શોધખોળ કરો

મોદીએ પંજાબમાં અધવચ્ચેથી પાછા ફરવું પડ્યું એ મુદ્દે ચન્નીએ શું કર્યો ખુલાસો ? મોદીને આવકારવા કેમ ના ગયા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની  સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી

ચંદીગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ દાવો કર્યો છે કે, વડાપ્રધાન મોદીની  સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. તેમણે દાવો કર્યો કે, મેં પોતે મોડી રાત સુધી વડાપ્રધાન મોદીની  સુરક્ષાની તમામ વ્યવસ્થા જોઈ હતી. પહેલાંના કાર્યક્રમ પ્રમાણે વડાપ્રધાન મોદીએ હેલિકોપ્ટરથી આવવાનુ હતું પણ છેલ્લી ઘડીએ તેમનો રૂટ બદલી દેવાયો.  મોદી રોડ માર્ગે આવ્યા અને રૂટ બદલાયો હોવાની અમને જાણ જ નહોતી કરાઈ.   

પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે, મને ખેદ છે કે વડાપ્રધાન મોદીએ આજે ફિરોઝપુર જિલ્લાની મુલાકાત લીધા વિના અધવચ્ચેથી જ પરત ફરવું પડ્યું. અમે અમારા વડાપ્રધાનનું સન્માન કરીએ છીએ. મારે પણ  ભઠિંડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જવાનું હતું પરંતુ જે લોકો મારી સાથે આવવાના હતા  તેઓ કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. મને પણ કોરોનાનો ખતરો હોવાથી હું વડાપ્રધાનને આવકારવા ન જઈ શક્યો.  હું કોરોના પોઝિટિવ આવેલા કેટલાંક લોકોના સંપર્કમાં હતો તેથી મેં વડાપ્રધાનને આવકારવા જવાનું ટાળ્યું.  

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે પંજાબના ફિરોઝપુરમાં સરકારી કાર્યક્રમમાં હાજરી આપીને કેટલાક પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના હતા પણ એક ફ્લાયઓવર પર ફસાઈ જતાં છેલ્લી ઘડીએ આ કાર્યક્રમને મોકૂફ રખાયો હતો. પહેલાં હવામાન ખરાબ હોવાનું તથા  વરસાદ પડી રહ્યો હોવાને કારણે આ કાર્યક્રમ મોકૂફ રખાયો હોવાનું બહાર આવ્યું હતું પણ પછી સ્પષ્ટતા કરાઈ હતી કે, સુરક્ષામાં ચૂક થવાની આ કાર્યક્રમ રદ કરવો પડ્યો છે. વાસ્તવમાં ખેડૂતોએ રોડ બ્લોક કરી દેતાં મોદીના કાફલાએ રોકાઈ જવું પડ્યું હતું.  

ચન્નીએ પોતાની સરકારનો બચાવ કર્યો છે પરંતુ ભાજપ અને ગૃહ મંત્રાલય દ્વારા દાવો કરાયો છે કે, વડા પ્રધાન મોદીના  પ્રવાસની સમગ્ર જાણકારી પંજાબ સરકાર અને પોલીસને આપવામાં આવી હતી. વડા પ્રધાન મોદીના  માર્ગવાળા રૂટની જાણકારી માત્ર પોલીસને હતી પરંતુ તેમ છતાં આટલી મોટી ચૂક થઈ અને તેમના કાફલાને રસ્તા વચ્ચે જ રોકી દેવાયો. ગૃહ મંત્રાલય તરફથી પંજાબ સરકાર પાસે એક વિસ્તૃત રિપોર્ટ માગવામાં આવ્યો છે. 

PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો

દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ

Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?

Gujarat Corona Guideline : ગુજરાત પોલીસે કોરોના સંક્રમણને પગલે લીધો વધુ એક મોટો નિર્ણય, જાણો શું કરી જાહેરાત?

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
શરદ પવાર મહાવિકાસ અઘાડી તરફથી હશે રાજ્યસભાના ઉમેદવાર
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
‘મારું નામ કપાવાનું હતું…’ ત્રીજી વખત રાજ્યસભાની ટિકિટ મળ્યા બાદ રામદાસ આઠવલેનો સૌથી મોટો ખુલાસો!
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?
મહારાષ્ટ્ર રાજ્યસભા ચૂંટણી: શરદ પવાર મેદાનમાં ઉતરશે તો 7 બેઠકો પર ચૂંટણી બિનહરીફ થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રંગ બદલતા નેતા? બુરા ન માનો હોલી હૈ
Arvalli News : માલપુરમાં તળાવમાં ડૂબતા 2 બાળકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : કેરીનો રસ કે ઝેર?
Gold Silver Price Hike : સોના-ચાંદીના ભાવમાં ફરી વધારો, કેટલો વધ્યો ભાવ?
Share Market News : ધૂળેટીના દિવસે ભારતીય શેરબજારમાં કડાકો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
ન્યુઝીલેન્ડ ફાઇનલમાં: ફિન એલનની તોફાની સદી અને આફ્રિકાની હાર, જાણો સ્કોરકાર્ડની વિગતો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
શું નીતિશ કુમાર રાજ્યસભામાં જશે? JDU નેતાના નિવેદનથી બિહારના રાજકારણમાં ગરમાવો
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ફિન એલને યુવરાજ સિંહનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો! 19 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઇતિહાસ
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
ધૂળેટી પર્વે ગુજરાતમાં ગોઝારી ઘટના: 4 જિલ્લામાં નહાવા પડેલા 11 લોકોના ડૂબવાથી મોત
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
બિહારમાં રાતોરાત થશે મોટો ખેલ! નીતીશ કુમાર લેશે ઐતિહાસિક નિર્ણય, મુખ્યમંત્રી પદેથી…
ગુજરાતમાં નશાના સોદાગરો પર ત્રાટકી પોલીસ: મહેસાણા અમદાવાદ હાઈવે પર ANTF નો સપાટો, લાખોનું MD ડ્રગ્સ ઝડપાયું
ડ્રગ્સ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મેગા ઓપરેશન: મહેસાણાથી અરવલ્લી સુધી MD ડ્રગ્સનો કારોબાર પકડાયો
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
કેરીનો રસ ખાતા પહેલા 100 વાર વિચારજો! ગીર સોમનાથમાં પકડાયો ૨ વર્ષ જૂનો 16 હજાર લીટર અખાદ્ય રસ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Embed widget