શોધખોળ કરો

ઇન્ડિયા ગેટ પર લાગશે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

PM મોદીએ જાહેરાત કરી હતી કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે.

નવી દિલ્હીઃ PM મોદીએ જાહેરાત કરી હતી કે ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે. નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ઇન્ડિયા ગેટ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની મૂર્તિ લગાવવામાં આવશે. વડાપ્રધાન મોદીએ આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે સરકારે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિને નેશનલ વોર મેમોરિયલની જ્યોત સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પર કોગ્રેસ સહિતના તમામ વિપક્ષો કેન્દ્ર સરકાર પર નિશાન સાધી રહ્યા છે.

ઇન્ડિયા ગેટ પર લાગશે સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમા, વડાપ્રધાન મોદીએ કરી જાહેરાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજીની પ્રતિમાની તસવીર ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા તૈયાર નહીં થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ હાજર રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ. મને જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી જણાવ્યું કે આવા સમયમાં જ્યારે આખો દેશ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવી રહ્યો છે, મને એમ કહેતા આનંદ થાય છે કે નેતાજીની ગ્રેનાઇટથી બનેલી ભવ્ય પ્રતિમા ઇન્ડિયા ગેટ પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાનું પ્રતિક હશે.

કહેવામાં આવી રહ્યું છે કે ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રીય સ્મારક વચ્ચે ખાલી પડેલી છત્રીમાં નેતાજીની પ્રતિમા લગાવવામાં આવશે. આ છ દાયકાથી ખાલી પડી છે. અહી પહેલા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી. 1968માં તેને હટાવીને બુરાડીના કોરોનેશન પાર્કમાં મોકલવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News : જૂનાગઢના મધુરમ વિસ્તારમાં લક્ષ્મી વેગડા નામની યુવતીએ કરી આત્મહત્યાHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટોનો તમાશોHun To Bolish : હું તો બોલીશ : હેવાન તાંત્રિકChhotaudepur Crime : છોટાઉદેપુરમાં માસૂમની બલીની ઘટના બાદ જોરદાર આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
એક જ દિવસમાં ત્રીજી વખત ડાઉન થયું 'X', એલન મસ્કે કહ્યુ- 'દરરોજ થઇ રહ્યા છે સાયબર અટેક'
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
MI vs GG: ગુજરાત સામેની રોમાંચક મેચમાં મુંબઇનો 9 રનથી વિજય, ભારતીની 25 બોલમાં અડધી સદી એળે ગઇ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
દુનિયાના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં 13 ભારતમાં, હજુ પણ દિલ્હી સૌથી પ્રદૂષિત કેપિટલ
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રોહિત શર્મા પરત ફર્યો, મુંબઇ એરપોર્ટ પર આ રીતે થયું ભવ્ય સ્વાગત
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ભૂપેન્દ્ર પટેલની વિકાસ ગાડી ફૂલ સ્પીડમાં! ૬૯ નગરપાલિકાઓને અપગ્રેડ કરાશે, કરોડો રૂપિયાનું બજેટ મંજૂર!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
ગુજરાત બળશે! ગરમીથી ત્રાહિમામ પોકારશે લોકો! 9 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર, બે દિવસ માટે ઘરની બહાર નીકળવાનું ટાળો!
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
મહારાષ્ટ્રમાં લાડકી બહેનોને મોટો ઝટકો! અજિત પવારે કહ્યું – મેં ₹2100 આપવાની વાત ક્યારેય નથી કરી, પરંતુ...
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
'તેઓ ખાલી ફોટામાં જ... ': PM મોદી અને CM યોગીને લઈ આ શું કહી દીધું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે
Embed widget