શોધખોળ કરો

આસામ: એરપોર્ટ પર તૃણમુલ કોંગ્રેસના MP-MLA ની અટકાયત, સિલ્ચરમાં સુપર ઇમરજન્સી હોવાનો TMCનો આરોપ

ગુવાહાટી: રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર એટલે કે એનઆરસી પર સંસદથી લઇને માર્ગો પર સંગ્રામ ચાલુ છે. એનઆરસીનો વિરોધ કરી રહેલા ટીએમસીના 6 સાંસદો અને 2 ધારાસભ્યોને આજે આસામના સિલ્ચર એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવામાં આવ્યા બાદ તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કહ્યું , તેઓ એરપોર્ટ છોડીને જશે નહીં. તેમને પરત મોકલી દેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરવાની ઇચ્છા સાથે આ લોકો પહોંચ્યા હતા પરંતુ તેમને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ટીએમસીના વરિષ્ઠ નેતાઓએ આસામ સરકારના આ પગલાની ટીકા કરી છે. તૃણમુલ કોંગ્રેસના નેતા ડેરેક ઓબ્રાયને આક્ષેપ કરતા કહ્યું છે કે, સિલ્ચર એરપોર્ટ પર તેમના નેતાઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકો જન પ્રતિનિધિઓ છે. તૃણમુલ કોંગ્રેસના નેતાઓએ કાનૂનનું ઉલ્લંઘન કર્યું નથી. લોકોને મળવાનો તેમનો લોકશાહી અધિકાર છે. તેમણે ઉમેર્યું હતું કે, સિલ્ચરમાં સુપર ઇમરજન્સી લાગૂ કરવામાં આવી છે. બીજી બાજુ સરકારે કહ્યું છે કે, સમગ્ર વિસ્તારમાં કલમ 144 લાગૂ છે જેથી તેમને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જે નેતાઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે તેમાં પશ્ચિમ બંગાળના મંત્રી શિરાજ હકીમ, રાજ્યસભાના બે અને લોકસભાના ચાર સાંસદોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે, સિલ્ચરમાં હાલત ખુબ કફોડી બનેલી છે. બ્રાયને કહ્યું હતું કે, આઠ નેતાઓના પ્રતિનિધિમંડળે એનઆરસી ડ્રાફ્ટથી બહાર રહેલા લોકોને મળવાની યોજના બનાવી હતી. તૃણમુલે આ મામલો સંસદમાં પણ ઉઠાવ્યો છે. સાથે સાથે સરકાર પાસેથી જવાબની માંગણી કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સંતોષજનક જવાબ મળ્યા નથી.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget