શોધખોળ કરો
મહારાષ્ટ્ર: કોલેજની બસ 500 ફૂટ ખીણમાં ખાબકી, 32 લોકોના મોત

મુંબઈ:મુંબઈની નજીક 100 કિલોમીટર દૂર મોટી દુર્ઘટના સર્જાઈ હતી. મહારાષ્ટ્રના રાયગડમાં થયેલી એક મોટી દુર્ઘટનામાં એક કોલેજની બસ ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં 32 લોકોના મોત થયા છે અને આઠ લોકો ઘાયલ થયા છે. શનિવારે સવારે રાયગઢ અને સતારા જિલ્લાની સરહદે આ ઘટના બની હતી. આ બસમાં કોલેજનો 40 લોકોનો સ્ટાફ સવાર હતો. આ દુર્ઘટના રાયગડના અંબેનાલીમાં બન્યો છે. આ બસ ડૉક્ટર બાલાસાહેબ સાવંત કોંકણ કૃષિ વિદ્યાપીઠની હતી. હાલ ઘટના સ્થળે એનડીઆરએફી ટીમ પહોંચી ગઈ છે અને બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ખીણની ઉંડાઈ વધારે હોવાને કારણે બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી છે.
વધુ વાંચો





















