શોધખોળ કરો

Lok Sabha Election Result: હજારો ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો, સવારે 8 વાગે શરુ થશે મતગણતરી, જાણો કઈ રીતે થાય છે કાઉન્ટિંગ 

દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે.

Lok Sabha Election Result:  દેશમાં 18મી લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ છે. 97 કરોડ મતદારોએ 543 લોકસભા બેઠકો માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો નિર્ણય કર્યો છે. તેમાંથી ગુજરાતની સુરત લોકસભા સીટ સિવાય 542 સીટો પર નિર્ણય આવતીકાલે એટલે કે 4 જૂન, 2024ના રોજ આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.

ચૂંટણી પંચ (ECI) દ્વારા રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવે છે, જેઓ આવતીકાલે એટલે કે 4 જૂને પારદર્શિતા સાથે અને કોઈપણ અવરોધ વિના મત ગણતરી હાથ ધરશે. લોકસભા ચૂંટણીમાં, મતોની ગણતરી રિટર્નિંગ ઓફિસર (RO) અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર (ARO) ની દેખરેખ હેઠળ મોટા હોલમાં થાય છે. આ સિવાય ચૂંટણી પંચ વતી એક વરિષ્ઠ અધિકારી નિરીક્ષક તરીકે તૈનાત છે.

મત ગણતરી શરૂ કરતા પહેલા રિટર્નિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર મતની ગુપ્તતા જાળવવાના શપથ લેશે. મતગણતરી શરૂ થાય તે પહેલા તેઓ મોટેથી બોલીને શપથ લે છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. જો કે, ખાસ સંજોગોમાં સમય પણ બદલી શકાય છે. સૌ પ્રથમ, બેલેટ પેપર અને ઈલેક્ટ્રોનિકલી ટ્રાન્સમિટેડ પોસ્ટલ બેલેટ સિસ્ટમ (ETPBS) દ્વારા પડેલા મતોની ગણતરી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે ચૂંટણી ફરજ પર તૈનાત સરકારી કર્મચારીઓ, સૈનિકો, દેશની બહાર ફરજ બજાવતા સરકારી અધિકારીઓ, વૃદ્ધ મતદારો અને નિવારક અટકાયતમાં રહેતા લોકો બેલેટ પેપર અને ETPBS દ્વારા મતદાન કરે છે. આ મતોની ગણતરી કરવામાં અડધો કલાક જેટલો સમય લાગે છે.

સવારે 8-30 વાગ્યા પછી, તમામ ટેબલો પર એકસાથે EVM મતોની ગણતરી શરૂ થાય છે. હોલમાં એક રાઉન્ડમાં 14 ઈવીએમના મતોની ગણતરી કરવામાં આવે છે.

મતગણતરી કેન્દ્ર પર હાજર રિટર્નિંગ ઓફિસર મતગણતરીનાં દરેક રાઉન્ડ પછી પરિણામ જાહેર કરે છે. ઉપરાંત ચૂંટણી પંચની વેબસાઈટ પર પણ અપડેટ કરવામાં આવે છે. સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થશે.

તમને જણાવી દઈએ કે દેશની 542 સીટો પર ચૂંટણી લડી રહેલા ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. જેમાંથી ગુજરાતમાં સુરત લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ જીત્યા હતા.                   

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યાં પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
India GDP Growth: નાણાકીય વર્ષ 2026માં GDP વૃદ્ધિ દર 7.7 ટકા રહ્યો, સરકારે જાહેર કર્યા આંકડા
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારીના માર વચ્ચે વધુ એક ઝટકો, શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો 
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
Rajkot: રાજકોટના અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત, કાર વૃક્ષ સાથે અથડાતા પૂજા રાજગોરનું મોત
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Embed widget