શોધખોળ કરો

મોદીની આજે મુખ્યમંત્રીઓ સાથે બેઠક, જાણો કેમ લોકડાઉન વધારવાનો લેવાઈ શકે છે નિર્ણય ?

સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે.

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 3 કલાકે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરશે. કોરોના વાયરસના પ્રકોપ બાદ પ્રધાનમંત્રીની મુખ્યમંત્રીઓ સાથે પાંચમી બેઠક હશે. આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને બોલવાનો મોકો મળશે. અત્યાર સુધીની સૌથી લાંબી બેઠક હશે તેમ પણ માનવામાં આવશે. બેઠકમાં સૌથી વધારે સંક્રમિતોવાળા રાજ્યો પર ફોક્સ હશે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પૂરો થાય છે તેના થોડા દિવસો પહેલા જ આ બેઠક થઈ રહી હોવાથી અનેક દ્રષ્ટિએ મહત્વની રહેશે. બીજો તબક્કો 3 મે અને પ્રથમ તબક્કો 14 એપ્રિલે પૂરો થયો હતો. સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે બે સરકારી સંસ્થાઓ અનુસાર આઈસીએમઆરે સંકેત આપ્યા છે કે જો 17 મે બાદ લોકડાઉન ખતમ કરી દેવામાં આવશે તો કોરોના સંક્રમણના મામલામાં ઝડપથી વધારો થઈ શકે છે. આ સંસ્થાઓનું કહેવું છે કે હાલ લોકડાઉન ખોલવું આત્મહત્યા કરવા બરાબર હશે. આ પહેલા પીએમ મોદી 20 માર્ચ, 2 એપ્રિલ, 11 એપ્રિલ અને 27 એપ્રિલે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી ચુક્યા છે. કોરોના સંકટ પર મુખ્યમંત્રીઓ સાથે પ્રધાનમંત્રી મોદીની પાંચમી બેઠક હશે. આ બેઠકમાં લોકડાઉનની આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે, જે બાદ તેને વધારવાનો કે ખતમ કરવાનો ફેંસલો લેવામાં આવશે. અનેક રાજ્યો લોકડાઉન વધારવાના પક્ષમાં છે. બેઠકમાં મુખ્ય ભાર આર્થિક ગતિવિધિ વધારવા પર રહેશે. આ પહેલા શનિવાર કેબિનેટ સચિવ રાજીવ ગાબાએ સતત બે બેઠક કરી હતી, જેમાં ગ્રીન ઝોનમાં આવતા જિલ્લાને ખોલવા પર ચર્ચા થઈ હતી.
કોરોનાના વધતા સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન બે વખત લંબાવવામાં આવ્યું છે. ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. આ સ્થિતિમાં દેશમાં આમ લોકોમાં 17 મે બાદ પણ લોકડાઉન ચાલુ રહેશે કે નહીં તેની ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલે 12 મેથી નવી દિલ્હીથી દેશના મુખ્ય સ્ટેશનોને જોડતી ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. હાલ 15 વિશેષ ટ્રેન શરૂ કરાશે. જેનું બુકિંગ 11 મે સાંજે 4 વાગ્યાથી શરૂ થશે. ટ્રેન શરૂ કરવાનો મતલબ લોકડાઉનમાં રાહત આપવાની શરૂઆત માનવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 67,152 પર પહોંચી છે. 2206 લોકોના મોત થયા છે અને 20,917 લોકો સાજા થઈ ગયા છે. હાલ 44,029 એક્ટિવ કેસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
રેશનકાર્ડ ધારકો માટે સરકાર લાવી ડિજિટલ 'સાર્થક PDS' યોજના, જાણો તમને શું ફાયદો થશે
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
દુનિયા પર એક્સ્ટ્રીમ અલ નીનોનો મોટો ખતરો: 80% શક્યતા, ગરમી અને પૂર મચાવશે ભારે તબાહી
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત
BJP MLA Yogesh Patel passes away : વડોદરા ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ ને વાવાઝોડાની ધબધબાટી બોલશે, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત 11 જિલ્લામાં વરસાદ ધબધબાટી બોલાવશે, હવામાન વિભાગની આગાહી
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ચાંદીની આયાત પર સરકારે નિયમો કર્યા કડક, હવે આ મંજૂરી વિના નહીં લાવી શકાય ચાંદી, વેપારીઓ ચિંતામાં ડૂબ્યા
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
ટ્રમ્પનો મોટો યુ-ટર્ન! ટ્રેડ વોર વચ્ચે આ ઉત્પાદનો પર ટેરિફ 25% થી ઘટાડીને 15% કર્યો
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
CBSE ઓન-સ્ક્રીન માર્કિંગ વિવાદની વચ્ચે મોદી સરકારની મોટી કાર્યવાહી, સીબીએસઈના ચેરમેન ને સેક્રેટરી બદલાયા
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બ્રિટનમાં પાકિસ્તાની ગેંગની હેવાનિયત: બાળકી પર 600 પુરુષોનો રેપ, સાંભળીને રુંવાડા ઊભા થઈ જશે
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
બારડોલી પાસે ગોઝારો અકસ્માત: મહારાષ્ટ્રની 2 બસ ટકરાતાં ભીષણ આગ લાગી, 7 મુસાફરોના મોત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
વડોદરાના માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલનું 79 વર્ષની વયે નિધન, વિધાનસભા ફરી ખંડિત
Embed widget