શોધખોળ કરો

Mumbai Rain: મુંબઈમાં ભારે પવનના કારણે પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડતા 4ના મોત, અનેક ઘાયલ, CM શિંદેએ વળતરની કરી જાહેરાત

Mumbai Rain: સોમવારે (13 મે)ના રોજ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ઘાટકોપર વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ અને તોફાન દરમિયાન પેટ્રોલ પંપ પર એક હોર્ડિંગ પડી ગયું, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 100 અન્ય લોકો દટાયા હોવાની આશંકા છે.

Mumbai Rain: સોમવારે (13 મે)ના રોજ મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં જોરદાર વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો. ઘાટકોપર વિસ્તારમાં સોમવારે ભારે વરસાદ અને તોફાન દરમિયાન પેટ્રોલ પંપ પર એક હોર્ડિંગ પડી ગયું, જેમાં 54 લોકો ઘાયલ થયા, જ્યારે 100 અન્ય લોકો દટાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત સાંજે 4.30 વાગ્યે છેડાનગર જીમખાના પાસે થયો હતો. તેમણે કહ્યું કે ફાયરમેન અને પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કાર્ય શરૂ કર્યું.

 

અધિકારીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં ઓછામાં ઓછા 35 લોકો ઘાયલ થયા છે, જ્યારે અન્ય 100 લોકો હોર્ડિંગ હેઠળ દટાયા હોવાની આશંકા છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ પણ બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી માટે ક્રેન્સ અને ગેસ કટરને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે ઘાયલોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાટકોપર ઘટના પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. પ્રશાસનની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે અને ઘાયલોને રાજાવાડી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

બેદરકારી રાખનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે - ડેપ્યુટી સીએમ ફડણવીસ
ઘાટકોપર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. BMCએ આ આંકડાની પુષ્ટિ કરી છે. ડેપ્યુટી સીએમ ફડણવીસે કહ્યું, આ હોર્ડિંગ લગાવવા માટે કેવા પ્રકારની પરવાનગીઓ હતી તેની તપાસ કરવામાં આવશે. તેમની પાસે પરવાનગી હતી કે નહીં. ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકવા માટે, મુખ્યમંત્રીએ BMCને આવા તમામ હોર્ડિંગનું કડક ઓડિટ કરવા કહ્યું છે. બેદરકારી દાખવનાર સામે પગલાં લેવામાં આવશે.

અત્યાર સુધીમાં 67 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
ઘાટકોપર દુર્ઘટના પર NDRFએ કહ્યું કે અત્યાર સુધીમાં 67 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલોને સારવાર માટે રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. NDRFએ કહ્યું કે તેની ટીમ હજુ પણ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

સીએમ શિંદેએ વળતરની જાહેરાત કરી
ઘાટકોપર અકસ્માત પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે કહ્યું કે મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં ઉદ્ધવ ઠાકરે જૂથ સામેલ થશે કે નહીં? જાણો શું છે મોટું અપડેટ?
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
દિલ્હી બેઠક પહેલા સંજય સિંહનો મોટો ધડાકો, ‘આપ હવે ઇન્ડિયા (INDIA) ગઠબંધનનો ભાગ નથી’
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 11 રાજ્યોમાં તોફાની વરસાદ અને વીજળીનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શ્રમિકોના જીવનું મૂલ્ય શું ?
Hun To Bolish : હું તો બોલીશ : બ્રેક ખર્ચ પર કે વહીવટ પર ?
Ahmedabad News: ચોમાસા પહેલા AMCએ જવાબદારીથી ખંખેર્યા હાથ, મનપા કમિશનરે શહેરીજનોને આપી ચેતવણી
Late Yogesh Patel's Prayer Meet: વડોદરાના સ્વ.યોગેશભાઈ પટેલની પ્રાર્થના સભા, CMએ પુષ્પાંજલિ અર્પણ કરી પાઠવી શ્રદ્ધાંજલિ
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
મોદી સરકાર સામે મહામંથન: કાલે દિલ્હીમાં ઇન્ડિયા એલાયન્સની બેઠક, 23 પક્ષો આપશે હાજરી
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
રાજકોટ: બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં પ્રશ્નો પૂછવા જતા પરસોત્તમ પીપળીયાની અટકાયત
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
મહારાષ્ટ્રમાં પહોંચ્યું ચોમાસું, ગુજરાતમાં આ તારીખે થશે એન્ટ્રી; જાણો ક્યારે બદલાશે હવામાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
શુભમન ગિલને BCCI નો કડક આદેશ: T20 ભૂલી જાઓ, આ 2 મોટી ટ્રોફી જીતવા પર લગાવો ધ્યાન
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
'પીએમ ઈચ્છે છે યુવાનો રીલ્સ બનાવે': CBSE કૌભાંડ ખોલનાર વિદ્યાર્થીઓના રાહુલે કર્યા વખાણ
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
ઓડિશાનો 80 હજાર પગારદાર એન્જિનિયર નીકળ્યો કરપ્શન કિંગ: 2 કરોડ રોકડા અને 13 પ્લોટ મળ્યા
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
મોંઘવારીનો માર: ઘરેલુ LPG સિલિન્ડરના ભાવ 942 રૂપિયાને પાર, જાણો કેટલી સબસિડી મળશે?
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
શુક્ર ગોચર 2026: 12 વર્ષ પછી કર્ક રાશિમાં મહાયુતિથી આ 3 રાશિઓ પર આવશે મોટું આર્થિક સંકટ!
Embed widget