શોધખોળ કરો

'મોદી 3.0' ની નવી ટીમમાં કોણ, નવા મંત્રીઓની યાદીમાં કોના નામ ? કોણ થશે રિપીટ

લોકસભા ચૂંટણી (Lok Sabha Elections Result 2024) માં આ વખતે જનતાએ જે નિર્ણય કર્યો છે, તેનાથી સરકાર પણ બનશે અને મજબૂત વિપક્ષ પણ બનશે.

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી (Lok Sabha Elections Result 2024) માં આ વખતે જનતાએ જે નિર્ણય કર્યો છે, તેનાથી સરકાર પણ બનશે અને મજબૂત વિપક્ષ પણ બનશે. નરેંદ્ર મોદી (PM Narendra Modi) ના નેતૃત્વમાં કેંદ્રમાં સતત ત્રીજી વખત રાષ્ટ્રીય જનતાંત્રિત ગઠબંધન  (NDA) ની સરકાર બનવા જઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી (BJP) બહુમતના આંકડા 272 થી ઓછી બેઠક છે. તેને 240 બેઠકો મળી છે.  NDA ને 293 બેઠકો મળી છે. સત્તાની ચાવી NDAના બે મોટા ભાગીદારો નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુના હાથમાં જ રહેશે. ઈન્ડિયા ગઠબંધનના સાથી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ જેવા ચહેરા 232 બેઠકો સાથે વિપક્ષમાં હશે. મોદીએ બુધવારે બપોરે પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને સોંપ્યું  હતું. સાંજે તેઓ એનડીએના નેતા પણ ચૂંટાયા હતા. લોકસભા ભંગ કરી દેવામાં આવી છે. શપથ ગ્રહણ સમારોહ સૂત્રો પ્રમાણે 9 જૂને યોજાઈ શકે છે. આ દરમિયાન, નરેન્દ્ર મોદી સરકાર 3.0 માં કોને મંત્રી પદ મળી શકે તે અંગે અટકળોએ જોર પકડ્યું છે. 

દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ બાદ નરેન્દ્ર મોદી એવા પ્રથમ નેતા હશે જે સતત ત્રીજી વખત વડાપ્રધાન બનશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણીમાં જીતેલા તમામ મંત્રીઓને ફરીથી મંત્રી બનાવવામાં આવી શકે છે. આ ચૂંટણીમાં અમિત શાહે ગાંધીનગર (ગુજરાત), રાજનાથ સિંહ લખનઉ (યુપી), નીતિન ગડકરી  નાગપુર (મહારાષ્ટ્ર), પીયૂષ ગોયલ મુંબઈ ઉત્તર (મહારાષ્ટ્ર), ગજેન્દ્ર સિંહ શેખાવતે જોધપુર (રાજસ્થાન), ભૂપેન્દ્ર યાદવ અલવર (રાજસ્થાન)થી જીત્યા છે. આ સ્થિતિમાં તે ફરીથી નરેન્દ્ર મોદીની ટીમમાં જોવા મળી શકે છે. જોકે NDAમાં પોર્ટફોલિયોની વહેંચણી અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

લોકસભામાં ભાજપને બહુમતી ન મળવાને કારણે નવી કેબિનેટની રચના કરવી પીએમ મોદી માટે પડકાર છે. એવા પણ સમાચાર છે કે નવી સરકારમાં કેટલાક મંત્રીઓનું પુનરાવર્તન નહીં થાય. જ્યારે કેટલાક હારેલા નેતાઓને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેઠીથી ચૂંટણી હારેલા સ્મૃતિ ઈરાનીને ફરી મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે.

બંધારણીય જોગવાઈ અનુસાર સરકારના મંત્રી પરિષદમાં લોકસભાના કુલ સભ્યોની સંખ્યાના 15 ટકા સુધી મંત્રીઓ હોઈ શકે છે. એટલે કે તેમની ટીમમાં વડાપ્રધાન સિવાય 78 મંત્રીઓ સામેલ થઈ શકે છે.

NDAના સહયોગી ટીડીપીએ ચૂંટણીમાં 15 બેઠકો જીતી છે, જ્યારે જેડીયુએ 12 બેઠકો જીતી છે. એનડીએમાં ભાજપ પછી આ બંને પક્ષો સંખ્યાત્મક તાકાતમાં સૌથી મોટા છે. એવું માનવામાં આવે છે કે બંને પક્ષો પોતાના માટે કેટલીક મોટી માંગ કરી શકે છે. ધ્યાનમાં રાખો કે સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ પહેલાથી જ સંસદમાં છે. એસ જયશંકર અને નિર્મલા સીતારમણની જેમ આ બંને પણ રાજ્યસભાના સભ્ય છે.

મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી સૌથી આગળ છે. પરંતુ સાથી પક્ષોની માંગણીઓ પણ જોવી પડશે. એનડીએના ઘટક પક્ષો પ્રત્યે તે કેટલી નરમાઈ દાખવે છે તે જોવું ભાજપ માટે મોટો પડકાર હશે. ભવિષ્યમાં તેના સાથીદારો ગુસ્સે ન થાય તે પણ જોવાનું રહેશે. જો કે એનડીએના તમામ ઘટક પક્ષો આ સમયે સંપૂર્ણ એકતા બતાવી રહ્યા છે.

ઘણા પૂર્વ સીએમ પણ મંત્રી પદ માટે દાવો કરી શકે છે

મોદી સરકારની ત્રીજી ઈનિંગ માટે જે ટીમ બનાવવામાં આવી રહી છે તેમાં પૂર્વ મુખ્યમંત્રીઓનો પણ સમાવેશ થઈ શકે છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબને ટીમ મોદીમાં સામેલ કરવામાં આવી શકે છે.  ભાજપના સહયોગી 'હમ'ના નેતા જીતન રામ માંઝીનો પણ ચૂંટણી જીતેલા પૂર્વ મુખ્યમંત્રીઓમાં સમાવેશ થાય છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget