શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાએ મોર્ચો સંભાળ્યો

મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી.

Manipur Violence Update: મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી. સુરક્ષાકર્મીઓ સ્થળ પર હાજર છે. સેનાએ કહ્યું કે આજે સવારે ઇમ્ફાલની બહારના વિસ્તારમાં સંભવિત અથડામણના ઇનપુટ્સના જવાબમાં  સેના અને આસામ રાઇફલ્સની ટુકડીને રવાના કરવામાં આવી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2 હથિયારો મળી આવ્યા છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે કહ્યું કે ગઈકાલે રાત્રે ઈમ્ફાલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે અને સિંગલ બેરલ ગન કબજે કરી છે. હું રાજ્યના લોકોને સરકારમાં વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સેનાની સાથે રાજ્ય સુરક્ષા દળો અને પેરામેડિકલ ફોર્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

70 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, હજારો લોકો તેમના ઘર છોડી ગયા

3 મેના રોજ, મણિપુરમાં આદિવાસી એકતા માર્ચ દરમિયાન  અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા શરૂ થઈ ત્યારથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસા દરમિયાન કરોડોની સંપત્તિને આગ લગાડવામાં આવી હતી અને હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. જેઓ હવે સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં રહી રહ્યા છે. કુકી સમુદાયનો આરોપ છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય સરકાર તેમને તેમના ઘરોમાંથી જંગલો અને પહાડોમાં ભગાડવાના હેતુથી તેમને નિશાન બનાવી રહી છે.

સેના અને અર્ધલશ્કરી દળો તૈનાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને બંને સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. મણિપુરમાં મૈતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી સમુદાયો - નગા અને કુકી સહિત - વસ્તીના લગભગ 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે. પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?

વિડિઓઝ

Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
RRP Semiconductor Ltd : RRP સેમીકંડક્ટરની તેજી પર સવાલો, 20 મહિનામાં 55 હજાર ટકા રિટર્ન
Surat News: સુરતના માંડવીમાં ધર્માંતરણના કેસમાં વધુ બે આરોપીની ધરપકડ
Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Weather forecast: રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી, સાથે માવઠાની આગાહી, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
Delhi Pollution: દિલ્લીમાં પેટ્રોલ, ડીઝલ કે CNGની કઇ ગાડીને મળશે એન્ટ્રી? શું છે, GRAP સ્ટેજ 4?
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
 Bangladesh Violence: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની મોબ લિંચિંગ 7 અરેસ્ટ, જાણો અપડેટ્સ
Embed widget