Monsoon Session: કેન્દ્રિય બજેટ અગાઉ આજે આવશે આર્થિક સર્વે, જાણો શું છે તેનો ઇતિહાસ?
Monsoon Session: આર્થિક સર્વે એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબ હોય છે.
![Monsoon Session: કેન્દ્રિય બજેટ અગાઉ આજે આવશે આર્થિક સર્વે, જાણો શું છે તેનો ઇતિહાસ? Monsoon Session FM Sitharaman To Present The Economic Survey Today Monsoon Session: કેન્દ્રિય બજેટ અગાઉ આજે આવશે આર્થિક સર્વે, જાણો શું છે તેનો ઇતિહાસ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/22/491e24c712d063ddbdf9169ff338239317216121945711074_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Monsoon Session: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 23 જૂલાઈએ NDA ગઠબંધન સરકારનું પ્રથમ અને PMના નેતૃત્વવાળી મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું બજેટ રજૂ કરશે. આને કેન્દ્રીય બજેટ કહેવામાં આવે છે. કેન્દ્રીય બજેટના એક દિવસ પહેલા એટલે કે 22 જુલાઈએ સંસદમાં "આર્થિક સર્વે" રજૂ થઈ શકે છે. આર્થિક સર્વે એક રિપોર્ટ કાર્ડ જેવું છે જેમાં છેલ્લા નાણાકીય વર્ષના હિસાબ હોય છે.
1964 થી બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વેની પરંપરા
પ્રથમ આર્થિક સર્વે 1950-51માં રજૂ કરવામાં આવ્યું હતું. બજેટના એક દિવસ પહેલા રજૂ કરવાની પરંપરા 1964થી શરૂ થઈ હતી. આના માધ્યમથી જનતાને માત્ર અર્થવ્યવસ્થાની સાચી સ્થિતિ જ નહીં પરંતુ સરકાર અનેક પડકારો વિશે પણ જણાવે છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય તે પણ સર્વેમાં જણાવવામાં આવ્યું છે.
રોકાણકારો આર્થિક સર્વે પર નજર રાખે છે
સર્વેમાંથી સામાન્ય લોકોને માત્ર મોંઘવારી અને બેરોજગારીના આંકડા જ નહીં પરંતુ રોકાણ, બચત અને ખર્ચ અંગેના આઇડિયા પણ મળે છે. ધારો કે સરકારનું ધ્યાન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર છે તો આ ક્ષેત્ર રોકાણકારોને આકર્ષી શકે છે. મતલબ કે આનાથી સેક્ટર મુજબની શક્યતાઓનો ખ્યાલ આવે છે. આ સર્વેમાં માત્ર સરકારની નીતિઓ વિશે જ માહિતી આપવામાં આવતી નથી, પરંતુ આર્થિક સર્વે સરકારની નીતિઓ વિશે પણ ભવિષ્યના આર્થિક દૃષ્ટિકોણ વિશે પણ જણાવે છે, તેથી જ તેને બજેટ પહેલાં રજૂ કરવાની પરંપરા છે.
કેન્દ્રીય બજેટ આ પ્રકારનું હોઈ શકે છે
ચૂંટણી પરિણામો પછી પીએમ મોદીએ મધ્યમ વર્ગ અને ઘરેલું બચત વધારવાની વાત કરી હતી તેથી નિષ્ણાતોનું કહેવું છે કે મોદી સરકાર મધ્યમ વર્ગ પર ફોકસ રહેશે. મતલબ કે ત્રીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં કરદાતાઓને રાહત મળી શકે છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સ્લેબમાં ફેરફાર કરદાતાઓને રાહત આપશે તેવી શક્યતા છે. નવી ટેક્સ સિસ્ટમમાં ટેક્સ ફ્રી ઇનકમ 3 રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરી શકાશે. જેના કારણે 5 લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો 10,000 રૂપિયા સુધીની બચત કરી શકે છે.
આર્થિક સર્વે એ નાણાકીય દસ્તાવેજ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેના કારણે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો ન હતો. આર્થિક સર્વેક્ષણના 3 ભાગ છે. પ્રથમ ભાગમાં અર્થવ્યવસ્થાને લગતી મહત્વની બાબતોનો સમાવેશ થાય છે. તેમાં અર્થતંત્રના વિકાસની ગતિ વધારવા માટેની શક્યતાઓ, પડકારો અને ગતિને વધારવા માટે લેવામાં આવનારા પગલાઓ વિશે માહિતી છે.
બીજા ભાગમાં વિવિધ ક્ષેત્રોની કામગીરી અને તેને લગતો ડેટા છે. ત્રીજા ભાગમાં રોજગાર, મોંઘવારી, આયાત-નિકાસ, બેરોજગારી અને ઉત્પાદન જેવી અન્ય મહત્વપૂર્ણ માહિતી છે.
આર્થિક સર્વે કોણ તૈયાર કરે છે?
આર્થિક સર્વે રીલિઝ કરતા અગાઉ નાણામંત્રીની મંજૂરી લેવી પડે છે, ત્યારબાદ નાણામંત્રી દ્વારા આર્થિક સર્વે સંસદમાં રજૂ કરવામાં આવે છે અને તે પછી મુખ્ય આર્થિક સલાહકાર વર્તમાન નાણાકીય વર્ષની વિગતો રજૂ કરે છે. નાણા મંત્રાલયનો અર્થશાસ્ત્ર વિભાગ મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ આર્થિક સર્વે તૈયાર કરે છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)