શોધખોળ કરો

Dussehra 2022: આ ગામમાં રાવણનું 'દહન' નહીં પણ 'આરતી' ઉતારવામાં આવે છે, કારણ છે દિલચસ્પ

આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે.

Dussehra 2022: વિજયાદશમીના દિવસે દેશભરમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પૂતળાનું દહન કરવામાં આવે છે. આજે દેશના વિવિધ શહેરો અને ગામડાઓમાં રાવણ દહનના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવશે. તો આજે તમને અમે જણાવી રહ્યા છીએ એક એવું ગામ જ્યાં રાવણનું દહન નહીં પણ રાવણની આરતી ઉતારવામાં આવે છે. 

અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રમાં આવેલા અકોલા જિલ્લાના સંગોલા ગામની. આ ગામમાં દશેરાની ઉજવણી થોડી અલગ રીતે કરવામાં આવે છે. અહીં રાજા રાવણની આરતી કરવામાં આવે છે. ગામના લોકો માને છે કે તેઓ રાજા રાવણના આશીર્વાદને કારણે નોકરી કરે છે. જેના કારણે તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે છે અને રાક્ષસ રાજને કારણે તેમના ગામમાં શાંતિ અને સુખ છે.

300 વર્ષ જૂની પરંપરા

સ્થાનિક લોકોનું માનવું છે કે, ગામમાં છેલ્લા 300 વર્ષથી રાવણની બુદ્ધિ અને તપસ્વી ગુણો માટે તેમની પૂજા કરવાની પરંપરા ચાલી રહી છે. ગામની મધ્યમાં 10 માથાવાળી રાવણની ઉંચી કાળા પથ્થરની પ્રતિમા છે. સ્થાનિક રહેવાસી ભીવાજી ઠાકરેએ આજે દશેરાના અવસર પર જણાવ્યું હતું કે, ગામલોકો ભગવાન રામમાં માને છે, પરંતુ તેઓ રાવણમાં પણ માને છે અને તેથી જ રાવણના પૂતળાનું દહન નથી કરવામાં આવતું.

દૂર દૂરથી લોકો આવે છે

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, દેશભરમાંથી લોકો દર વર્ષે દશેરાના દિવસે આ નાના ગામમાં લંકાના રાજાની પ્રતિમા જોવા આવે છે અને કેટલાક લોકો પૂજા પણ કરે છે. સંગોલાના રહેવાસી સુબોધ હાટોલેએ જણાવ્યું કે, આજે મહાત્મા રાવણના આશીર્વાદથી ગામમાં ઘણા લોકો કામ કરી રહ્યા છે. દશેરાના દિવસે અમે મહા-આરતી સાથે રાવણની મૂર્તિની પૂજા કરીએ છીએ. ઠાકરેએ કહ્યું કે કેટલાક ગ્રામજનો રાવણને વિદ્વાન માને છે અને માને છે કે, તેણે રાજકીય કારણોસર સીતાનું અપહરણ કર્યું હતું અને તેની પવિત્રતા જાળવી રાખી હતી.

ગામમાં સુખ, શાંતિ રાવણના કારણે છે

સ્થાનિક મંદિરના પૂજારી હરિભાઉ લખડેએ જણાવ્યું હતું કે, જ્યારે દેશના બાકીના ભાગોમાં દશેરા પર રાવણના પૂતળા બાળવામાં આવે છે, જે અધર્મ પર ધર્મની જીત દર્શાવે છે. સંગોલાના રહેવાસીઓ શાણપણ અને તપસ્વી ગુણો માટે લંકાના રાજાની પૂજા કરે છે. લખડેએ કહ્યું કે, તેમનો પરિવાર લાંબા સમયથી રાવણની પૂજા કરે છે અને દાવો કરે છે કે, ગામમાં સુખ, શાંતિ અને સંતોષ લંકાના રાજાને કારણે જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
Bomb Threat: દિલ્હી વિધાનસભાને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, બજેટ પહેલા હાઈ એલર્ટ
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ટ્રમ્પના શાંતિવાળા એલાન બાદ ઝૂકવા તૈયાર નથી ઈરાન, અમેરિકાએ આપ્યું અલ્ટીમેટમ- 'ગેરંટી આપો નહીં તો, માથા બદલે માથું...’
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
ના Google, ના સોશ્યલ મીડિયા, 2026 માં પણ આ દેશ સુધી નથી પહોંચ્યું ઇન્ટરનેટ, જાણો કઈ રીતે થાય છે અહીં કામ
1 એપ્રિલથી મોંઘી થઈ શકે છે હવાઈ સફર, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે એરલાઈન્સ કંપનીઓ વધારશે ભાડુ !
1 એપ્રિલથી મોંઘી થઈ શકે છે હવાઈ સફર, ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે એરલાઈન્સ કંપનીઓ વધારશે ભાડુ !

વિડિઓઝ

Ambalal Patel Predication : આંધી-વંટોળ સાથે આવશે વરસાદ , અંબાલાલની ચોંકાવનારી આગાહી
Donald Trump Big Statement : ટ્રમ્પ સાથે વાતચીતનો ઇરાને કર્યો ઇનકાર
Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા CMની અપીલ, કહ્યું- 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી'
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
8th Pay Commission: રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર ! સરકાર આપવા જઈ રહી છે રામ નવમીની ભેટ
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Surat News: સુરતના કાપોદ્રામાં એસટી બસમાં લાગી આગ, તમામ 51 મુસાફરોનો આબાદ બચાવ 
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
Iran Isreal US War: ઈસ્લામાબાદમાં બેઠક કરી શકે છે અમેરિકા અને ઈરાન, મધ્યસ્થીની ભૂમિકામાં આ ત્રણ મુસ્લિમ દેશ
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
T20I series: સાઉથ આફ્રિકા સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, અનુષ્કા શર્માની સરપ્રાઈઝ એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Dhurandhar 2 Box Office Day 5: 'ધુરંધર-2'એ પાંચમા દિવસે તોડ્યા તમામ રેકોર્ડ, 500 કરોડની ક્લબમાં એન્ટ્રી
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
Jasprit Bumrah Injury: શું જસપ્રીત બુમરાહ છે ઈજાગ્રસ્ત? IPL 2026 અગાઉ MIની વધી ચિંતા
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
નવી કાર માટે કેમ જરૂરી છે પ્રથમ ત્રણ સર્વિસ? જાણો તમામ જરૂરી વાતો
Embed widget