી ટીમ, આદિત્ય બિરલા ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
ક્રિકેટ જગતની સૌથી મોટી ડીલ: વિરાટ કોહલીની ટીમ RCB વેચાઈ ગઈ, આ ગ્રુપે ₹16896 કરોડમાં ખરીદી
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
₹15286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, બની IPL ની સૌથી મોંઘી ટીમ; જાણો કોણ છે નવા માલિક?
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
અફવાઓ પર ધ્યાન ન આપો: રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો છે, પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો ન લગાવવા CM ભૂપેન્દ્ર પટેલની અપીલ
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
વિધાનસભામાં નાણામંત્રીની મોટી જાહેરાત: ગીર-બરડાના માલધારીઓને ST માંથી હટાવી OBC માં મૂકવા સરકારની વિચારણા
Embed widget