શોધખોળ કરો

મોદી સરકારે કોરોના વકરવા માટે ચૂંટણીને પણ ગણાવી જવાબદાર પણ દોષનો ટોપલો ઢોળ્યો લોકો પર, જાણો શું કહ્યું ? 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મમત્રી ડો. હર્ષવર્ધને સંક્રમણ માટે મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ખેડૂત આંદોલનને જવાબદાર ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને 11 રાજ્યોમાં અચાનક ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દિધું હોવાનું છે. 

નવી દિલ્લીઃ દેશમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવ્યો છે, ત્યારે મોદી સરકારે (Modi Government) કોરોનાના સંક્રમણ માટે ચૂંટણીને જવાબદાર ગણાવીની દોષનો ટોપલો લોકો પર ઢોલી દીધો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાનું સંક્રમણ ફેલાવાને લઈને જવાબ આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મમત્રી ડો. હર્ષવર્ધને (Dr Harshvardhan) 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના સ્વાસ્થ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે સંક્રમણ માટે મોટા લગ્ન સમારંભો, સ્થાનિક સ્વરાજની ચૂંટણી, ખેડૂત આંદોલનને જવાબદાર ગણાવ્યા હતા. આ કાર્યક્રમોમાં કોવિડ પ્રોટોકોલનું પાન ન કરાતું હોવાનું જણાવ્યું હતું. 

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે, દેશના લગભગ તમામ ભાગોમાં ખાસ કરીને 11 રાજ્યોમાં અચાનક ઉછાળો આવવાનું સૌથી મોટું કારણ લોકોએ કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છોડી દિધું હોવાનું છે. 

દેશભરમાં કોરોનાવાઈરસ (coronavirus) બીમારીના કેસ વધી જતાં પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે રોગચાળાનો ફેલાવો રોકવા માટે પાંચ-ગણી મજબૂત વ્યૂહરચના લાગુ કરવાનો અનુરોધ કર્યો હતો. વડા પ્રધાને આદેશ આપ્યો છે કે વધારે મજબૂત કોવિડ-વિરોધી યંત્રણા લાગુ કરો, લોકોમાં જાગૃતિ લાવો. દરેક જણ ઘરની બહાર નીકળે ત્યારે માસ્ક પહેરે, જાહેર સ્થળોએ અને કામકાજના સ્થળોએ તેમજ આરોગ્ય કેન્દ્રોમાં અંગત રીતે સ્વચ્છતા જાળવે એ જરૂરી છે. આ ઝુંબેશને 14 એપ્રિલ સુધી ચલાવવાનો તેમણે આદેશ આપ્યો છે. કેન્દ્ર સરકારની મળેલી આ બેઠકમાં કોરોના વાયરસ ફેલાવવા માટે બે સૌથી મહત્ત્વના કારણ સામે આવ્યા છે.

 

માસ્ક (mask) ન પહેરવા

 

મીટિંગમાં કહેવામાં આવ્યું હતું કે, જુદા જુદા રાજ્યોમાં કોરોનાના કેસ વધવાનું મુખ્ય કારણ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું છે તેમાં પણ ખાસ કરીને યોગ્ય રીતે માસ્ક ન પહેરવાને કારણે કેસમાં ઉછાળો આવી રહ્યો છે.

 

માસ્ક કેવી રીતે પહેરશો

 

માસ્ક પહેરતા પહેલા તમારા હાથ ધોઈ નાંખવા. ખાતરી કરો કે તે તમારા નાક અને મોંને ઢાંકે છે અને તમારી હડપચીની નીચેથી, તમારા નાકના ઉપરથી અને તમારા ચહેરાની બાજુઓથી વ્યવસ્થિત રીતે ફિટ બેસે છે. માસ્કને પહેરતી વખતે તેના આગળના ભાગનો સ્પર્શ કરશો નહીં. જો તમે માસ્કને સ્પર્શ કરો છો, તો તરત જ તમારા હાથને ધોઈ નાખો અથવા સેનિટાઇઝ કરો. માસ્કને તમારી ગળામાં લટકાવવા દેશો નહીં. માસ્ક દૂર કરતા પહેલા તમારા હાથને ધોઈ નાંખો અથવા સેનિટાઇઝ કરો. કાળજીપૂર્વક કાનની બૂટ પરની દોરીઓને પકડીને અથવા બાંધેલી ગાંઠને છોડીને તમારા માસ્કને દૂર કરો. દોરીઓની જોડીવાળા માસ્ક માટે, પહેલા નીચેની દોરી ખોલો ત્યારબાદ ઉપરની ખોલો. જો તમારા માસ્કમાં ફિલ્ટરો છે, તો તેને દૂર કરો અને ફેંકી દો. માસ્કની ઘડી વાળીને સીધા ધોલાઈઘરમાં અથવા નિકાલજોગ અથવા ધોવાણ માટેની ધોઈ શકાય એવી બેગમાં નાંખો. એક જ વખત ઉપયોગ કરી શકાય એવા સર્જિકલ માસ્કને જવાબદારીપૂર્વક નિકાલ કરવો જોઈએ. માસ્કને દૂર કર્યા બાદ તમારા હાથને ધોઈ નાંખો અથવા સેનિટાઇઝ કરો.

 

માસ્કનો ઉપયોગ કઈ રીતે કરવો (અથવા નાક કે મોઢું ઢાંકવું) –

 

 

    • મોંઢા પર માસ્ક લગાવતા પહેલા તમારા હાથ જરૂરથી ધોઈ લેવા.

 

    • એ બાબતની ખાતરી કરવી કે તે ઢીલું ના હોય અને મોઢું અને નાક બંને ઢંકાયેલા હોય.

 

    • માસ્કને સામેથી ના અડશો, માત્ર બાજુમાંથી જ સ્પર્શ કરવો.

 

    • માસ્ક બદલ્યા પછી તમારા હાથને જરૂરથી ધોઈ લો.

 

    • દર 6-8 કલાકની અંદર માસ્ક બદલો અથવા તે પરસેવાવાળું કે ભીનુંથઇ જાય એટલે બદલો.

 

    • જો ડિસ્પોઝેબલ માસ્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો માસ્કને માત્ર ઢાંકણાવાળી કચરાપેટીમાં જ નાખવું અને કચરાપેટીમાં એક પ્લાસ્ટિકની થેલી પણ લાગેલી હોવી જોઈએ.

 

    • જો કપડાના માસ્કનો ઉપયોગ કરી રહ્યા છો તો તેને ઓછામાં ઓછું દિવસમાં એકવાર જરૂરથી ધોઈ લેવું જોઈએ.

 

 

સોશિયલ ડિસ્ટન્સ (Social distance) ન રાખવું

 

મીટિંગમાં કહેવામાં આવ્યું વારયસને ફેલાતો અટકાવવા માટે સૌથી મહત્ત્વનું એવું સામાજિક અંતર રાખામાં નથી આવી રહ્યું જેના કારણે પણ વાયરસ ફેલાઈ રહ્યો છે. જેમનામાં કોરોનાના લક્ષણો છે તેનાથી યોગ્ય અંતર (ઓછામાં ઓછું એક મીટર) રાખવું જરૂરી છે. સાથે જ ભીડભાડવાળી  જગ્યાએ પણ જવાનું ટાળવું જોઈએ. અને જો જવું જરૂરી જ હોય તો ભીડભાડવાળી જગ્યાએ કોવીડ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

 

સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે રાખશો

 

 

    • ભીડજેવી કે મેળા, હાટ, ધાર્મિક સ્થાનોમાં એકત્રિત થવું, સામાજિક મહોત્સવ વગેરે ટાળો.

 

    • સાર્વજનિકસ્થળો ઉપર તમારા અને અન્ય લોકોની વચ્ચે ઓછામાંઓછું મીટર સુધીનું સુરક્ષિત અંતર જાળવી રાખો, ખાસ કરીને જો તેમને ઉધરસ, તાવ વગેરે જેવા લક્ષણો હોય તો તેમના છીંક અને થૂંકના ટીપાના સીધા સંપર્કમાં આવતા બચો.

 

    • જેટલું શક્ય હોય તેટલાઘરે જ રહો.

 

    • પારસ્પરિક સંપર્ક ટાળો– જેમ કે હાથ મિલાવવા, હાથ પકડવા અથવા ગળે મળવું.

 

    • ટેબલ, ખુરશી, દરવાજાના હેન્ડલ વગેરે જેવી સપાટીઓને સ્પર્શ કરવાનું ટાળો.

 

 

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. દૈનિક કેસની સંખ્યામાં દિવસેને દિવસે વધારો સામે આવી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાયરસ કહેર જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ જે રાજ્યોમાં કોરોના વાયરસ બેકાબૂ થઈ રહ્યો છે ત્યાં વિશેષ ટીમ મોકલવાના આદેશ આપ્યા છે.

 

નોંધનીય છે કે પીએમ મોદીની હાઇલવેલ બેઠકમાં પ્રધાનમંત્રીના પ્રધાન સચિવ, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ તથા વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું દેશભરમાં કોરોના વાયરસ અને રસીકરણ અભિયાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમીક્ષા બેઠક કરી હતી. વૈશ્વિક મહામારી સામે લડવા માટે પ્રભાવી રૂપથી ટેસ્ટિંગ, ટ્રેસિંગ, ટ્રીટમેન્ટ અને રસીકરણ પાંચ સ્તરીય રણનીતિને મહત્વ આપવા પર ભાર આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Haryana Exit Poll: હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
હરિયાણાની 19 બેઠકો પર આખો પેચ ફસાયો છે, શું કોંગ્રેસની બાજી બગડી જશે?
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 230 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Embed widget