શોધખોળ કરો

Manipur Violence: મણિપુરના ઈમ્ફાલમાં ફરી હિંસા ભડકી, સેનાએ મોર્ચો સંભાળ્યો

મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી.

Manipur Violence Update: મણિપુરના ઇમ્ફાલમાં સોમવારે (22 મે) ફરી હિંસા ફાટી નીકળ્યા બાદ ભારતીય સેનાને બોલાવવામાં આવી છે. ઇમ્ફાલના ન્યૂ લેમ્બ્યુલેન વિસ્તારમાં  બદમાશોએ ખાલી મકાનોને આગ લગાવી દીધી. સુરક્ષાકર્મીઓ સ્થળ પર હાજર છે. સેનાએ કહ્યું કે આજે સવારે ઇમ્ફાલની બહારના વિસ્તારમાં સંભવિત અથડામણના ઇનપુટ્સના જવાબમાં  સેના અને આસામ રાઇફલ્સની ટુકડીને રવાના કરવામાં આવી હતી. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 2 હથિયારો મળી આવ્યા છે. સ્થિતિ શાંતિપૂર્ણ છે.

મણિપુરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે કહ્યું કે ગઈકાલે રાત્રે ઈમ્ફાલમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા. પોલીસે ગુનેગારની ધરપકડ કરી છે અને સિંગલ બેરલ ગન કબજે કરી છે. હું રાજ્યના લોકોને સરકારમાં વિશ્વાસ રાખવાની અપીલ કરું છું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સેનાની સાથે રાજ્ય સુરક્ષા દળો અને પેરામેડિકલ ફોર્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે.

70 થી વધુ લોકો મૃત્યુ પામ્યા, હજારો લોકો તેમના ઘર છોડી ગયા

3 મેના રોજ, મણિપુરમાં આદિવાસી એકતા માર્ચ દરમિયાન  અનુસૂચિત જનજાતિ (ST) દરજ્જાની મૈતેઇ સમુદાયની માંગના વિરોધમાં હિંસા ફાટી નીકળી હતી. હિંસા શરૂ થઈ ત્યારથી મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની અથડામણમાં 70 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.


રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. હિંસા દરમિયાન કરોડોની સંપત્તિને આગ લગાડવામાં આવી હતી અને હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી હતી. જેઓ હવે સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં રહી રહ્યા છે. કુકી સમુદાયનો આરોપ છે કે મુખ્યમંત્રી એન બિરેન સિંહની આગેવાની હેઠળની રાજ્ય સરકાર તેમને તેમના ઘરોમાંથી જંગલો અને પહાડોમાં ભગાડવાના હેતુથી તેમને નિશાન બનાવી રહી છે.

સેના અને અર્ધલશ્કરી દળો તૈનાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિંસામાં સામેલ લોકો સામે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું અને બંને સમુદાયના પ્રતિનિધિઓને મળ્યા હતા. મણિપુરમાં મૈતેઈ સમુદાયની વસ્તી લગભગ 53 ટકા છે અને તેઓ મોટાભાગે ઈમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસી સમુદાયો - નગા અને કુકી સહિત - વસ્તીના લગભગ 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે. પૂર્વોત્તર રાજ્યમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સેના અને અર્ધલશ્કરી દળોના લગભગ 10,000 જવાનોને તૈનાત કરવા પડ્યા હતા. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget