શોધખોળ કરો

ગુજરાતના પડોશી રાજ્યમાં આજથી 10 દિવસનું ‘લોકડાઉન’, ગાઇડલાઇનનો ઉલાળિયો કરનારને થશે......

આજે રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન લાગુ રહેશે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અનેક પ્રતિબંધો લાગુ કરવા છતાં કોરોના નિયંત્રણમાં ન આવતાં આખરે મહારાષ્ટ્ર સરકારે કડક લોકડાઉન ગુરુવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રાતે ૮ વાગ્યાથી ૧ મે સવારે ૭ વાગ્યા સુધી લાદવામાં આવ્યું છે. સરકારે  બુધવારે મોડી રાતે કડક નવી નિયામવલી જારી કરી હતી. જેમાં સર્વ સરકારી કચેરીમાં ૧૫ ટકા કર્મચારીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથોસાથ આંતર જિલ્લા, આંતર શહેરમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને જ પ્રવેશ, બાકી સામાન્ય જનતાને નહીં. મુંબઈની લોકલ, મેટ્રો અને મોનો રેલ સેવામાં માત્ર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે. સામાન્ય જનતાને પ્રવેશ નહીં. લગ્ન સમારંભ અને સાર્વજનિક પરિવહન વ્યવસ્થા બાબતે પણ કડક નિયમાવલી છે. આ અગાઉ મુકાયેલા તમામ પ્રતિબંધો યથાવત્ રહેશે. એમ નવા નિયમાવલીમાં ઉલ્લેખ કરાયો છે. ગઈ કાલે યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉન નાંખવાનો નિર્ણય લીધો હતો.

  • એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ, ચોક્કસ કારણ હશે તેને પ્રવેશ મળશે, અત્યાવશ્યક સેવાના લોકોને માત્ર પરવાનગી.
  • આજે રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન લાગુ.
  •  મુંબઈ લોકલ ટ્રેન, મોનો અને મેટ્રો રેલમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને પરવાનગી. સામાન્ય જનતાને પરવાનગી નથી.
  • બધી સરકારી કચેરીમાં કર્મચારીઓને ૧૫ ટકા સુધી ઉપસ્થિત રહેશે.
  • તમામ ખાનગી ઓફિસો બંધ.
  • લગ્નસમારંભમાં ૨૫ લોકોની ઉપસ્થિતિમાં કરવાની રહેશે. માત્ર બે કલાકમાં લગ્ન વિધિ પતાવી પડશે. આ નિયમ તોડનારાને ૫૦ હજાર રૃપિયાનો દંડ લેવાશે.
  • ખાનગી વાહતૂક ફક્ત અત્યાવશ્યક સેવા પૂરતી.
  • સાર્વજનિક બસને ૫૦ ટકા ક્ષમતાની સાથે શરૃ પણ આંતર જિલ્લા અથવા આંતર શહેર પ્રવાસ કરી શકાશે નહીં.
  • ખાનગી બસમાં સામાન્ય નાગરિકો આંતર જિલ્લા અને આંતર શહેરમાં પ્રવાસ કરનારાને ૧૪ દિવસ ક્વોરન્ટીનનો હાથમાં સિક્કો મારવો પડશે.
  • મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭,૪૬૮ નવા કેસ નોંધાયા હતા અને ૫૬૮ દરદીને કોરોના ભરખી ગયો હતો. જ્યારે ૫૪,૯૮૫ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયો છે અને રાજ્યમાં હાલ કોરોનાના ૬,૯૫,૭૪૭  એક્ટિવ કેસ છે. જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લે છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨,૪૬,૧૪,૪૮૦ લોકોના ટેસ્ટ કરાયા હતા. આ પૈકી ૪૦,૨૭,૮૨૭ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અને મરણાંકની સંખ્યા વધીને ૬૧૯૧૧ થઈ છે. જ્યારે કોરોનાના ૩૨,૬૮,૪૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને ૮૧.૧૫ ટકા થયું છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.  મહારાષ્ટ્રમાં આજ દિને ૩૯,૧૫,૨૯૨ દરદી હોમ ક્વોરન્ટીન છે. જ્યારે ૨૮૩૮૪ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. થાણે, નાગુપર, નાશિક, અહમદનગર અને ઔરંગાબાદમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Bangladesh Violence: બાંગ્લાદેશમાં મીડિયા ઓફિસો આગના હવાલે,27 વર્ષમાં પહેલીવાર આલો અખબારનું પ્રકાશન રહ્યું બંધ
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Epstein Files Release: આખરે કેટલી સંપત્તિનો માલિક હતો જેફરી એપ્સટિન? જેમની ફાઈલોએ અમેરિકાને હચમચાવી નાખ્યું
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
આજે T20 વર્લ્ડ કપ માટે થશે ટીમ ઈન્ડિયાની જાહેરાત, કયા 5 મુદ્દાઓ પર રહેશે બધાની નજર?
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
Embed widget