શોધખોળ કરો

મમતા બેનર્જીએ માંગ્યા એરસ્ટ્રાઇકના પુરાવા, PM મોદીને પૂછ્યું- કેટલા આતંકી માર્યા?

નવી દિલ્હીઃ પુલવામા આતંકી હુમલાને લઇને કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકાર પર સવાલ ઉઠાવ્યા બાદ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે સરકાર પાસે એરસ્ટ્રાઇકના પુરાવા માંગ્યા છે. મમતા બેનર્જીએ કહ્યું કે, પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ વડાપ્રધાને કોઇ સર્વપક્ષીય બેઠક બોલાવી નથી. મમતા બેનર્જીએ કહ્યું કે સરકારને ઓપરેશનની જાણકારી જણાવવા કહ્યું છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ જૈશના આત્મઘાતી હુમલાખોરે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવ્યો હતો જેમાં 40 જવાનો શહીદ થયા હતા. મસૂદ અઝહરના આતંકી સંગઠનને જવાબ આપવા 26 ફેબ્રુઆરીની રાત્રે ઇન્ડિયન એરફોર્સે પાકિસ્તાની સરહદમાં ઘૂસીને જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. આ એરસ્ટ્રાઇકે પાકિસ્તાનમાં હલચલ મચાવી દીધી હતી. દેશમાં તમામ રાજકીય પક્ષોએ ઇન્ડિયન એરફોર્સના પરાક્રમને સલામ કરી હતી. વિદેશ મંત્રાલયે પોતાની સતાવાર પ્રેસ કોન્ફરન્સમાં મોતના કોઇ આંકડા આપ્યા નથી પરંતુ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે જૈશના કેમ્પ પર જે એરસ્ટ્રાઇક કરવામાં આવી છે જેમાં આતંકી જૂથના કમાન્ડરો સહિત મોટી સંખ્યામાં આતંકીઓને મારવામાં આવ્યા છે. જોકે, પાકિસ્તાને આ એરસ્ટ્રાઇકથી કોઇ પણ પ્રકારના નુકસાન ન થયાનો દાવો કર્યો હતો. આ એરસ્ટ્રાઇકને લઇને મમતા બેનર્જીએ નરેન્દ્ર મોદી  સરકાર પાસે જવાબ માંગ્યો છે. તેમણે કહ્યું કે, વિપક્ષ હોવાના કારણે અમે ઓપરેશન અને એરસ્ટ્રાઇકની પુરી જાણકારી ઇચ્છીએ છીએ. સરકાર જણાવે કે ક્યાં બોમ્બ ફેંક્યો અને કેટલા લોકો તેમાં માર્યા ગયા છે. બેનર્જીએ વડાપ્રધાન મોદી પર ચૂંટણી અગાઉ જવાનોના ખૂન પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. મમતાએ કહ્યું કે, જવાનો સાથે આવું કોઇ કેવી રીતે કરી શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
Embed widget