શોધખોળ કરો

Shrikant Tyagi Arrested: મહિલા સાથે અભદ્ર વર્તન કરનાર નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ

ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં રહેતા શ્રીકાંત ત્યાગીનો શુક્રવારે મહિલાઓ સાથે કેટલાક રોપા વાવવાને લઈને વિવાદ થયો હતો.

Shrikant Tyagi Arrested: ઉત્તર પ્રદેશના નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે અભદ્ર વર્તનના આરોપી નેતા શ્રીકાંત ત્યાગીની ધરપકડ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આ પહેલા નોઈડાના સેક્ટર-93બીમાં ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનના મામલામાં મુખ્ય આરોપી શ્રીકાંત ત્યાગી વિરુદ્ધ કાર્યવાહી થઈ હતી. સોમવારે સવારે નોઈડા ઓથોરિટી નોઈડાના સેક્ટર 93માં આવેલી ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં પહોંચી અને શ્રીકાંત ત્યાગીના આવાસમાં ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું.

ધરપકડ પહેલા શ્રીકાંતનું છેલ્લું લોકેશન ઉત્તરાખંડના ઋષિકેશમાં મળી આવ્યું છે. ઘણી વખત તેનો મોબાઈલ સ્વીચ ઓફ અને ઓન થતો હતો. નોઈડા પોલીસની ઘણી ટીમો ઉત્તરાખંડમાં શ્રીકાંત ત્યાગીને શોધી રહી હતી. શ્રીકાંત ત્યાગી કેસ પર યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે કહ્યું હતું કે સીએમએ સમગ્ર મામલાની સંજ્ઞાન લીધી છે, અમે આરોપીઓને છોડીશું નહીં. કાયદાનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં રહેતા શ્રીકાંત ત્યાગીનો શુક્રવારે મહિલાઓ સાથે કેટલાક રોપા વાવવાને લઈને વિવાદ થયો હતો. મહિલાઓએ શ્રીકાંત ત્યાગી પર રોપાઓ લગાવીને જમીન હડપ કરવાનો આરોપ લગાવ્યો હતો. શ્રીકાંતે મહિલા સાથે અભદ્ર વર્તન કરીને તેને ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આરોપી નેતા વિરુદ્ધ છેડતીનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

ભાજપના સાંસદનું નિવેદન

શ્રીકાંત ત્યાગીની ધરપકડ બાદ સાંસદ મહેશ શર્માએ કહ્યું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વિશ્વાસ અપાવ્યો હતો અને આપણી માતૃશક્તિ વિશ્વાસ કરી શકે છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને પ્રશાસન સાથે ઉભા હોય છે. મહેશ શર્માએ જણાવ્યું કે તેણે ADG લો એન્ડ ઓર્ડર સાથે એક કલાક પહેલા જ વાત કરી હતી. તેમણે એવી ખાતરી પણ આપી હતી કે ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

શ્રીકાંત ત્યાગીની ધરપકડમાં એસટીએફની 12 ટીમો અને અન્ય પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી હતી. તેની શોધ માટે યુપીથી ઉત્તરાખંડમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે UP ADG (લો એન્ડ ઓર્ડર) પ્રશાંત કુમારનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે ગુપ્તચર વિભાગની ટીમો પાસેથી સહકાર મેળવવાની વાત પણ કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
નોઇડા સેક્ટર-75ની Ivy County સોસાયટીમાં ભયંકર આગ, ફ્લેટ બળીને ખાક, જાણો અપડેટ્સ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
Delhi fire News: 'હું પણ પીડિત છું', હોટલ માલિકની દલીલ ફગાવી, કોર્ટે ચાર દિવસના રિમાન્ડ કર્યા મંજૂર

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
PM Modi Gujarat Visit: 'જ્યા પણ કોંગ્રેસની સરકાર છે ત્યાં પણ કુશાસનથી જનતા ત્રસ્ત': PM મોદી
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
EPFO Interest Rates: સરકાર ક્યારે જમા કરાવશે PFનું વ્યાજ, કેમ થઈ રહ્યો છે વિલંબ?
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Rajkot: રાજકોટમાં આજથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, વિરોધમાં પોલીસ સ્ટેશનમાં કરાઈ અરજી 
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Polymer Currency: ભારતમાં પ્લાસ્ટિક નોટ લાવવાની તૈયારીમાં RBI, ગવર્નર સંજય મલ્હોત્રાનું મોટું નિવેદન
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Embed widget