શોધખોળ કરો

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં ભૂસ્ખલનની મોટી દુર્ઘટના, બસમાં સવાર 60 લોકો દટાયા

વિધાનસભા સત્ર દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટનાની પુષ્ટી કરી હતી. એક મહિનામાં ઓછામાં ઓછી કિન્નૌરમાં ભૂસ્ખલનની આ બીજી ઘટના છે.

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં એકવાર ફરી ભૂસ્ખલનની ઘટનાએ  તબાહી મચાવી છે. આ ભૂસ્ખલનની ઘટનામાં 50થી 60 લોકો કાટમાળમાં દબાયા હોવાની આશંકા છે. ડિપ્ટી કમિશનર સાદિક હુસૈને આ જાણકારી આપી હતી. વિધાનસભા સત્ર દરમિયાન હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે આ ઘટનાની પુષ્ટી કરી હતી. એક મહિનામાં ઓછામાં ઓછી કિન્નૌરમાં ભૂસ્ખલનની આ બીજી ઘટના છે. મુખ્યમંત્રીએ કહ્યું કે ભૂસ્ખલનના કારણે કાટમાળમાં 50થી 60 લોકો દટાયા હોવાની આશંકા છે. બચાવ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં બસના ડ્રાઇવર અને કંડક્ટર સહિત ચાર લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલમાં આર્મી, આઇટીબીપી, એનડીઆરએફ અને પોલીસ ટીમો બચાવ અભિયાનમાં જોડાઇ છે. હિમાચલ સરકાર કહ્યું કે અત્યાર સુધી બે લોકોના મોત થયાની પુષ્ટી થઇ છે. જ્યારે છ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બસના ડ્રાઇવરે કહ્યું કે કેટલાક વાહનો ભૂસ્ખલનના કારણે નદીમાં પડ્યા છે.

દુર્ઘટનામાં બસની સાથે અન્ય પાંચ નાના વાહનો દટાયા હોવાની આશંકા છે. પહાડ ઘસી ગયા બાદ નેશનલ હાઇવે નંબર પાંચ બ્લોક થઇ ગયો છે. કાટમાળમાં હિમાચલ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસની સાથે એક ટ્રક અને એક ગાડી પણ દટાયેલી જોઇ શકાય છે. કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હજુ પણ પહાડ પરથી માટી અને પથ્થરો પડી રહ્યા છે જેના કારણે બચાવ અભિયાનમાં અડચણ આવી રહી છે. એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી ચૂકી છે. તે સિવાય સ્થાનિક પ્રશાસન પણ બચાવ અભિયાનમાં જોડાયા છે.

ડિપ્ટી કમિશનરે કહ્યુ કે કાળમાળની નીચે 50થી 50 મુસાફરો ભરેલી સરકારી બસ સાથે અનેક વાહન દટાયા છે. એનડીઆરએફની સાથે સ્થાનિક બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સાથે ફોન પર વાત કરી હતી. વડાપ્રધાને મુખ્યમંત્રી જયરામ ઠાકુરને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદનું આશ્વાસન આપ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર સાથે આ દુર્ઘટના વિશે વાત કરી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'સબ ગૉડાઉન કો સીલ કરવા દુંગા' - 1 હજારમાંથી 600 ઓઇલ મીલરો ભેળસેળ કરતાં હોવાનો નીતિન પટેલનો આરોપ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
Mukesh Ambaniની દિવાળી ગિફ્ટ! ફક્ત 13,000 રૂપિયા આપીને ઘરે લઇ જઇ શકો છો iPhone 16, જાણો સ્કીમ
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું
Embed widget