શોધખોળ કરો

General Knowledge: રાજઘાટ પર કેવી રીતે થાય છે કોઈપણના અંતિમ સંસ્કાર, શું હોય છે પ્રોટોકોલ?

General Knowledge: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થઈ શકે છે. રાજઘાટ પર અંતિમ સંસ્કાર માટે ઘણા નિયમો છે. સામાન્ય રીતે અહીં પૂર્વ વડાપ્રધાનો અને ખાસ લોકોના જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

Manmohan Singh Cremation: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. ગુરુવારે રાત્રે ઘરે બેહોશ થયા પછી, તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે રાત્રે 9.51 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મનમોહન સિંહના નિધન બાદ ભારત સરકારે 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન રાષ્ટ્રધ્વજ અડધી કાઠી પર લહેરાવવામાં આવશે.

પૂર્વ વડાપ્રધાન અને અર્થશાસ્ત્રી મનમોહન સિંહના પાર્થિવ દેહને તેમના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો છે. જ્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુથી લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજકીય જગતના લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. મળતી માહિતી મુજબ મનમોહન સિંહના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે. તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવશે, જ્યાંથી તેમની અંતિમ યાત્રા નિકળશે. મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થઈ શકે છે. રાજઘાટ મહાત્મા ગાંધીની સમાધિ છે. ઘણા પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ કે રાજઘાટ પર કયા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે? અહીં શું પ્રોટોકોલ છે અને અત્યાર સુધી રાજઘાટ પર કયા લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે?

મૃતદેહને તિરંગામાં લપેટવામાં આવશે

કોઈપણ ભૂતપૂર્વ વડા પ્રધાનના મૃત્યુ પર, તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવે છે. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવે છે. આ ઉપરાંત પૂર્વ પીએમને 21 તોપોની સલામી પણ આપવામાં આવી છે. સામાન્ય રીતે, કોઈપણ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર ફક્ત ખાસ સ્મારક સ્થળ પર જ થાય છે. જો કે, અંતિમ સંસ્કાર ક્યાં થશે તેનો નિર્ણય પરિવારના સભ્યો અને સરકાર દ્વારા લેવામાં આવે છે. જો પરિવારના સભ્યો ઈચ્છે તો તેમના અંતિમ સંસ્કાર પણ તેમના ગૃહ રાજ્યમાં કરી શકાય છે.

રાજઘાટ પર ખાસ પ્રોટોકોલ છે

માનવામાં આવે છે કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર રાજઘાટ પર થઈ શકે છે. જો કે તેની અંતિમ જાહેરાત કરવામાં આવી નથી. રાજઘાટ પર અંતિમ સંસ્કાર માટે ઘણા નિયમો છે. સામાન્ય રીતે અહીં પૂર્વ વડાપ્રધાનો અને ખાસ લોકોના જ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. રાજઘાટ પર અંતિમ સંસ્કાર સમયે, વિશેષ સુરક્ષા પ્રોટોકોલ સાથે સંપૂર્ણ રાજકીય સન્માનનું પાલન કરવામાં આવે છે. પૂર્વ પીએમના અંતિમ સંસ્કાર વખતે વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીઓ પણ હાજર હોય છે. આ સિવાય આર્મી બેન્ડ અને સશસ્ત્ર દળના જવાનો પણ અંતિમ સંસ્કારમાં ભાગ લે છે.

રાજઘાટ પર કોના કોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા?

મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટ પર છે. જો કે, ઘણા પૂર્વ વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર અહીં કરવામાં આવ્યા છે. પૂર્વ વડાપ્રધાન જવાહર લાલ નેહરુ, ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, અટલ બિહારી વાજપેયી સહિત અનેક વડાપ્રધાનોના અંતિમ સંસ્કાર રાજઘાટ પર કરવામાં આવ્યા છે. આવી હસ્તીઓ માટે રાજઘાટ પાસે એક અલગ સમાધિ સ્થળ પણ બનાવી શકાય છે.

આ પણ વાંચો....

મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા... મનમોહન સિંહના નિધન પર ભાવુક થયા રાહુલ ગાંધી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  

વિડિઓઝ

AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર ફેંકાયું જૂતું, હાજર લોકોએ શખ્સની કરી ધોલાઈ
Hun To Bolish | હું તો બોલીશ | વાંઢા નગરી'?
Hun To Bolish | હું તો બોલીશ | કોણ ગણશે અને કોણ પકડશે કૂતરા ?
Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ક્રૂડ ઓઇલ સપ્લાય, ન્યૂક્લિયર પ્લાન્ટ અને સ્પેસ સેક્ટરમાં મદદ... પુતિનના પ્રવાસથી ભારતને શું મળ્યું ?
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
ખુશખબરી! બે સરકારી બેંકોએ સસ્તી કરી લોન, RBI રેપો રેટમાં ઘટાડા બાદ વ્યાજ દરમાં કર્યો ઘટાડો
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
કરોડો સ્માર્ટફોન પર વાયરસ એટેકનો ખતરો, OTP વગર ખાતામાંથી ઉપડી જશે પૈસા, જાણો કઈ રીતો બચશો 
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
15-30 ટકા વધી જશે સોનાના ભાવ, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો  
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
IND vs SA: કોહલી પાસે ત્રીજી વનડેમાં ઈતિહાસ રચવાની તક, માત્ર 2 ખેલાડી કરી શક્યા છે આ કારનામું
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
કાલે કેટલી ફ્લાઈટ રહેશે રદ અને પરિસ્થિતિ ક્યારે થશે સામાન્ય ? ઈન્ડિગોના CEO એ આપી તારીખ  
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
જામનગરમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું, આપના કાર્યકરોએ જોરદાર મેથીપાક ચખાડ્યો 
Embed widget