શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાએ મોર્ચો સંભાળ્યો

મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી.

Manipur Violence Update: મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી. સુરક્ષાકર્મીઓ સ્થળ પર હાજર છે. સેનાએ કહ્યું કે આજે સવારે ઇમ્ફાલની બહારના વિસ્તારમાં સંભવિત અથડામણના ઇનપુટ્સના જવાબમાં  સેના અને આસામ રાઇફલ્સની ટુકડીને રવાના કરવામાં આવી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2 હથિયારો મળી આવ્યા છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે કહ્યું કે ગઈકાલે રાત્રે ઈમ્ફાલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે અને સિંગલ બેરલ ગન કબજે કરી છે. હું રાજ્યના લોકોને સરકારમાં વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સેનાની સાથે રાજ્ય સુરક્ષા દળો અને પેરામેડિકલ ફોર્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

70 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, હજારો લોકો તેમના ઘર છોડી ગયા

3 મેના રોજ, મણિપુરમાં આદિવાસી એકતા માર્ચ દરમિયાન  અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા શરૂ થઈ ત્યારથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસા દરમિયાન કરોડોની સંપત્તિને આગ લગાડવામાં આવી હતી અને હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. જેઓ હવે સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં રહી રહ્યા છે. કુકી સમુદાયનો આરોપ છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય સરકાર તેમને તેમના ઘરોમાંથી જંગલો અને પહાડોમાં ભગાડવાના હેતુથી તેમને નિશાન બનાવી રહી છે.

સેના અને અર્ધલશ્કરી દળો તૈનાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને બંને સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. મણિપુરમાં મૈતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી સમુદાયો - નગા અને કુકી સહિત - વસ્તીના લગભગ 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે. પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
આનંદીબેન પટેલે યુપીમાં સરકારી હોસ્ટેલોમાં ભોજનની ગુણવત્તાની ખોલી પોલ, કહ્યું - 'ગુજરાતમાં પણ ટેસ્ટિંગ પહેલા જ સેમ્પલ બદલાઈ જતાં'
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Train News: 3 AC, સ્લીપર કે ચેર કાર? ટ્રેનમાં લાંબી મુસાફરી માટે ક્યો વિકલ્પ છે બેસ્ટ?
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ
Ayodhya Ram Mandir Tatkal Pass: રામ મંદિરમાં VIP દર્શન બંધ, હવે આ રીતે બુક કરો તત્કાલ પાસ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
8th Pay: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, ફિટમેન્ટ ફેક્ટર, HRA અને પગાર વધારાની તમામ ડિટેલ, જાણો
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
પોખરાજ કઈ રાશિઓ માટે લકી? જાણો ધારણ કરવાની વિધિ અને તેના લાભ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Embed widget