શોધખોળ કરો

Mira Road Murder:નરાધમે 4 દિવસ યુવતીના ટુકડા જ કર્યા, હત્યાના આઈડિયાને લઈ ખુલાસો

એક દિવસ ઝઘડો એ હદે વધી ગયો કે મહિલા મિત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. કોઈને ખબર ન પડે તે માટે મૃતદેહને નાના-નાના ટુકડા કરીને ઉકાળીને ગ્રાઇન્ડરમાં ગ્રાઈન્ડ કરવામાં આવ્યા હતાં.

Mumbai Crime : રાજધાની દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડના દાગ હજી ભંસાયા નથી ત્યાં મુંબઈના મીરા રોડ મર્ડર કેસના આરોપીની નિર્દયતાએ ફરી એકવાર બધાને હચમચાવી દીધા છે. આ હત્યાકાંડની ભયાનક ઘટનાની કહાણી સાંભળીને સૌકોઈ ચોંકી ગયા છે. પોતાનાથી 20 વર્ષ નાની લિવ-ઈન પાર્ટનર સરસ્વતી વૈદ્યના ચારિત્ર્ય પર તેનો પાર્ટનર શંકા રાખતો હતો. જેને લઈને બંન્ને વચ્ચે દરરોજ લડાઈ થતી હતી. તે યુવતીને ગમે તેમ બોલતો હતો. આખરે એક દિવસ ઝઘડો એ હદે વધી ગયો કે મહિલા મિત્રને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. કોઈને ખબર ન પડે તે માટે મૃતદેહને નાના-નાના ટુકડા કરીને ઉકાળીને ગ્રાઇન્ડરમાં ગ્રાઈન્ડ કરવામાં આવ્યા હતાં.

56 વર્ષીય મનોજની આ બર્બરતા સાંભળી પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.જ્યારે પોલીસે પૂછ્યું કે, તેને યુવતીના મૃતદેહનો આ રીતે નિકાલ કરવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો તેણે કહ્યું હતું કે, તે શ્રદ્ધા વાલ્કર હત્યા કેસથી વાકેફ હતો છે. બસ ત્યાંથી જ તેણે વિચાર લીધો અને એક સંપૂર્ણ યોજના બનાવી. જોકે તેણે હત્યાનો ઈન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે, યુવતીએ આત્મહત્યા કરી લીધી હતી. તે ડરી ગયો હતો, તેથી તેના મૃત શરીરના ટુકડા કરી નાખ્યા હતા જેથી કોઈને કંઈ જ ખબર ના પડે. જોકે પોલીસને મનોજના આ નિવેદન પર સહેજ પણ વિશ્વાસ નથી.

2014થી રહેતા હતા સાથે 

દરમિયાન, પોલીસે કહ્યું હતું કે, તેમને બુધવારે સાંજે 7 વાગ્યે આ કેસની માહિતી મળી હતી. આરોપી મનોજ સાહનીના ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર સરસ્વતી વૈદ્ય નામની યુવતી 2014થી મનોજ સાથે રહેતી હતી. તેના માતા-પિતા ત્યાં ન હતા. વર્ષ 2014માં જ તેની ઓળખ મનોજ સાથે થઈ હતી. મનોજ કરિયાણાની દુકાનમાં કામ કરતો હતો. કરિયાણાની દુકાનમાં કામ કરતી વખતે તેનો પરિચય યુવતી સાથે થયો હતો. યુવતીએ કોઈ જ કામ કરતી નહોતી. બંને 7 વર્ષથી મીરા રોડમાં જ રહેતા હતા. તે પહેલા તેઓ બંને બોરીવલીમાં રહેતા હતા.

4 જૂને કરી હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર 4 જૂને યુવતીની હત્યા કરી નાખવામાં આવી હતી. ત્યાર બાદ તે જ દિવસે આરોપીએ બજારમાંથી એક ઝાડ કાપવા માટેનું કટર ખરીધ્યું હતું અને તેની લાશના ટુકડા કરી નાખ્યા હતાં. ગત ચાર દિવસથી તે કામ પર ગયો નહોતો. દિવસ-રાત મૃતદેહને કાપીને ઉકાળવામાં જ વ્યસ્ત હતો. પોલીસને કૂકરમાંથી માંસના ટુકડા મળી આવ્યા છે. તેણે મૃતદેહના કેટલાક ટુકડાનો નિકાલ કરી દીધો હતો. પોલીસે જણાવ્યું કે, શરીરના અંગોને જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. શરીરનો કયો ભાગ ખૂટે છે તે માત્ર ડૉક્ટર જ કહી શકે છે. પોલીસે કલમ 302 અને 201 હેઠળ કેસ નોંધ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટના મીરા ભાયંદર ફ્લાયઓવર પાસે ગીતા નગર ફેઝ-7માં બની હતી. જ્યાં 56 વર્ષીય મનોજ સાને અને તેની રૂમ પાર્ટનર 32 વર્ષીય સરસ્વતી વૈદ્ય સાથે રહેતા હતા. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી અહીં લિવ-ઈન રિલેશનશિપમાં રહેતું હતું. બુધવારે (7 જૂન) આ બિલ્ડિંગમાં રહેતા પાડોશીઓને ઘરમાંથી દુર્ગંધ આવવા લાગી હતી ત્યારપછી તેમણે નયાનગર પોલીસ સ્ટેશનને તેની જાણ કરી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Embed widget