શોધખોળ કરો

Odisha Train Accident : ઓડિશા ટ્રેન એક્સિડન્ટ કેસમાં સપાટો, 7 કર્મચારીઓ સસ્પેન્ડ

સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે.

Balasore Accident Case : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સહિત 7 રેલવે કર્મચારીઓને ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા ખાતે ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ સીબીઆઈ દ્વારા રેલવેના 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં 294 લોકોના મોત થયા હતા જ્યારે 1200થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 

સાઉથ-ઈસ્ટર્ન રેલવે (SER)ના જનરલ મેનેજર અનિલ કુમાર મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે, તમામ સાત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના જનરલ મેનેજર અને ડીઆરએમએ બહાનાગા બજાર અને બાલાસોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ આ વાત બહાર આવી હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે ગોપીનાથપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે સીબીઆઈએ રેલવેના ત્રણ અધિકારીઓ- વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી. તેમની સામે CrPCની કલમ 304 અને 201 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

ત્રણેયને સીબીઆઈ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જેણે આ અકસ્માત માટે ત્રણ રેલવે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત, તેઓએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

સાઉથ ઈસ્ટર્ન સર્કલના કમિશનર ઑફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ)ના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બહાનાગા સ્ટેશન પર જીવલેણ ટ્રેન દુર્ઘટના ભૂતકાળમાં ઉત્તર સિગ્નલ ગૂમટી (સ્ટેશનના) પર કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ક્ષતિઓને કારણે થઈ હતી. 

નોંધનીય છે કે, દેશના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાં 294 જેટલા લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,200 લોકો ઘાયલ થયા હતા. બે સુપરફાસ્ટ ટ્રેનો - શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ - અને એક માલસામાન ટ્રેન 2 જૂનની રાત્રે વિચિત્ર અથડામણનો ભોગ બની હતી. 

આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવો હુંકાર ભર્યો હતો. આ રેલ દુર્ઘતના ભારતીય રેલવેના ઈતિહાસની સૌથી ગંભીર રેલવે દુર્ઘટના ગણાવવામાં આવી હતી. દુનિયાભરમાં આ રેલ દુર્ઘટનાની નોંધ લેવાઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Weather Update: ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget