શોધખોળ કરો

Maharashtra Political Crisis: આ 5 કારણો જેનાથી સરકાર ચલાવી રહેલી 'શિવસેના'માં થયો બળવો

મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે અને આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યા છે.

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે. શિવસેનાના ઘણા ધારાસભ્યોએ બળવો કર્યો છે અને આ બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ ઉદ્ધવ સરકારના મંત્રી એકનાથ શિંદે કરી રહ્યા છે. હાલ એકનાથ શિંદેની સાથે 30 થી વધુ ધારાસભ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ધારાસભ્યોએ કરેલા આ બળવાથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ખુરશી પર ખતરો છે. ત્યારે સતત એ પ્રશ્ન પુછાઈ રહ્યો છે કે, આ બળવો થવાનું કારણ શું છે? એવું તો શું થયું કે શિવસેનાના ધારાસભ્યો તેમની સરકાર સામે જ બળવો પોકારી રહ્યા છે? આ પ્રશ્નોના જવાબ આ રિપોર્ટમાં વાંચો.

ગઠબંધનથી ખુશ નહોતા શિવસેનાના MLA:
2019માં જ્યારે કોંગ્રેસ અને એનસીપીની સાથે શિવસેનાએ ગઠબંધન કરવાનો નિર્ણય કર્યો ત્યારથી જ શિવસેનાના ધારાસભ્યોમાં નારાજગી હોવાના અહેવાલ આવ્યા હતા. જો કે, એ સમયે ઠાકરે પરિવાર સામે કોઈએ પોતાની નારાજગી વ્યક્ત ના કરી. શિવસૈનિકોનું માનવું છે કે, એનસીપી અને કોંગ્રેસ શિવસેનાની વિચારધારથી વિરુદ્ધ છે. બાલા સાહેબ ઠાકરેનું આ પાર્ટીઓ સન્માન નથી કરતી.

NCPએ શિંદેનું CM પદ છિનવ્યુંઃ
જ્યારે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીનું જોડાણ થઈ રહ્યું હતું ત્યારે એકનાથ શિંદે મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ હતા. કહેવાય છે કે, મુખ્યમંત્રી તરીકે શિવસેનાએ એકનાથ શિંદેના નામનો પ્રસ્તાવ મુક્યો હતો પરંતુ ત્યારે એનસીપીના પ્રમુખ શરદ પવારે આ પ્રસ્તાવનો અસ્વિકાર કર્યો હતો અને કહ્યું હતું કે ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યમંત્રી બને તે બરાબર રહેશે. આ નિર્ણયથી એકનાથ શિંદેના નજીકના ધારાસભ્યો નારાજ થયા હતા.

ધારાસભ્યોના નહોતા મળતા ઉદ્ધવઃ
ધારાસભ્યોની નારાજગીનું એક મોટું કારણ એ પણ છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હંમેશા તેમના ધારાસભ્યો અને નેતાઓ સાથે ઓછી મુલાકાત કરતા હતા. તેમનું મોટાભાગનું કામ ઉદ્ધવના પુત્ર આદિત્ય ઠાકરે જ કરતા હતા. 

વિકાસ માટે ફંડ નહોતું મળતુંઃ
ઘણા શિવસેના MLAએ ફરિયાદ કરી ચુક્યા છે કે, તેમના વિસ્તારના વિકાસ માટે તેમને ફંડ નથી મળતું. મહારાષ્ટ્રમાં હાલ નાણા મંત્રાલય અને ડેપ્યુટી સીએમનું પદ NCPના અજીત પવાર પાસે છે. આરોપ તો એવા પણ લાગે છે કે, અજીત પવાર NCPના ધારાસભ્યોનું ફંડ પાસ કરે છે પણ શિવસેનાના ધારાસભ્યોનું નથી. આ આરોપ કોંગ્રેસના ધારાસભ્યો પણ લગાવે છે.

હિન્દુત્વનો મુદ્દોઃ
કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવનારા ઉદ્ધવ ઠાકરે ઉપર સતત એવો આરોપ પણ લાગ્યો છે કે, તેમણે હિન્દુત્વના મુદ્દે સમાધાન કર્યું છે. પાલઘરમાં સાધુઓની લિંચિંગ, મસ્જિદમાં અજાન, રસ્તા પર નમાજ અને હનુમાન ચાલીસા જેવા મુદ્દા પર ઉદ્ધવ ઠાકરેના વલણ સામે શિવસૈનિકોની નારાજગી હતી. જ્યારે રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને ટીકા કરી ત્યારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કોઈ નિવેદન નહોતું આપ્યું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat: પૂર્વ કોર્પોરેટરની ખંડણીના કેસમાં ધરપકડ કરવા SOGની ટીમ ઘુસી બાલ્કનીમાંથી ઘરમાં.. જુઓ વીડિયોમાંSurat: AAPના 8 કોર્પોરેટર સહિત 9 લોકો સામે નોંધાઈ રાયોટિંગની ફરિયાદ, જુઓ વીડિયોમાંAhemdabad: પનીર ખરીદતા પહેલા ચેતી જજો, શ્રીકિષ્ના ડેરીમાંથી ઝડપાયો નકલી પનીરનો જથ્થોSurat Crime: લગ્નની લાલચ આપી ઓળખ છુપાવી નરાધમે આચર્યુ મહિલા પર દુષ્કર્મ, જાણો આખો મામલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
વિધાનસભામાં કલાકારોને આમંત્રણનો વિવાદઃ ઠાકોર સમાજ બાદ હવે આદિવાસી કલાકારોની ઉપેક્ષાનો ચૈતર વસાવાનો આરોપ
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
SRH vs LSG live score: હૈદરાબાદ અને લખનૌ ટકરાશે, જાણો કોણ હશે પ્લેઇંગ ઇલેવનમાં!
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
World News: ઇજિપ્તમાં મોટી દૂર્ઘટના! 44 લોકો સાથે દરિયામાં ડૂબી સબમરીન
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
ભારત આવી રહ્યાં છે પુતિન, રશિયા-યૂક્રેન યુદ્ધ વચ્ચે મોટો પ્રવાસ, પીએમ મોદીને લઇને કહી દીધી આ વાત
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
વલસાડના ઉમરગામમાં હૃદયદ્રાવક ઘટના: પતિ, પત્ની અને બાળકની સામૂહિક આત્મહત્યા
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી',  CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
Gandhinagar: ' હવે સરકાર ઉતારશે લોકોની ચરબી', CMની અધ્યક્ષતામાં “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત' માટે સ્ટીયરિંગ કમિટીની રચના
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
સરકાર શરુ કરશે Ola-Uber-Rapido જેવી Taxi સર્વિસ, અમિત શાહે કરી મોટી જાહેરાત
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Nikki Sharma: રણવીર અલ્હાબાદિયા પર તૂટ્યો વધુ એક પહાડ! વિવાદ બાદ હવે ગર્લફ્રેન્ડ સાથે થઈ ગયું બ્રેકઅપ?
Embed widget