શોધખોળ કરો

મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, જાણો કેમ લોકડાઉન વધારવાનો લેવાઈ શકે છે નિર્ણય ?

સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. કોરોના વાયરસના પ્રકોપ બાદ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક હશે. આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો મળશે. અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે તેમ પણ માનવામાં આવશે. બેઠકમાં સૌથી વધારે સંક્રમિતોવાળા રાજ્યો પર ફોક્સ હશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થાય છે તેના થોડા દિવસો પહેલા જ આ બેઠક થઈ રહી હોવાથી અનેક દ્રષ્ટિએ મહત્વની રહેશે. બીજો તબક્કો 3 મે અને પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ખોલવું આત્મહત્યા કરવા બરાબર હશે. આ પહેલા પીએમ મોદી 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. કોરોના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પાંચમી બેઠક હશે. આ બેઠકમાં લોકડાઉનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જે બાદ તેને વધારવાનો કે ખતમ કરવાનો ફેંસલો લેવામાં આવશે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં છે. બેઠકમાં મુખ્ય ભાર આર્થિક ગતિવિધિ વધારવા પર રહેશે. આ પહેલા શનિવાર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સતત બે બેઠક કરી હતી, જેમાં ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાને ખોલવા પર ચર્ચા થઈ હતી. કોરોનાના વધતા સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન બે વખત લંબાવવામાં આવ્યું છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં દેશમાં આમ લોકોમાં 17 મે બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે કે નહીં તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલે 12 મેથી નવી દિલ્હીથી દેશના મુખ્ય સ્ટેશનોને જોડતી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ 15 વિશેષ ટ્રેન શરૂ કરાશે. જેનું બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ટ્રેન શરૂ કરવાનો મતલબ લોકડાઉનમાં રાહત આપવાની શરૂઆત માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67,152 પર પહોંચી છે. 2206 લોકોના મોત થયા છે અને 20,917 લોકો સાજા થઈ ગયા છે. હાલ 44,029 એક્ટિવ કેસ છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ
Phool Singh Baraiya Statement: સુંદર યુવતીને જોઇને કોઈનું પણ મન વિચલિત થઈ શકે, કોંગ્રેસ MLAનો બફાટ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
અમદાવાદમાં અકસ્માતની ત્રણ ગંભીર ઘટનાથી હાહાકાર, થલતેજ-શીલજ રોડ પર નશામાં ધૂત નબીરાએ 9 વાહનોને ઉડાવ્યા
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
Spain Train Accident: સ્પેનમાં ભયાનક અકસ્માત, હાઇ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, 21 લોકોના મોત
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે Apple નો પહેલો ફોલ્ડેબલ આઇફોન, ફીચર્સ જાણીને દંગ રહી જશો
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
Aaj Nu Rashifal: મેષથી લઈને મીન રાશિના લોકોને કેવો રહેશે આજનો દિવસ? જાણો તમામ રાશિઓનું રાશિફળ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
ભારતને આ 5 કારણોને લીધે મળી ત્રીજી વનડેમાં હાર,રોહિત-ગિલની નિષ્ફળતા, આ બોલર બન્યો ટીમ ઈન્ડિયા પર બોજ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
Gaza Peace Board: હવે ભારત કરાવશે ગાઝામાં શાંતિ! ટ્રમ્પે PM મોદીને આપ્યું ખાસ આમંત્રણ
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફેરવનાર 3 'ગુનેગાર'! હારનું કારણ જાણીને લોહી ઉકળી જશે
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
IND vs NZ: કોહલીની મહેનત પર પાણી ફરી વળ્યું! હાર બાદ શુભમન ગિલે કોના પર ફોડ્યું માટલું? જાણો વિગત
Embed widget