શોધખોળ કરો

સસંદનું ચોમાસુ સત્ર ક્યારે શરૂ થશે ? કેવી હશે વ્યવસ્થા, જાણો વિગતે

સામાન્ય રીતે આ સત્ર જુલાઈના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ જતું હતું અને મધ્ય ઓગસ્ટ સુધી ચાલતું હતું. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે સત્રમાં વિલંબ થયો છે.

નવી દિલ્હીઃ સંસદનું મોનસૂન સત્ર આગામી થોડા દિવસોમાં શરૂ થઈ શકે છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, રાજ્યસભા ચેરમેને ઓગસ્ટના ત્રીજા સપ્તાહ સુધીમાં તમામ તૈયારી પૂર્ણ કરવા દિશા નિર્દેશ આપ્યો છે. સામાન્ય રીતે આ સત્ર જુલાઈના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ જતું હતું અને મધ્ય ઓગસ્ટ સુધી ચાલતું હતું. પરંતુ આ વખતે કોરોના કાળના કારણે સત્રમાં વિલંબ થયો છે. કોઈપણ જાતના વિક્ષેપ વગર સત્ર પૂરું કરી શકાય તે માટે લોકસભા અને રાજ્યસભા સચિવાલયમાં સત્ર ચલાવવા માટેની તૈયારી લગભગ પૂરી કરી લેવામાં આવી છે. ગૃહની કાર્યવાહીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે. જે મુજબ રાજ્યસભા ચેમ્બરની અંદર 4 મોટી સ્ક્રીન અને તેની સાથે અલગ અલગ 4 ગેલેરીમાં 6 નાની સ્ક્રીન લગાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ રીતે સંસદના બંને ગૃહોને એકબીજા સાથે જોડવામાં આવી રહ્યા છે. સોશિયલ ડિસ્ટેંસિંગનું યોગ્ય રીતે પાલન થઈ શકે તેને ધ્યાનમાં રાખીને આમ કરવામાં આવી રહ્યું છે. ગત મહિને લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન વચ્ચે થયેલી બેઠકમાં સંસદના બંને ગૃહોનો ઉપયોગ સત્ર દરમિયાન કરવાનું નક્કી થયું હતું. રાજ્યસભાની કાર્યવાહી યોગ્ય રીતે ચલાવવા માટે રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીની સાથે લોકસભા ચેમ્બર્સનો પણ ઉપયોગ કરી શકાશે. જે અંતર્ગત 60 સભ્યોને ચેમ્બરમાં અને 51 સભ્યોને રાજ્યસભાની ગેલેરીમાં બેસાડવામાં આવશે. જ્યારે બાકીના 132 સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે.
અલગ અલગ પાર્ટીઓના સભ્યોને રાજ્યસભા ચેમ્બર અને ગેલેરીમાં સ્થાન આપવામાં આવશે. ઉપરાંત અન્ય સભ્યોને લોકસભા ચેમ્બરમાં બેસાડવામાં આવશે. રાજ્યસભામાં પ્રધાનમંત્રી, નેતા વિપક્ષ સહિત અલગ અલગ રાજકીય પક્ષોના નેતાઓની સીટ ફિક્સ હશે. એર કંડીશનરમાં અલ્ટ્રાવાયોલેટ કીટાણુનાશક ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાશે, જેનાથી અનેક પ્રકારના વાયરસને હવામાં ફેલાતા રોકી શકાશે. પત્રકારોને વિદેશી મહેમાનો માટે રિઝર્વ સીટ પર સ્થાન આપવામાં આવશે. આ દરમિયાન સંસદના સભ્ય કાગળ અને દસ્તાવેજોનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તેવી કોશિશ કરવામાં આવશે. અમેરિકન એક્સપર્ટ ફાઉસીનો દાવો, કોરોનાનો સામનો કરવા અડધી પ્રભાવી રસી જ પૂરતી રહેશે સૌરાષ્ટ્રના આ મોટા શહેરમાં એક જ હોસ્પિટલમાં કોરોનાથી 15 દર્દીનાં મોત થતાં ખળભળાટ, 23 કેદીના રીપોર્ટ પણ પોઝિટિવ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
CJP સંસદ કૂચમાં હિંસા બાદ રાહુલ ગાંધીની પોસ્ટ વાયરલ; કહ્યું - ‘સત્તા કાયમી નથી રહેતી...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJPના વિરોધ પ્રદર્શન પર લાઠીચાર્જ, અભિજીત દિપકે કહ્યું - ‘કેન્દ્ર સરકાર ઇચ્છે છે...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ
Embed widget