શોધખોળ કરો

Mughal History: મુઘલોના ખજાનામાંથી કેમ દિવસ-રાત નિકળતો હતો ધુમાડો?

બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

Akbar Treasure how Many People used to Work : ભારતને કંઈ એમ જ સોનાની ચિડીયા નહોતી કહેવામાં આવતો. ભારતની સમૃદ્ધ ભૂમિ જોઈને ગરીબીને લઈને ઝુઝુમી રઘેલા બાબરે અહીં આવવાનું નક્કી કર્યું અને મુઘલ સલ્તનતની સ્થાપના કરી. બાબરે ખૂબ જ ટૂંકા સમય માટે સત્તા સંભાળી પરંતુ લૂંટફાટ કર્યા બાદ તેણે તિજોરી ભરવાનું શરૂ કર્યું. બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડ, ઈટાલી, પોર્ટુગલ અને ફ્રાન્સના લોકો મુઘલ સલ્તનતની જાહોજલાલી અને રૂતબો જોઈને રીતસરના ચોંકી જતા હતા. મુઘલ સલ્તનતની સમૃદ્ધિના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે જહાંગીરને હીરા અને ઝવેરાત પસંદ હતા, જ્યારે શાહજહાંને કબરો ગમતી હતી જે મુઘલ વારસાની કહાની બયાં કરે છે. તો અકબર મોટા પાયે કર વસુલતો હતો. આ રીતે મુઘલ સલ્તનત વિવિધ વસ્તુઓને લઈને અતિ સમૃદ્ધ બની હતી.

કેવી હતી તિજોરીની હાલત?

અકબરના નવરત્ન અબુલ ફઝલે આઈન-એ-અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે, મુઘલો પાસે કેટલો ખજાનો હતો અને કેટલા લોકો દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હતી. તેણે લખ્યું કે, અકબરની તિજોરીને જોતા એવું લાગે છે કે, તે તિજોરી નહીં પરંતુ ફેક્ટરી છે, જ્યાં મોટા પાયે લોકો તૈનાત હતા. દરેકની જુદી જુદી જવાબદારીઓ હતી.

તિજોરીમાં ઘણા વિભાગો હતા. ખ્વાજાસરા ઈતમાદ ખાન ઉર્ફે ફૂલ મલિક કે, જેઓ અકબરના ખાસ કહેવાતા હતા, તેને આ ખજાનો સંભાળવાની જવાબદારી હતી. ફૂલ મલિકનું કામ રાજદરબારના મુખ્ય ખજાનચીને બે લાખ દામ સોંપવાનું હતું જ્યારે ખજાનચી પાસે બે લાખ ભેગા થયા. બે લાખની કિંમત એટલે આજના પાંચ હજાર રૂપિયા.

એટલું જ નહીં, બાદશાહને મળેલી ભેટોને સાચવવાની જવાબદારી એક અલગ ખજાનચીને સોંપવામાં આવી હતી. આ બધું કામ કરવા માટે તિજોરીમાં મોટી ટીમ કામ કરતી હતી.

મોગલોના તિજોરીમાંથી કેમ નીકળતો હતો ધુમાડો?

અબુલ ફઝલે મુઘલોની તિજોરીને કારખાના તરીકે પણ ગણાવી હતી કારણ કે, અહીં સેંકડો શાહુકારો કામ કરતા હતા. તે સોના, ચાંદી અને તાંબાની પાટોમાંથી મહોર બનાવતા હતા. આ કામ દિવસ-રાત ચાલતું હતું. ધાતુઓને ઓગાળવામાં આવતી હતી, જેના પરિણામે દિવસ-રાત ચીમનીમાંથી ધુમાડો નીકળતો રહેતો હતો. કહેવાય છે કે, અહીંની ધૂળ પણ લોકોને ધનવાન બનાવતી દેતી હતી.

સોદાગરો એટલે કે વ્યાપારીઓ બહારથી સોનું અને ચાંદી લાવતા હતા અને મુઘલ સલ્તનત તે સમયે ભારતમાં જે વસ્તુઓનો વેપાર થતો હતો તેની સાથે તેની બદલી કરતી હતી.

કેવી-કેવી હતી જવાબદારીઓ?

આઈન-એ-અકબરી અનુસાર, મુઘલ તિજોરીમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જેઓ સોના અને ચાંદીને પીગળીને સિક્કા અને સ્ટેમ્પના આકાર આપવારા, ચાંદીને ઓગાળનાર, ધાતુની અસલિયત ઓળખી કાઢતા હતા અને ધાતુઓની રાખ એકત્રિત કરનારાઓની એક મસ મોટી ટીમ હતી.

તિજોરીના એક ભાગમાં મહોરો પણ બનાવવામાં આવી હતી. આ જ કારણ હતું કે, ત્યાંની રાખ પણ કિંમતી હતી. અકબરના શાસન દરમિયાન બધાને કિંમતી ધાતુઓ ભારતની બહાર લઈ જવાની છૂટ નહોતી. જો કોઈ આવું કરે તો તેને આકરી સજા કરવામાં આવતી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Embed widget