![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Omicronથી તમિલનાડુ સહિત આ 10 રાજ્યોમાં ઠીક થયા તમામ લોકો, આ વેરિયંટનો એક પણ એક્ટિવ કેસ નહીં
Corona Threat: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે. કોરોનાના કેસ ફરી એક વખત વધવા લાગ્યા છે.
![Omicronથી તમિલનાડુ સહિત આ 10 રાજ્યોમાં ઠીક થયા તમામ લોકો, આ વેરિયંટનો એક પણ એક્ટિવ કેસ નહીં Omicron Cases India: in these states all omicron patients recovered here is the list Omicronથી તમિલનાડુ સહિત આ 10 રાજ્યોમાં ઠીક થયા તમામ લોકો, આ વેરિયંટનો એક પણ એક્ટિવ કેસ નહીં](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/04cf6445208ed96c420fb803e8f8264d_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Omicron Cases India : ભારતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના કુલ કેસ 3623પર પહોંચ્યા છે, જેમાંથી 1409 લોકો સાજા થઈ ગયા છે. રાજસ્થાનના જયપુરમાં ઓમિક્રોનથી સંક્રમિત વ્યક્તિનું મોત થયું હતું અને તે ભારતમાં ઓમિક્રોનથી પ્રથમ મોત હતું. આ દરમિયાન 10 રાજ્યો એ છે જ્યાં ઓમિક્રોના દર્દી ઠીક થઈ ગયા છે અને હાલ એક પણ દર્દી નથી.
તમિલનાડુમાં ઓમિક્રોનના 185 મામલા સામે આવ્યા છે. પરંતુ રાહતની વાત એ છે કે તમામ દર્દી ઠીક થઈ ગયા છે. હાલ ઓમિક્રોનનો એક્ટિવ કેસ નથી. તમિલનાડુ ઉપરાંત ગોવા, આસામ, મધ્યપ્રદેશ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, પોંડિચેરી, હિમાચલ પ્રદેશ, લદ્દાખ મણિપુરમાં ઓમિક્રોનના દર્દી ઠીક થઈ ગયા છે. તેથી ગભરાવાની જરૂર નથી.
કયા રાજ્યમાં કેટલા ઓમિક્રોન કેસ
દેશના 27 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ઓમિક્રોન પહોંચી ગયો છે. સૌથી વધુ મહારાષ્ટ્ર અને દિલ્હી પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં 1009, દિલ્હીમાં 513, કર્ણાટક 441, રાજસ્થાનમાં 373, કેરળમાં 333, ગુજરાતમાં 204, તેલંગાણામાં 185, તમિલનાડુમાં 185, હરિયાણામાં 123, ઓડિશામાં 60, ઉત્તર પ્રદેશમાં 113 આંધ્રપ્રદેશમાં 28, પશ્ચિમ બંગાળમાં 27, પંજાબમાં 27, ગોવામાં 19, આસામમાં 9, મધ્ય પ્રદેશમાં 9, ઉત્તરાખંડમાં 8, મેઘાલયમાં 4, અંદામાન-નિકોબારમાં 3, ચંદીગઢમાં 3, જમ્મુ-કાશ્મીરમાં 3, પોંડિચેરીમાં 2, છત્તીસગઢમાં 1, હિમાચલ પ્રદેશમાં 1, લદ્દાખમાં 1, મણિપુરમાં 1 કેસ નોંધાયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 1,59,632 નવા કેસ નોંધાયા છે અને 327 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,863 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,53,603 પર પહોંચી છે. ગઈકાલે 1.41 લાખ કેસ નોંધાયા હતા.
- એક્ટિવ કેસઃ 5,90,611
- કુલ ડિસ્ચાર્જઃ 3,44,53,603
- કુલ મૃત્યુઆંકઃ4,83,790
- કુલ રસીકરણઃ 151,57,60,645
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)