શોધખોળ કરો

Mumbai Airport: દેશનું સૌથી વ્યસ્ત રહેતું મુંબઈ એરપોર્ટ 6 કલાક બંધ રહેશે, સવારે 11 થી 5 ચાલશે આ કામ

દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે.

Mumbai Airport News: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આવતીકાલે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રહેશે. આ દરમિયાન જાળવણીની (Maintenance) કામગીરી કરવામાં આવશે.

સમારકામ અને મેઈન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA), દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક, સુરક્ષિત અને અવિરત રનવે ઓપરેશન જાળવવામાં ગર્વ અનુભવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મેન્ટેનન્સનું કામ ઘણી વખત થતું હોય છે. આવી સ્થિતિમાં, એરપોર્ટની કામગીરી યોગ્ય રીતે ચાલુ રાખવા માટે CSMIAએ મંગળવારે 18 ઓક્ટોબરે રનવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે સવારે 11:00 થી 17:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન સમારકામ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે.

બંને રનવે પર મેન્ટેનન્સનું કામ થશે

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એરપોર્ટના બંને રનવે RWY 14/32 અને 09/27 રિપેર અને મેઇન્ટેનન્સનું કામ કરશે. ચોમાસા પછી રનવેનું પ્રિવેન્ટીવ મેન્ટેનન્સ હેઠળ, રનવે એઝ લાઇટનું અપગ્રેડેશન, 14/32 માટે એજીએલ (એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટ) જેવા મુખ્ય કામો કરવામાં આવશે. આ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન ઝડપથી એરપોર્ટના રનવેની સાફ-સફાઈથી લઈને જરુરી લાગતી જગ્યાએ રિ-કાર્પેટીંગ, રનવેની એઝ લાઈટનું રિપેરીંગ વગેરે પ્રકારની કામગીરી કરવામાં આવશે. 

ફ્લાઈટ્સને રિ-શેડ્યૂલ કરવામાં આવી...

CSMIAએ જણાવ્યું હતું કે દરરોજ 800થી વધુ એરક્રાફ્ટ લેન્ડ અને ટેક ઓફ કરે છે. આવી સ્થિતિમાં, દર વર્ષે ચોમાસા પછીના જાળવણી કાર્યને અમલમાં મૂકવામાં આવે છે જેથી અમે મુસાફરોની સલામત મુસાફરીની ખાતરી કરી શકીએ. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એરલાઇન ગ્રાહકો અને અન્ય મુખ્ય હિતધારકોના સહયોગથી મેન્ટેનન્સનું કામ સરળતા પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે ફ્લાઇટ્સ અસરકારક રીતે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે. મહત્વનું છે કે, મુંબઈ એરપોર્ટ દેશનું ખુબ જ વ્યસ્ત એરપોર્ટ છે જેથી આ મેન્ટેનન્સની કામગીરી વખતે તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો...

Supreme Court Chief Justice: સુપ્રીમ કોર્ટના 50મા CJI બનશે ડીવાય ચંદ્રચુડ, રાષ્ટ્રપતિએ નામ પર મહોર લગાવી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?

વિડિઓઝ

Ahmedabad news : ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જીવલેણ હુમલો
Hun To Bolish : હું તો બોલીશ : ચાલો સુધરી જઈએ
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી-ધારાસભ્ય વચ્ચે સંકલન કેમ નહીં?
Thakor Sane : અલ્પેશ ઠાકોર પહેલા જ મહેસાણામાં અભિજિતસિંહ બારડનું શક્તિ પ્રદર્શન
Rajkot News : રાજકોટમાં શિક્ષણમંત્રીની હાજરીમાં વિપક્ષે ખોલી સરકારી શાળાની પોલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું-
AAP ને મોટો ઝટકો! સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા, કહ્યું- "આમ આદમી પાર્ટી ભાજપનું જ...."
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
Bagdana Controversy: શું જયરાજ આહીરની ધરપકડ થશે ? બગદાણા હુમલા કેસમાં નવનીત બાલધિયા SITને આપશે સજ્જડ પુરાવા!
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
PSI-LRDના ઉમેદવારો માટે મોટા સમાચાર, શારીરિક કસોટીની પરીક્ષાની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
Shankaracharya: ‘હિન્દુઓ કાયર છે, મુસ્લિમો ધન્ય છે!’ શંકરાચાર્યના આ નિવેદને દેશભરમાં લગાવી આગ, જાણો કેમ?
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
સર્વર ડાઉનનું ટેન્શન ગયું! રેશનકાર્ડ ધારકો માટે આવી નવી એપ, હવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું નહીં પડે
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
મુંબઈમાં કઈ પાર્ટીમાંથી બનશે મેયર? શિવસેના કરશે નિર્ણય, શિંદેની આ માંગને લઈ BJP પરેશાન! 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Ahmedabad: ઘાટલોડિયાની  નેશનલ સ્કૂલ બહાર વિદ્યાર્થી પર જૂની અદાવતમાં હુમલો 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ટ્રમ્પની ધમકી વચ્ચે સોના-ચાંદીમાં 'લાલચોળ' તેજી, જાણો આજની લેટેસ્ટ કિંમત 
Embed widget