શોધખોળ કરો

New Parliament Inauguration: કેવી હતી નવી સંસદમાં PM મોદીની એન્ટ્રી? જુઓ Video

પૂજા કર્યા બાદ વડાપ્રધાને લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની બાજુમાં 'સેંગોલ' સ્થાપિત કર્યું હતું. તેમણે તેની સમક્ષ પ્રણામ કર્યા અને તમિલનાડુના તમામ મંદિરોના આશીર્વાદ માંગ્યા હતાં.

PM Modi In News Parliament Building: નવી સંસદ ભવન પહોંચતા પીએમ નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સંસદમાં સાંસદોએ તાળીઓના ગડગડાટ સાથે પીએમ મોદીનું સ્વાગત કર્યું. ચારેબાજુ 'ભારત માતા કી જય' અને 'મોદી મોદી'ના નારા ગુંજી રહ્યા હતા. તમામ સાંસદો અને મુખ્યમંત્રીઓએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. તાળીઓનો ગડગડાટ જાણો અટકવાનું નામ જ નહોતો લઈ રહ્યો. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને લોકસભા અધ્યક્ષનું ભાષણ પણ થયું હતું. 

પૂજા કર્યા બાદ વડાપ્રધાને લોકસભા ચેમ્બરમાં સ્પીકરની ખુરશીની બાજુમાં 'સેંગોલ' સ્થાપિત કર્યું હતું. તેમણે તેની સમક્ષ પ્રણામ કર્યા અને તમિલનાડુના તમામ મંદિરોના આશીર્વાદ માંગ્યા હતાં. આ દરમિયાન તેમણે હાથમાં પવિત્ર રાજદંડ લઈને તમિલનાડુના વિવિધ પૂજારીઓના આશીર્વાદ પણ લીધા હતા.

ઓમ બિરલાએ શું કહ્યું?

લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ કહ્યું હતું કે, સ્પીકરની ખુરશીની પાસે સેંગોલ સ્થાપિત કરીને પીએમ મોદીએ દેશની સાંસ્કૃતિક પરંપરાને ન માત્ર દોહરાવી છે, પરંતુ તેને એક નવો આયામ પણ આપ્યો છે. જ્યારે સંસદની નવી ઇમારતના ઉદ્ઘાટન પર પીએમ મોદી અને લોકસભા સ્પીકર સહિત અન્ય નેતાઓએ નવી ટપાલ ટિકિટ બહાર પાડી હતી.

'દરેક ભારતીય ગર્વથી ભરેલો'

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "આજે નવા સંસદ ભવનને જોઈને દરેક ભારતીય ગર્વથી ભરેલો છે. તેમાં સ્થાપત્ય, વારસો, કલા, કૌશલ્ય, સંસ્કૃતિ અને બંધારણ પણ છે. લોકસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય પક્ષી મોર પર આધારિત છે. જ્યારે રાજ્યસભાનો અંદરનો ભાગ રાષ્ટ્રીય ફૂલ કમળ પર આધારિત છે. સંસદના પરિસરમાં રાષ્ટ્રીય વટવૃક્ષ પણ છે. તેમણે કહ્યું હતું કે, આ નવી ઇમારત આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાને સાકાર કરવાનું માધ્યમ બનશે. આ નવી ઇમારત આત્મનિર્ભર ભારતના સૂર્યોદયની સાક્ષી બનશે.

PM Modi Speech: 'જ્યારે ભારત આગળ વધે છે ત્યારે દુનિયા આગળ વધે છે', -નવા સંસદ ભવનમાં બોલ્યા પીએમ મોદી

આજે દિલ્હીમાં નવા સંસદ ભવનનું આજે પીએમ મોદીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઉદઘાટન કર્યુ છે. નવા સંસદ ભવનનાં ઉદઘાટનમાં બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે -દેશની વિકાસયાત્રામાં કેટલીક ક્ષણો અમર બની જાય છે. 28 મે આવો જ એક દિવસ છે. તેમને આગળ કહ્યું આ માત્ર એક ઇમારત નથી, પરંતુ 140 કરોડ ભારતીયોની આકાંક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ છે.

પીએમ મોદીએ નવા સંસદ ભવનના ઉદઘાટન પ્રસંગે કહ્યું કે, આજનો દિવસ દેશ માટે શુભ દિવસ છે. આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ અમૃત મહોત્સવમાં ભારતની જનતાએ સંસદની આ નવી ઇમારત તેમની લોકશાહીને ભેટ આપી છે. આજે સવારે સંસદ ભવન સંકુલમાં સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું, હું ભારતીય લોકશાહીની આ સુવર્ણ ક્ષણ માટે તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.