શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Mumbai: સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’નું કરાયું ઉદ્ઘાટન
આ ક્લિનિકનું ઉદઘાટન આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ ના દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા મુકેશ અંબાણીએ કર્યું હતું.
![Mumbai: સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’નું કરાયું ઉદ્ઘાટન Nita ambani launches one stop breast clinic at Sir HN Reliance Foundation Hospital Mumbai: સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’નું કરાયું ઉદ્ઘાટન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/05035949/Sir-hn-reliance-hospital.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: સર HN રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. સર એચ.એન. રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ખાતે આ પ્રકારની પ્રથમ ‘વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિક’ શરૂ થઈ જે બે કલાકમાં એક વ્યાપક મૂલ્યાંકન, નિદાન અને સારવાર પૂરી પાડશે. આ ક્લિનિકનું ઉદઘાટન આજે ‘વર્લ્ડ કેન્સર ડે’ ના દિવસે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા મુકેશ અંબાણીએ કર્યું હતું.
વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિકને આંતરરાષ્ટ્રીય સ્તર પર શ્રેષ્ઠ શ્રેણીને ધ્યાનમાં રાખી અને દર્દી-કેંદ્રીયતા અને નિદાનની વિશેષતાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યું છે, અને તેને પ્રસિદ્ધ ગાય્સ હોસ્પિટલ લંડનના ડૉ આશુતોષ કોઠારી ક્લીનિકલ લીડ અને બ્રેસ્ટ ટ્યૂમર સમૂહના અધ્યક્ષના સહયોગથી બનાવવામાં આવ્યું છે.
રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "અમે ફક્ત એક વ્યાપક ઓન્કોલોજી વિભાગ જ નહીં પરંતુ દેશના એક શ્રેષ્ઠ પુનર્વસન કેન્દ્રની સ્થાપના કરી છે. અમે એક બીજા પછી ઓન્કોલોજી સેવા વિકસાવી છે. ખરેખર, આ સાથે એક સેવા. એક આત્મા! ”તેમણે કહ્યું. વિશ્વવ્યાપી મહિલાઓમાં સ્તન કેન્સર એ સૌથી સામાન્ય કેન્સર છે અને ભારતીય સ્ત્રીઓમાં મળતા તમામ કેન્સરનો 14 ટકા હિસ્સો ધરાવે છે. શહેરી વિસ્તારોમાં, 22માંથી 1 મહિલાને તેમના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર થવાની સંભાવના છે.
સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશનના સીઈઓ ડૉ તરંગ ગિયાનચંદાનીએ કહ્યું, 'આ વિશ્વ કેન્સર દિવસ પર, તે સ્તન સંબંધી તમામ મહિલાઓ માટે એક મહત્વપૂર્વ શરૂઆત કરી ખૂશ છે. માનસિક અને ભાવનાત્મક આધાત કે જે ઘણી વખત કોઈ સ્ત્રીને સ્તનોના રોગોથી અભિભૂત કરે છે, અમે તે ઓળખીને, તેને એક સર્વગ્રાહી, એક સ્ટોપ સોલ્યુશન પ્રદાન કરવા માંગતા હતા. તેમણે કહ્યું કે, "તે વહેલા નિદાન, સારવારની યોજના, સલાહ, પુનર્વસન, સહાય અથવા તો આરામની સંભાળ માટે છે, આપણે જરૂર પડતી ઘણી મહિલાઓ માટે એક જ છત નીચે સમાધાન કરવા ઈચ્છથા હતા.'
સર એચ.એન.આર.એફ.એચ. ના સર્જિકલ ઓન્કોલોજીના ડિરેક્ટર, ડૉ વિજય હરિભક્તિએ જણાવ્યું હતું કે, “મહિલાઓ વારંવાર અનેક વિકલ્પોથી મૂંઝવણમાં મુકી જાય છે અને તેને યોગ્ય સલાહની જરૂર હોય છે. અમારું સ્તન કેન્સર ક્લિનિક ઉત્તમ સંભાળ અને પૂર્ણ સહાયતા પ્રદાન કરવા માટે એક ઈમાનદાર પ્રયાસ છે, જ્યારે તેમને એક સ્પષ્ટ અને ઝડપી નિદાન સાથે-સાથે કાર્યવાહી સમગ્ર યોજના પ્રદાન કરવાનું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)