શોધખોળ કરો

ઓડિશામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત, 70 લોકો હોસ્પિટલમાં ભરતી

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં કાશીપુર બ્લોકના અલગ-અલગ ગામોમાંથી મોતના સમાચાર આવ્યા છે

ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થયા છે જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ડાયરિયા થયાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દૂષિત પાણી પીધા બાદ લોકોને ડાયરિયા અને ઉલ્ટી થવા લાગી હતી. નવીન પટનાયકની સરકારે આ મામલે આરોગ્ય અધિકારીઓ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ આ ઘટનાને લઈને વિધાનસભામાં વિરોધ થયો હતો. કોંગ્રેસે આ મુદ્દે મુખ્યમંત્રી નવીન પટનાયકના નિવેદનની માંગ કરી છે.

આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસમાં કાશીપુર બ્લોકના અલગ-અલગ ગામોમાંથી મોતના સમાચાર આવ્યા છે. તેમણે કહ્યું કે 11 ડોક્ટરોની ટીમે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. આ દરમિયાન બીમાર દર્દીઓ જ્યાંથી પાણી પીધુ હતું તે અને લોહીના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પાણીજન્ય રોગ પહેલા મલીગુડા ગામમાં અને બાદમાં દુદુકાબહલ, ટિકીરી, ગોબરીઘાટી, રૌતઘાટી અને જલાખુરા ગામોમાં ફેલાયો હતો. તેમણે કહ્યું કે ડાંગસિલ, રેંગા, હાડીગુડા, મૈકાંચ, સંકરદા અને કુચિપદાર ગામમાં અન્ય ઘણા લોકો પણ ડાયરિયાથી પીડિત છે અને તેમની ઘરે સારવાર કરવામાં આવી રહી છે.

બીમારોની સારવાર અલગ-અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે

ખુલ્લા સ્ત્રોતમાંથી પાણી પીધા બાદ હોસ્પિટલમાં દાખલ થયેલા 71 લોકોમાંથી 46ને ટિકીરી પબ્લિક હેલ્થ સેન્ટર (PHC), 14ને કાશીપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં અને 11 છોકરીઓને થાતીબાર PHCમાં આવેલી આશ્રમ શાળામાં સારવાર આપવામાં આવી રહી છે. એક દર્દીની તબિયત બગડતાં તેને કોરાપુટની SLN મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યો હતો.

રાયગડા જિલ્લા કલેક્ટર સ્વધા દેવ સિંહે સીડીએમઓ ડૉ.લાલમોહન રાઉતરે સાથે મેડિકલ સેન્ટરોની મુલાકાત લીધી હતી. તેમણે શનિવારે જણાવ્યું હતું કે, "અમે હજુ સુધી ડાયરિયાના કારણે મૃત્યુની પુષ્ટી કરી નથી, અમે ડાયરિયાના કેસ નોંધાયા પછી પાણીજન્ય રોગોની સારવાર શરૂ કરી છે."

કલેક્ટર સિંઘે જણાવ્યું હતું કે રોગના વધુ ફેલાવાને રોકવા માટે દૂષિત પાણીના સ્ત્રોતોને જંતુમુક્ત કરવામાં આવી રહ્યા છે. સીડીએમઓએ કહ્યું કે મલીગુડામાં ખુલ્લા કૂવામાં પાણી દૂષિત જોવા મળ્યું છે અને સંબંધિત અધિકારીઓને ગ્રામજનો માટે પાણીના વૈકલ્પિક સ્ત્રોતની વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે.

ભાજપ-કોંગ્રેસે વિધાનસભામાં નવીન પટનાયક સરકારને ઘેરી

બીજી તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે અનાજના અભાવે મૃતકને જંગલી ફળો ખાવાથી ઝાડા થવાની શક્યતા છે. કોંગ્રેસ વિધાયક દળના નેતા નરસિંહ મિશ્રાએ આરોપ લગાવ્યો કે નવીન પટનાયક  સરકાર ગરીબોને પીડીએસ ચોખા આપવામાં નિષ્ફળ રહી છે, જેના કારણે લોકો જંગલી ફળ ખાવા માટે મજબૂર બન્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget