શોધખોળ કરો

Modi Cabinet: આ નેતાઓને મંત્રી બનવાના આવ્યા ફોન, રૂપાલાની મંત્રી બનવાની શક્યતા નહીંવત

Narendra Modi Cabinet: નરેન્દ્ર મોદીની નવી સરકારમાં દરેક પક્ષનું પ્રતિનિધિત્વ જોવા મળશે. માનવામાં આવે છે કે ગૃહ, સંરક્ષણ અને નાણા મંત્રાલય ભાજપ પાસે જ રહેશે.

Narendra Modi Oath Ceremony: નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ પહેલા એનડીએના સાથી પક્ષોના સાંસદોને મંત્રી બનાવવાના ફોન આવવા લાગ્યા છે. TDP, LJP (R) અને JDU જેવી પાર્ટીઓના સાંસદોના ફોન આવ્યા છે. ટીડીપીના સાંસદો ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની અને કિંજરાપુ રામ મોહન નાયડુને મંત્રી બનવાનો ફોન આવ્યો છે. આ સિવાય જેડીયુના રાજ્યસભા સાંસદ રામનાથ ઠાકુરને પણ મંત્રી પદ માટે ફોન આવ્યો છે. આ તમામ નેતાઓને મોદી 3.0 કેબિનેટમાં સામેલ કરવામાં આવી શકે છે.

વાસ્તવમાં, નવી સરકારમાં મંત્રી પરિષદમાં એનડીએના વિવિધ ઘટકોનો સમાવેશ કરવા માટે ભાજપ અને સાથી પક્ષો વચ્ચે ચર્ચા થઈ છે. અમિત શાહ અને રાજનાથ સિંહ સિવાય બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ TDP ચીફ ચંદ્રાબાબુ નાયડુ, JDU ચીફ નીતીશ કુમાર અને શિવસેનાના એકનાથ શિંદે જેવા નેતાઓ સાથે મંત્રી પરિષદમાં ભાગ લેવાની વાત કરી છે. આ પછી જ નામ ફાઇનલ થયા છે અને હવે કોલ આવવા લાગ્યા છે. આ લોકો આજે જ શપથ પણ લઈ શકે છે.

અત્યાર સુધી કયા નેતાઓના ફોન આવ્યા?

ડૉ. ચંદ્રશેખર પેમ્માસાની (TDP)
કિંજરાપુ રામ મોહન નાયડુ (ટીડીપી)
અર્જુન રામ મેઘવાલ (ભાજપ)
સર્બાનંદ સોનોવાલ (ભાજપ)
અમિત શાહ (ભાજપ)
કમલજીત સેહરાવત (ભાજપ)
મનોહર લાલ ખટ્ટર (ભાજપ)
નીતિન ગડકરી (ભાજપ)
રાજનાથ સિંહ (ભાજપ)
પીયૂષ ગોયલ (ભાજપ)
જ્યોતિરાદિત્ય સિંધિયા (ભાજપ)
શાંતનુ ઠાકુર (ભાજપ)
રક્ષા ખડસે (ભાજપ)
રાવ ઈન્દ્રજીત સિંહ (ભાજપ)
પ્રતાપરાવ જાધવ (શિવસેના શિંદે જૂથ)
એચડી કુમારસ્વામી (જેડીએસ)
ચિરાગ પાસવાન (LJP-R)
જયંત ચૌધરી (RLD)
અનુપ્રિયા પટેલ (અપના દળ)
જીતન રામ માંઝી (HAM)
રામદાસ આઠવલે (RPI)

મોદી સરકાર 3.0માં રૂપાલાને મંત્રીપદ મળવાની શક્યતા નહીંવત

મોદી સરકાર 3.0નો આજે સાંજે સવા સાત વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાવાનો છે. ત્યારે કેન્દ્રીય મંત્રી મંડળમાં કોનો  કોનો સમાવેશ થશે તે થોડી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. હાલ સૂત્રોનું માનીએ તો અમિત શાહ અને મનસુખ માંડવિયાનું કેન્દ્રીય મંત્રી બનવાનું નક્કી મનાઈ રહ્યું છે. તો ગુજરાતથી રાજ્યસભાના સાંસદ એસ. જયશંકરને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળવાનું નિશ્ચિત મનાઈ રહ્યું છે. તો પરશોત્તમ રૂપાલા મોદી સરકાર 3.0માં મંત્રી મંડળમાંથી આઉટ થઈ શકે છે. તેનો ફરી મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ નહીંવત છે.

આ ઉપરાંત ગુજરાતથી રાજ્યસભાના સાંસદ અને હાલના ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે તેવો સૂત્રોનો દાવો છે. તો હાલના ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીથી સાંસદ સી.આર.પાટીલને કેન્દ્રીય કેબિનેટમાં લઈ જવાશે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે યથાવત રખાય તે કહેવું મુશ્કેલ છે. આ ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા અથવા વલસાડના સાંસદ ધવલ પટેલ બે પૈકી એકને કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સ્થાન અપાય તેવી પ્રબળ શક્યતાઓ રહેલી છે. કેન્દ્રીય મંત્રી મંડળમાં શપથ લેવા અંગેની જાણકારી થોડીવાર બાદ જે તે સાંસદને આપવાની શરૂઆત થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
શું MS ધોનીના કારણે હાર્યું CSK? ચેન્નાઈના પૂર્વ ખેલાડીનો ફૂટ્યો ગુસ્સો; પોતાના નિવેદનથી ચોંકાવ્યા
Embed widget