શોધખોળ કરો

Mughal History: મુઘલોના ખજાનામાંથી કેમ દિવસ-રાત નિકળતો હતો ધુમાડો?

બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

Akbar Treasure how Many People used to Work : ભારતને કંઈ એમ જ સોનાની ચિડીયા નહોતી કહેવામાં આવતો. ભારતની સમૃદ્ધ ભૂમિ જોઈને ગરીબીને લઈને ઝુઝુમી રઘેલા બાબરે અહીં આવવાનું નક્કી કર્યું અને મુઘલ સલ્તનતની સ્થાપના કરી. બાબરે ખૂબ જ ટૂંકા સમય માટે સત્તા સંભાળી પરંતુ લૂંટફાટ કર્યા બાદ તેણે તિજોરી ભરવાનું શરૂ કર્યું. બાબરની આગામી પેઢીઓએ તિજોરી એટલી હદે ભરી દીધી કે, ભારત આવતા પ્રવાસીઓએ પણ તેનો ઉલ્લેખ તેમના અહેવાલોમાં કરવો પડ્યો હતો.

ઈંગ્લેન્ડ, ઈટાલી, પોર્ટુગલ અને ફ્રાન્સના લોકો મુઘલ સલ્તનતની જાહોજલાલી અને રૂતબો જોઈને રીતસરના ચોંકી જતા હતા. મુઘલ સલ્તનતની સમૃદ્ધિના ઘણા કારણો છે. ઉદાહરણ તરીકે જહાંગીરને હીરા અને ઝવેરાત પસંદ હતા, જ્યારે શાહજહાંને કબરો ગમતી હતી જે મુઘલ વારસાની કહાની બયાં કરે છે. તો અકબર મોટા પાયે કર વસુલતો હતો. આ રીતે મુઘલ સલ્તનત વિવિધ વસ્તુઓને લઈને અતિ સમૃદ્ધ બની હતી.

કેવી હતી તિજોરીની હાલત?

અકબરના નવરત્ન અબુલ ફઝલે આઈન-એ-અકબરીમાં ઉલ્લેખ કર્યો છે કે, મુઘલો પાસે કેટલો ખજાનો હતો અને કેટલા લોકો દ્વારા તેની સાર સંભાળ રાખવામાં આવતી હતી. તેણે લખ્યું કે, અકબરની તિજોરીને જોતા એવું લાગે છે કે, તે તિજોરી નહીં પરંતુ ફેક્ટરી છે, જ્યાં મોટા પાયે લોકો તૈનાત હતા. દરેકની જુદી જુદી જવાબદારીઓ હતી.

તિજોરીમાં ઘણા વિભાગો હતા. ખ્વાજાસરા ઈતમાદ ખાન ઉર્ફે ફૂલ મલિક કે, જેઓ અકબરના ખાસ કહેવાતા હતા, તેને આ ખજાનો સંભાળવાની જવાબદારી હતી. ફૂલ મલિકનું કામ રાજદરબારના મુખ્ય ખજાનચીને બે લાખ દામ સોંપવાનું હતું જ્યારે ખજાનચી પાસે બે લાખ ભેગા થયા. બે લાખની કિંમત એટલે આજના પાંચ હજાર રૂપિયા.

એટલું જ નહીં, બાદશાહને મળેલી ભેટોને સાચવવાની જવાબદારી એક અલગ ખજાનચીને સોંપવામાં આવી હતી. આ બધું કામ કરવા માટે તિજોરીમાં મોટી ટીમ કામ કરતી હતી.

મોગલોના તિજોરીમાંથી કેમ નીકળતો હતો ધુમાડો?

અબુલ ફઝલે મુઘલોની તિજોરીને કારખાના તરીકે પણ ગણાવી હતી કારણ કે, અહીં સેંકડો શાહુકારો કામ કરતા હતા. તે સોના, ચાંદી અને તાંબાની પાટોમાંથી મહોર બનાવતા હતા. આ કામ દિવસ-રાત ચાલતું હતું. ધાતુઓને ઓગાળવામાં આવતી હતી, જેના પરિણામે દિવસ-રાત ચીમનીમાંથી ધુમાડો નીકળતો રહેતો હતો. કહેવાય છે કે, અહીંની ધૂળ પણ લોકોને ધનવાન બનાવતી દેતી હતી.

સોદાગરો એટલે કે વ્યાપારીઓ બહારથી સોનું અને ચાંદી લાવતા હતા અને મુઘલ સલ્તનત તે સમયે ભારતમાં જે વસ્તુઓનો વેપાર થતો હતો તેની સાથે તેની બદલી કરતી હતી.

કેવી-કેવી હતી જવાબદારીઓ?

આઈન-એ-અકબરી અનુસાર, મુઘલ તિજોરીમાં એવા લોકોનો સમાવેશ થતો હતો જેઓ સોના અને ચાંદીને પીગળીને સિક્કા અને સ્ટેમ્પના આકાર આપવારા, ચાંદીને ઓગાળનાર, ધાતુની અસલિયત ઓળખી કાઢતા હતા અને ધાતુઓની રાખ એકત્રિત કરનારાઓની એક મસ મોટી ટીમ હતી.

તિજોરીના એક ભાગમાં મહોરો પણ બનાવવામાં આવી હતી. આ જ કારણ હતું કે, ત્યાંની રાખ પણ કિંમતી હતી. અકબરના શાસન દરમિયાન બધાને કિંમતી ધાતુઓ ભારતની બહાર લઈ જવાની છૂટ નહોતી. જો કોઈ આવું કરે તો તેને આકરી સજા કરવામાં આવતી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
8th Pay Commission: લેવલ 1 થી 18 સુધી, ક્યાં કર્મચારીઓનો કેટલો વધશે પગાર, જાણો અહીં 
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
ચાંદીના ભાવમાં 12 હજારનો ઐતિહાસિક ઉછાળો, કિંમત 3 લાખને પાર,સોનાની તેજીએ પણ ચોંકાવ્યા
Embed widget