શોધખોળ કરો

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધારો નથી, હજુ પણ છે બેભાનઃ હૉસ્પીટલ

84 વર્ષીય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તે કૉવિડ-19 તપાસામાં સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી, એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિને કોરોનાનો પણ ચેપ લાગેલો છે

નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલતમાં કોઇ સુધારો નથી આવ્યો. હજુ પણ તે બેભાન અવસ્થામાં જ છે. સેનાના રિસર્ચ એન્ડ રેફરલ હૉસ્પીટલે ગુરુવારે એક નિવેદન આપીને આ જાણકારી આપી છે. મુખર્જીનો ઇલાજ કરી રહેલા ડૉક્ટરોએ કહ્યું કે, તેમની તબિયત સ્થિર છે, અને તે હજુ પણ આઇસીયુમાં છે. 84 વર્ષીય પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હૉસ્પીટલમાં ભરતી કરાવાયા હતા, તેમના માથાની સર્જરી કરવામાં આવી હતી. આ પહેલા તે કૉવિડ-19 તપાસામાં સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી, એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિને કોરોનાનો પણ ચેપ લાગેલો છે. આ બધાની વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિના સ્વાસ્થ્યને લઇને આવી રહેલા સમાચારોથી નારાજ તેના દીકરા તથા પૂર્વ સાંસદ અભિજીત મુખર્જીએ કહ્યું કે, મારા પિતા શ્રી પ્રણવ મુખર્જી હજુ જીવત છે, અને હેમોડાયનામિક રીતે સ્થિર છે. મુખર્જીની દીકરી અને કોંગ્રેસ નેતા શર્મિષ્ઠાએ પણ ટ્વીટ કર્યુ કે મારા પિતા વિશે આવી રહેલા સમચારો ખોટા છે, હું અનુરોધ કરુ છું, ખાસ કરીને મીડિયાને કે મને ફોન ના કરે. જેથી હૉસ્પીટલમાંથી કોઇપણ જાણકારી આવતા સમયે મારો ફોન બિઝી ના રહે. 84 વર્ષીય પ્રણવ મુખર્જી પૂર્વ રાષ્ટ્રપતિ છે, તેમને વર્ષ 2012 થી 2017 સુધી ભારતના 13મા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો હતો, આ પહેલા તે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં સામેલ હતા. આ પહેલા પ્રણવ મુખર્જીએ કોરોના વાયરસ પૉઝિટીવ આવવાની જાણકારી ટ્વીટ કરીને આપી છે. તેમને ટ્વીટ કરીને લખ્યું- આ વખતે હૉસ્પીટલની યાત્રા એક અલગ પ્રક્રિયા માટે. હું કોરોના વાયરસથી સંક્રમિત થયો છું. પ્રણવ મુખર્જીએ પોતાના ટ્વીટમાં લખ્યું છેલ્લા એક અઠવાડિયાથી જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેમને અપીલ કરુ છુ કે તે દરેક ટેસ્ટ કરાવે, અને આઇસૉલેટ થઇ જાય. પ્રણવ મુખર્જીને ભારતના ગણમાન્ય નેતાઓમાં સ્થાન મળેલુ છે, તેમને પોતાની કેરિયરમાં સારા કામો માટે એવોર્ડ પણ મળી ચૂક્યા છે. પ્રણવ મુખર્જીને ભારત રત્ન અને પદ્મ વિભૂષણ જેવા નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
ટૂથપેસ્ટ, ખાંડથી લઈને દવાઓ સુધી: જાણો કઈ કઈ રોજિંદી વસ્તુઓમાં છુપાયેલા છે માંસાહારી ઘટકો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Solar Panel લગાવ્યા પછી પણ વીજળીનું બિલ કેમ આવે છે વધારે? જાણી લો આ 4 મોટા કારણો
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Ayodhya: અમિતાભ ઠાકુર બનશે રામ મંદિર ટ્રસ્ટના CEO? અરજીમાં કહ્યું- 'હું હિન્દુ છું, રામના આદર્શોમાં છે વિશ્વાસ'
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી
Exclusive: 'સામાન્ય કારમાલિક ખુદ નથી ચકાસી શકતા યોગ્ય માઇલેજ', E20 પેટ્રોલ વિવાદ પર બોલ્યા ગડકરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જર્જરિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : આ વેપારનો બાપ કોણ ?
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
IND vs ENG: 12 વર્ષ બાદ બર્મિંગહામમાં ભારતનો ભવ્ય વિજય, મેચનો સુપરહીરો બન્યો અક્ષર પટેલ
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
Donald Trump U-Turn: હોર્મુઝ સ્ટ્રેટના 20% ટેરિફ પર ટ્રમ્પનો યુ-ટર્ન, જાહેર કર્યો નવો પ્લાન
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલને 'પદ્મશ્રી' આપો! વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરાઈ મોટી માંગ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ, આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
રસોઈ ગેસ પર મોટું સંકટ! ઈરાન-અમેરિકા તણાવથી શું ફરીથી સિલિન્ડર માટે લાગશે લાંબી લાઈનો?
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો આતંક, 14 દિવસમાં 32 શંકાસ્પદ કેસ, 3 ના મોત
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
આવતીકાલનું હવામાન: આગામી 12 કલાક ભારે! 22 રાજ્યોમાં વાવાઝોડા સાથે અતિભારે વરસાદ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે વરસાદ
Embed widget