શોધખોળ કરો

Odisha Train Accident : ઓડિશા ટ્રેન એક્સિડન્ટ કેસમાં સપાટો, 7 કર્મચારીઓ સસ્પેન્ડ

સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે.

Balasore Accident Case : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સહિત 7 રેલવે કર્મચારીઓને ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા ખાતે ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ સીબીઆઈ દ્વારા રેલવેના 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં 294 લોકોના મોત થયા હતા જ્યારે 1200થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 

સાઉથ-ઈસ્ટર્ન રેલવે (SER)ના જનરલ મેનેજર અનિલ કુમાર મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે, તમામ સાત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના જનરલ મેનેજર અને ડીઆરએમએ બહાનાગા બજાર અને બાલાસોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ આ વાત બહાર આવી હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે ગોપીનાથપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે સીબીઆઈએ રેલવેના ત્રણ અધિકારીઓ- વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી. તેમની સામે CrPCની કલમ 304 અને 201 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

ત્રણેયને સીબીઆઈ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જેણે આ અકસ્માત માટે ત્રણ રેલવે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત, તેઓએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

સાઉથ ઈસ્ટર્ન સર્કલના કમિશનર ઑફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ)ના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બહાનાગા સ્ટેશન પર જીવલેણ ટ્રેન દુર્ઘટના ભૂતકાળમાં ઉત્તર સિગ્નલ ગૂમટી (સ્ટેશનના) પર કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ક્ષતિઓને કારણે થઈ હતી. 

નોંધનીય છે કે, દેશના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાં 294 જેટલા લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,200 લોકો ઘાયલ થયા હતા. બે સુપરફાસ્ટ ટ્રેનો - શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ - અને એક માલસામાન ટ્રેન 2 જૂનની રાત્રે વિચિત્ર અથડામણનો ભોગ બની હતી. 

આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવો હુંકાર ભર્યો હતો. આ રેલ દુર્ઘતના ભારતીય રેલવેના ઈતિહાસની સૌથી ગંભીર રેલવે દુર્ઘટના ગણાવવામાં આવી હતી. દુનિયાભરમાં આ રેલ દુર્ઘટનાની નોંધ લેવાઈ હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 
Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget