શોધખોળ કરો

Manoj Jarange Hunger Strike: મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ ફરી મરાઠા અનામતનો મુદ્દો ઉઠ્યો, ભૂખ હડતાળ પર બેઠા મનોજ જરાંગે પાટીલ

મહારાષ્ટ્રના જાલનામાં  મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું આ ચોથું આંદોલન છે.

Manoj Jarange Maratha Reservation Protest: મહારાષ્ટ્રના જાલનામાં  મનોજ જરાંગેએ અંતરવાલી સરાતીમાં ફરી એકવાર ભૂખ હડતાળ પર ઉતર્યા છે. અંતરવાળીમાં મનોજ પાટીલનું આ ચોથું આંદોલન છે. ઉપવાસ પર બેઠા પછી મનોજ જરાંગે પાટીલે આરોપ લગાવ્યો છે કે "સરકાર આંદોલન તોડવા માંગે છે. હું તેમને કહેવા માંગુ છું કે આપણે રાજનીતિ ન કરવી જોઈએ."

મનોજ જરાંગેએ ચેતવણી આપી હતી કે, "જો સરકાર વટહુકમનો અમલ નહીં કરે તો અમે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો પર અમારા ઉમેદવારો ઉભા કરીશું." મનોજ જરાંગે પાટીલે કહ્યું કે હું મારા નિર્ણય પર અડગ છું. હું મરાઠા સમુદાયને શાંતિ જાળવવા વિનંતી કરું છું. જરાંગેએ કહ્યું કે સરકારે સગા સંબંધીઓ અંગે વટહુકમ બહાર પાડ્યો છે, તેને લાગુ કરવા માટે આ ઝડપી આંદોલન છે.

જરાંગે કુણબીને મરાઠા તરીકે ઓળખવા માટે કાયદો બનાવવાની પણ માંગ કરી છે. જરાંગે મહારાષ્ટ્રના જાલનામાં સવારે 10.30 વાગ્યે આંદોલન શરૂ કર્યું. જોકે, જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ અધિકારીઓએ આને મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓ મરાઠાઓને અન્ય પછાત સમુદાય (ઓબીસી) દરજ્જો આપવા અને પાત્ર કુણબી મરાઠાઓના રક્ત સંબંધીઓને પ્રમાણપત્રો આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષની શરૂઆતમાં જારી કરાયેલ ડ્રાફ્ટ નોટિફિકેશનના અમલની માંગ કરી રહ્યા છે.

કુણબી એક કૃષિ જૂથ છે જે OBC કેટેગરીમાં આવે છે અને જરાંગે માંગણી કરી છે કે તમામ મરાઠાઓને કુણબી પ્રમાણપત્રો આપવામાં આવે, જેથી તેઓ ક્વોટા લાભ માટે પાત્ર બની શકે. આરક્ષણ આંદોલનના ચહેરા જરાંગેએ કહ્યું કે જ્યાં સુધી મરાઠા આરક્ષણ નહીં મળે ત્યાં સુધી હું હાર માનીશ નહીં. તેમણે રાજ્ય સરકાર પર અંતરાવલી સરાતીના રહેવાસીઓને ભડકાવીને વિરોધ રોકવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. 

અગાઉ સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે મનોજ જરાંગેની તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જો કે મનોજ જરાંગે પાટીલ તરફથી આ અંગે કોઈ ઓફિશિયલ નિવેદન આવ્યું નહોતુુ, પરંતુ બાદમાં તેમણે જાહેરાત કરી હતી કે સરકારે તેમની માંગણીઓ સ્વીકારી લીધી છે અને ઉપવાસ અને પ્રદર્શન સમાપ્ત થઈ ગયા છે. ફરી એક વખત મનોજ જરાંગે પાટીલ ભૂખ હળતાળ પર બેસતા મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. 

મહારાષ્ટ્રમાં સપ્ટેમ્બરમાં મરાઠા આરક્ષણને લઈને હિંસા ફાટી નીકળી હતી. તે સમયે જરાંગે પણ ઉગ્ર આંદોલન કર્યું હતું. જેના કારણે રાજ્યની શિંદે સરકાર મુશ્કેલીમાં ફસાઈ ગઈ હતી. આ મુદ્દે ભારે રાજનીતિ પણ થઈ હતી.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget