શોધખોળ કરો

દેશનાં કેટલાં રાજ્યોમાં લોકડાઉન ફરી લદાવાની શક્યતા છે, જાણો વિગત

દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સ્કૂલો 31 જુલાઈ સુધી બંધ રહેશે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય ગતિવિધિ શરૂ રહેશે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. દેશભરમાં વધી રહેલા કોરોનાના ખતરાને જોતા કેટલાક રાજ્યો દ્વારા લોકડાઉન લાદવામાં આવી શકે છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યમાં 30 જૂન બાદ પણ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. રાજ્યના લોકોને સંબોધિત કરતા ઠાકરેએ કહ્યુ કે ,30 જૂન બાદ લોકડાઉન હટાવવામાં આવશે નહીં. સ્થિતિ અગાઉ જેવી રહેશે નહીં. આપણે છૂટ આપતા સમયે ખૂબ સાવધાનીઓ રાખવી પડશે અને તેને ધીરે ધીરે છૂટ આપવી પડશે કારણ કે ખતરો હજુ ખત્મ થયો નથી. દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને જોતા સ્કૂલો 31 જુલાઈ સુધી બંધ રહેશે. જ્યારે ઓનલાઈન એજ્યુકેશન અને અન્ય ગતિવિધિ શરૂ રહેશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પહેલા જ રાજધાનીમાં કોરોના વધતા મામલાને જોઈ લોકડાઉન મોડમાં આવવાનો વિચાર કર્યો હતો. તેલંગાણા સરકારે પણ લોકડાઉન વધારવાનો સંકેત આપ્યો છે. રવિવારે રાજ્ય સરકારે કહ્યું, મેડિકલ અને સ્વાસ્થ્ય વિભાગે હૈદરાબાદમાં ફરીથા લોકડાઉન લાગુ કરવાનો સારો વિકલ્પ હોવાનો પ્રસ્તાવ આપ્યો છે. પરંતુ લોકડાઉન ફરીથી લાગુ કરવું એક મોટો ફેંસલો હશે. સરકારી મશીનરી અને લોકોએ આ માટે તૈયાર રહેવું જોઈએ. તમિલનાડુના ચેન્નઈ, મદુરાઈ, કાંચીપુરમ અને તિરુવલ્લુરના કેટલાક હિસ્સામાં ગત શુક્રવારથી 30 જૂન સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ લોકડાઉન લંબાવવામાં આવશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. કેન્દ્ર તરફથી અનલોકની ગાઇડલાઇન મળ્યા બાદ રાજ્ય સરકાર પોતાની રણનીતિ બનાવશે. મણિપુર સરકારે રાજ્યમાં લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. મણિપુરમાં 15 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે. મણિપુરના મુખ્યમંત્રી એન બીરેન સિંહે જણાવ્યું હતું કે, 1-15 જૂલાઈ સુધી એટલે કે, 15 દિવસ માટે વધુ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાં 1 જુલાઈથી કોરોનાના ખાત્મા માટે કિલ કોરોના કેમ્પેન શરૂ કરાશે. ભોપાલ અને ઈન્દોરમાં સતત કેસ વધી રહ્યા છે. મોટાભાગના સ્થાન પર રવિવારે બજાર બંધ રાખવાનો ફેંસલો થયો છે. શિવરાજ સિંહ ચૌહાણ આગળની રણનીતિને લઈ કેન્દ્ર સરકારના દિશા નિર્દેશની રાહ જોઈ રહ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ થોડા દિવસ પહેલા જ રાજ્યમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. તેમણે 31 જુલાઈ સુધી કોવિડ-19 સંક્રમણનો વધારે દર ધરાવતાં રાજ્યોની સાથે આંતરાષ્ટ્રીય ઉડાનોને કોલકાતમાં ન આવવા દેવાની કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. રાજ્યમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. ઝારખંડમાં 31 જુલાઈ સુધી લોકડાઉન વધારવામાં આવી ચુક્યું છે. જોકે આ અંગે રાજ્ય સરકારે વિસ્તૃત આદેશ જાહેર નથી કર્યો. અહીંયા 2200થી વધારે પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. લોકડાઉન કે અનલોક 2 પર 1 જુલાઈ સુધીમાં ફેંસલો થઈ શકે છે. આસામ સરકારે શુક્રવારે રાજ્યભરમાં 12 કલાક માટે રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરી છે. ગુવાહાટી સહિત અમુક જિલ્લામાં 14 દિવસના પૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રદૂષણના પાપીઓનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : દવા પૂછીને લેજો
Hun To Bolish : હું તો બોલીશ : દારૂનું પાયલોટિંગ
10 Minute Delivery : 10 મિનિટમાં ડિલીવરી પર સરકારે લગાવી રોક, ડિલીવરી બોયની સુરક્ષાને લઈ નિર્ણય
Ambalal Patel Prediction : સૌરાષ્ટ્રમાં પડશે માવઠું , અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
Weather Update: રાજ્યમાં ગગડશે તાપમાનનો પારો, આ તારીખથી વધશે ઠંડી, કોલ્ડવેવનું એલર્ટ
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
સુરતમાં આજથી બે દિવસ ફ્લાયઓવર ટુ-વ્હીલર માટે બંધ, આ કારણે લેવાયો નિર્ણય 
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Thailand Train Accident: થાઈલેન્ડમાં પાટા પરથી ઉતરી ટ્રેન, 22 લોકોના મોત
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Weather Update: ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી, દિલ્લીમાં કોલ્ડવેવે તોડ્યો રેકોર્ડ, આ રાજયોમાં એલર્ટ
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
Iran Unrest: 'પ્રદર્શન ચાલુ રાખો, મદદ રસ્તામાં છે', ઈરાનમાં પ્રદર્શનકારીઓને મળ્યું ટ્રમ્પનું સમર્થન
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
NEET- PG 2025માં કટ ઓફમાં ઐતિહાસિક ઘટાડો, હવે આટલા ગુણ મેળવનાર પણ બની શકશે ડોક્ટર
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
કિસાન ક્રેડિટ કાર્ડ લોન પર વ્યાજમાં કોને મળે છે છૂટ? જાણો સરળ રીત
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
US Tariff: શું ભારત પરથી 50% ટેરિફ હટશે? જયશંકર અને માર્કો રુબિયો વચ્ચે મહત્વની ફોન પર ચર્ચા
Embed widget