શોધખોળ કરો

Politics Over Corona Death: મોતનો આંકડો છૂપાવી રહી છે મોદી સરકાર, પીએમને આમ આદમી સાથે લેવા દેવા નથીઃ ઓવૈસી

મોદી સરકારનો આંકડો વાસ્તવિકતાથી ઘણો દૂર છે. સરકાર મોતનો સાચો આંકડો છૂપાવી રહી છે. કોઈપણ રાજ્યમાં આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. દરેક જિલ્લામાં મોતના આંકડા છૂપાવવામાં આ રહ્યા છે.

મુંબઈઃ કોરોનાથી થનારા મોતના આંકડાને લઈ ઓલ ઈન્ડિયા મઝલિસ એ ઈત્તેહાલુદ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આંકડા પર સવાલ ઉઠાવ્યા છે. તેણે દાવો કર્યો કે કોરોનાથી મોતને લઈ મોદી સકકારે જે આંકડા બતાવ્યા છે તે હકીકતમાં મોતના આંકડાથી અનેક ગણા વધારે છે. તેમણે કહ્યું કે સરકાર મોતના આંકડા છૂપાવી રહી છે. કોરોનાથી થનારા મોતના આંકડાને લઈ પીએમ મોદી વિપક્ષના નિશાન પર છે.

20 લાખ લોકોના મોત

ઓવૈસીએ કહ્યું , દેશમાં બીજી લહેર દરમિયાન કોરોના સંક્રમણના કારણે 20 લાખ લોકોના મોત થયા છે. મોદી સરકારનો આંકડો વાસ્તવિકતાથી ઘણો દૂર છે. સરકાર મોતનો સાચો આંકડો છૂપાવી રહી છે. કોઈપણ રાજ્યમાં આઈસીએમઆરની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું નથી. દરેક જિલ્લામાં મોતના આંકડા છૂપાવવામાં આવી રહ્યા છે.

મોદી સરકારને આમ આદમી સાથે લેવા દેવા નથી

તેણે જણાવ્યું, ધ ઇકોનોમિસ્ટ અનુસાર જેટલા મોત બતાવવામાં આવી રહ્યા છે તે સાચા આંકડાથી છ ગણા વધારે છે. પરંતુ મોદી સરકાર તેનો સ્વીકાર કરતી નથી. મોદી સરકારને આમ આદમીની તકલીફો સાથે કોઈ લેવા દેવા નથી. કોરોનાની બીજી લહેરમાં મોદી સરકાર નિષ્ફળ રહી છે. સરકાર વેક્સીનેશનમાં પણ નિષ્ફળ રહી છે. મોદી સરકાર તેમની ખોટી પ્રશંસા થાય તેમ જ ઈચ્છે છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 60,471 નવા કેસ નોંધાયા છે. જ્યારે 1,17,525 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં 24 કલાકમાં 2726લોકોના મોત થયા છે.

  • કુલ કેસઃ બે કરોડ 95 લાખ 70 હજાર 881
  • કુલ ડિસ્ચાર્જઃ 2 કરોડ 82 લાખ 80 હજાર 471
  • એક્ટિવ કેસઃ 9 લાખ 13 હજાર 378
  • કુલ મૃત્યુઆંકઃ 3,77,031

દેશમાં કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા

દેશમાં 75 દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. ભારતમાં સતત 33માં દિવસે કોરોના વાયરસના નવા મામલાથી રિકવરી વધારે થઈ છે. દેશભરમાં 25 કરોડ 90 લાખથી વધુ  કોરોના વેક્સીન ડોઝ આપવામાં આવી ચુક્યા છે. ગઈકાલે 34 લાખ 84 હજાર લોકોને રસી અપાઈ હતી. અત્યાર સુધીમાં 38 કરોડ 13 લાખથી વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છ. ગઈકાલે 17 લાખ 51 હજારથી વધુ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 

વિડિઓઝ

Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
Ahmedabad Seventh Day School: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલનો વહીવટ સરકારે કર્યો હસ્તગત
Kutch Accident News: કચ્છના ભચાઉ હાઈવે પર થયો કાળજુ કંપાવનારો અકસ્માત, બે લોકોના મોત
Surat Accident News: સુરતમાં રફતારના રાક્ષસે લીધો નિર્દોષ બાળકનો ભોગ
Hun To Bolish : હું તો બોલીશ : આવા લોકો બનશે ભવિષ્યમાં નેતા ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
Surat News: જૈન દીકરીની દીક્ષાનો કેસ, ફેમિલી કોર્ટે પિતાના પક્ષમાં આપ્યો ચુકાદો, દીક્ષા પર લગાવી રોક
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
કચ્છમાં 4 વાહનોની જોરદાર ટક્કર, આગ લાગતા બાળક જીવતું સળગ્યું, 2નાં મોત
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ સોનાની લેટેસ્ટ કિંમત 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
ICC Team Rankings: આઈસીસી લેટેસ્ટ ટીમ રેન્કિંગમાં જાણો ટેસ્ટ, ટી 20 અને વનડેમાં કોણ છે ટોપ પર 
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
PAN-Aadhaar Link Deadline: પાન-આધાર લિંકની તારીખ નજીક, તાત્કાલિક કરો આ કામ, નહીં તો PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Drishyam 3 ની રિલીઝ ડેટ કન્ફર્મ, અજય દેવગને વીડિયો શેર કરી મોટી જાહેરાત કરી
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
Tata Sierra નું સૌથી સસ્તું મોડલ ખરીદવા પર તમારે કેટલી EMI ચૂકવવી પડશે? જાણો ગણતરી 
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
PM મોદીએ ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી વાત, FTA ની જાહેરાત, જાણો ભારતમાં કેટલું કરશે રોકાણ?
Embed widget