શોધખોળ કરો

સંગઠનના કાર્યકર્તા, સંઘની નજીક, પ્રથમવાર બન્યા MLA, જાણો કોણ છે રાજસ્થાનના નવા CM ભજનલાલ 

ભાજપે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી છે. આ વખતે પાર્ટીએ બ્રાહ્મણ ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરતા ભજનલાલ શર્માને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે.

Rajasthan CM: ભાજપે રાજસ્થાનમાં મુખ્યમંત્રી ચહેરાની જાહેરાત કરી છે. આ વખતે પાર્ટીએ બ્રાહ્મણ ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કરતા ભજનલાલ શર્માને રાજ્યના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. ભરતપુરના રહેવાસી ભજનલાલ શર્મા લાંબા સમયથી સંગઠનમાં કામ કરે છે. તેઓ પ્રદેશ મહામંત્રી તરીકે કાર્યરત છે. સંગઠનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા બદલ તેમને મુખ્યમંત્રી પદની ભેટ આપવામાં આવી છે.

સાંગાનેર બેઠક પરથી મેદાનમાં હતા

આ ચૂંટણીમાં, ભાજપે પહેલીવાર ભજનલાલ શર્માને જયપુરની સાંગાનેર જેવી સલામત બેઠક પરથી મેદાનમાં ઉતાર્યા હતા. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટિકિટ કાપી ભજન લાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા.  તેમણે આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પુષ્પેન્દ્ર ભારદ્વાજને 48081 મતોથી હરાવીને મોટી જીત નોંધાવી છે. 

ભજનલાલ સંઘની નજીકના છે

વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસે ભરતપુર નિવાસી ભજન લાલ શર્મા પર બહારના વ્યક્તિ હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસે સાંગાનેરની જનતા પાસે બહારના ઉમેદવારને મત ન આપીને હરાવવાની માંગ કરી હતી. જો કે તેમ છતાં ભજનલાલ શર્માએ આ બેઠક પરથી મોટી જીત નોંધાવી હતી. તેઓ સંઘ અને સંગઠન બંનેના નજીકના ગણાય છે. 

શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો, ભજનલાલ શર્મા રાજસ્થાન યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ છે. તેમણે 1993માં અહીંથી પોલિટિક્સમાં  M.A.ની ડિગ્રી મેળવી હતી.

તેમની સામે આઈપીસીની કલમો હેઠળ બે કેસ પણ પેન્ડિંગ છે. ભારતીય દંડ સંહિતાની કલમ 353 (જાહેર સેવકને તેની ફરજ નિભાવવાથી રોકવા માટે હુમલો અથવા ફોજદારી બળ સંબંધિત) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજો કેસ ભારતીય દંડ સંહિતાની કલમ 149 હેઠળ નોંધાયેલ છે. 

રાજસ્થાનની લડાઈ જીત્યા બાદ ભાજપ સામે સૌથી મોટો પડકાર એ હતો કે સીએમ તરીકે કોને પસંદ કરવામાં આવે. પરંતુ સીએમ પદ માટેની આ રેસ હવે બંધ થઈ ગઈ છે. આ રેસમાં ઘણા નામો ચાલી રહ્યા હતા. આ યાદીમાં પહેલું નામ વસુંધરા રાજેનું હતું. તે રાજસ્થાનની કમાન સંભાળી ચૂક્યા છે. આ સિવાય રાજસ્થાનમાં હિન્દુત્વના પોસ્ટર બોય બનેલા બાબા બાલકનાથનું નામ પણ ચર્ચામાં હતું. ગજેન્દ્ર શેખાવત, સીપી જોશી, દિયા કુમારી અને રાજવર્ધન રાઠોડ જેવા નામો પણ રેસમાં હતા.

નોંધનીય છે કે જે રીતે ભાજપ હાઈકમાન્ડે એમપી અને છત્તીસગઢમાં નિર્ણય લઈને સૌને ચોંકાવી દીધા હતા તે જોઈને રાજસ્થાનમાં ભાજપના તમામ 115 ધારાસભ્યોની આશા જાગી હતી કે તેમના નામ પણ સીલબંધ કવરમાં હોઈ શકે છે. રાજસ્થાનમાં પણ કંઈક આવું જ થયું.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જોખમમાં બાળપણ?Hun To Bolish : હું તો બોલીશ : આ ફાંકા ફોજદારનું સરઘસ ક્યારે?Surendranagar Hit and Run: સુરેન્દ્રનગરના સાયલામાં ડમ્પરે સ્કૂલવાનને મારી ટક્કર,અકસ્માતમાં એક વિદ્યાર્થીનું મોતEXCLUSIVE Interview with Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સાથે EXCLUSIVE વાતચીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
MI vs KKR: મુંબઈનો એકતરફી વિજય, કોલકાતાને ૮ વિકેટે ધૂળ ચટાડી
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ગુજરાત એસટી બસના ભાડા તો મોંઘા થયા, હવે ખાનગીવાળાનો વારો! મુસાફરોને લાગશે ડબલ ફટકો!
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ક્યાંક સ્કૂલ વાન તો ક્યાંક બાઈક! ગુજરાતમાં રસ્તા પર જાણે મોતનું માંડવો! અકસ્માતમાં એક જ દિવસમાં 4ના મોત અને 22થી વધુ લોકો ઘાયલ
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
ધોનીની વિકેટ લીધા બાદ સંદીપ શર્માએ કોને કર્યો Video કોલ? વાતચીત થઈ 'લીક'
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
PMJAY: આયુષ્યમાન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 7 એપ્રિલ સુધી નહીં મળે સારવાર, દર્દીઓ મુશ્કેલીમાં
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
Onion Price: ડુંગળીના ભાવ ગગડતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો, ખેડૂતો 200 રૂ. મણ ડુંગળી વેચવા મજબૂર
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
મ્યાનમાર ભૂકંપમાં મૃત્યુઆંક 2,000ની નજીક પહોંચ્યો, લોકોને બચાવવા હજુ પણ ચાલી રહ્યું છે રેસ્ક્યૂ ઓપરેશન
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
નેશનલ અને સ્ટેટ હાઇવે પરના ટોલ ટેક્સમાં 1 એપ્રિલથી વધારો, જાણો વ્હિકલ મુજબ નવા રેટ
Embed widget