શોધખોળ કરો

Odisha Train Accident : ઓડિશા ટ્રેન એક્સિડન્ટ કેસમાં સપાટો, 7 કર્મચારીઓ સસ્પેન્ડ

સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારનો સમાવેશ થાય છે.

Balasore Accident Case : ઓડિશા ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં આકરી કાર્યવાહી કરવામાં આવી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ સહિત 7 રેલવે કર્મચારીઓને ઓડિશાના બાલાસોર જિલ્લામાં બહાનાગા ખાતે ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના સંબંધમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ અગાઉ પણ સીબીઆઈ દ્વારા રેલવેના 3 કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ ગોઝારા અકસ્માતમાં 294 લોકોના મોત થયા હતા જ્યારે 1200થી પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં. 

સાઉથ-ઈસ્ટર્ન રેલવે (SER)ના જનરલ મેનેજર અનિલ કુમાર મિશ્રાએ બુધવારે જણાવ્યું હતું કે, તમામ સાત કર્મચારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્શન હેઠળ મૂકવામાં આવ્યા છે. દક્ષિણ-પૂર્વ રેલ્વેના જનરલ મેનેજર અને ડીઆરએમએ બહાનાગા બજાર અને બાલાસોર રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધા બાદ આ વાત બહાર આવી હતી. રેલવેના વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે ગોપીનાથપુર રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

અત્રે નોંધનીય છે કે સીબીઆઈએ રેલવેના ત્રણ અધિકારીઓ- વરિષ્ઠ સેક્શન એન્જિનિયર (સિગ્નલ) અરુણ કુમાર મોહંતા, સેક્શન એન્જિનિયર મોહમ્મદ અમીર ખાન અને ટેકનિશિયન પપ્પુ કુમારની ધરપકડ કરી હતી. તેમની સામે CrPCની કલમ 304 અને 201 હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.

ત્રણેયને સીબીઆઈ દ્વારા વધુ ચાર દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે. જેણે આ અકસ્માત માટે ત્રણ રેલવે અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા છે. આ ઉપરાંત, તેઓએ પુરાવા છુપાવવાનો પ્રયાસ કર્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

સાઉથ ઈસ્ટર્ન સર્કલના કમિશનર ઑફ રેલ્વે સેફ્ટી (સીઆરએસ)ના તપાસ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, બહાનાગા સ્ટેશન પર જીવલેણ ટ્રેન દુર્ઘટના ભૂતકાળમાં ઉત્તર સિગ્નલ ગૂમટી (સ્ટેશનના) પર કરવામાં આવેલા સિગ્નલિંગ સર્કિટમાં ક્ષતિઓને કારણે થઈ હતી. 

નોંધનીય છે કે, દેશના સૌથી ભયાનક ટ્રેન અકસ્માતોમાં 294 જેટલા લોકો માર્યા ગયા હતા અને લગભગ 1,200 લોકો ઘાયલ થયા હતા. બે સુપરફાસ્ટ ટ્રેનો - શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ - અને એક માલસામાન ટ્રેન 2 જૂનની રાત્રે વિચિત્ર અથડામણનો ભોગ બની હતી. 

આ કેસની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવો હુંકાર ભર્યો હતો. આ રેલ દુર્ઘતના ભારતીય રેલવેના ઈતિહાસની સૌથી ગંભીર રેલવે દુર્ઘટના ગણાવવામાં આવી હતી. દુનિયાભરમાં આ રેલ દુર્ઘટનાની નોંધ લેવાઈ હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણીDaman News । દમણથી દીવ જતું હેલિકોપ્ટર અટવાયુંWeather Forecast: સાયકલોની સિસ્ટમને કારણે ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી!Kalpesh Parmar | ખેડામાં સિંચાઈનું પાણી ન મળતા ધારાસભ્યે મંત્રી કુંવરજી બાવળિયાને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Bhavnagar Rain: ભાવનગર જિલ્લામાં મેઘમહેર યથાવત. ગારિયાધારમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા 
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Health: શું તમે પણ કરો છો વારંવાર માઉથવૉશનો ઉપયોગ, તો થઇ જાવ સાવધાન!, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
Rajkot: મુખ્યમંત્રીની રાજકોટને મોટી ભેટ, 185 કરોડના ખર્ચે આ સ્થળે બનશે ચાર નવા ફ્લાયઓવર
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
આટલી કઠિન છતાં શ્રદ્ધાળુઓ કેમ કરે છે અમરનાથ યાત્રા? જાણો કેવી રીતે પ્રગટ થયા હતા બાબા બર્ફાની
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
Subsidy: માછલી ઉત્પાદન પર કેટલી સબસિડી આપે છે કેન્દ્ર સરકાર?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
IND vs SA Final: ફાઇનલ પર વરસાદનો ખતરો, જો મેચ રદ્દ થશે તો જાણો કોણ બનશે ચેમ્પિયન?
Embed widget