શોધખોળ કરો

Omicron in India: દેશમાં ફરી કોરોના સંકટ ઘેરાયું, કેન્દ્રએ 10 રાજ્યોમાં મલ્ટી ડિસિપ્લીનરી ટીમ મોકલી

અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના કુલ 415 કેસ નોંધાયા છે, જેમાંથી 115 લોકો સ્વસ્થ થઈ ગયા છે,

Omicron in India: દેશમાં કોરોના વાયરસનું સંકટ ઘેરું થવા લાગ્યું છે. આ સંકટનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. સરકારે 10 રાજ્યોમાં મલ્ટી ડિસિપ્લીનરી ટીમો મોકલવાનો નિર્ણય લીધો છે. જેથી કોરોનાને વધતો અટકાવી શકાય. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે. આ સાથે, કોરોનાનું ઓમિક્રોન વેરિઅન્ટ પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

કેન્દ્રીય ટીમો ક્યાં તૈનાત થશે?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે જે રાજ્યોમાં ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે અથવા રસીકરણ દર ઓછો છે, ત્યાં કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવશે. આ ટીમો આગામી ત્રણથી પાંચ દિવસ સુધી રાજ્યોમાં રહેશે. જેમાં કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, મિઝોરમ, કર્ણાટક, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને પંજાબનો સમાવેશ થાય છે. આ ટીમો દરરોજ સાંજે 7 વાગ્યા સુધીમાં વિસ્તારની પરિસ્થિતિની જાણ કરશે.

ભારતમાં ઓમિક્રોનના કેસ વધીને 415 થઈ ગયા

અત્યાર સુધીમાં ભારતમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપના કુલ 415 કેસ નોંધાયા છે, જેમાંથી 115 લોકો સ્વસ્થ થઈ ગયા છે અથવા તો દેશ છોડી ગયા છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ 108 કેસ નોંધાયા છે. આ પછી દિલ્હીમાં 79, ગુજરાતમાં 43, તેલંગાણામાં 38, કેરળમાં 37, તમિલનાડુમાં 34 અને કર્ણાટકમાં 31 કેસ નોંધાયા છે.

ડેટા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7,189 નવા કેસના આગમન સાથે, ચેપના કુલ કેસોની સંખ્યા 3,47,79,815 પર પહોંચી ગઈ છે, જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 77,032 થઈ ગઈ છે. આ રોગના કારણે વધુ 387 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક વધીને 4,79,520 થયો છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં 3281 કેસ નોંધાયા છે અને 342 સંક્રમિતોના મોત થયા છે.  ઓમિક્રોનના કુલ કેસ 415 થયા છે.

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું

દેશમાં અત્યાર સુધીમાં 141, 01, 26, 404 લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી 66,09,113 ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
મમતા બેનર્જીની TMCમાં મસમોટું ભંગાણ: સ્પીકરે 58 બળવાખોર ધારાસભ્યોના જૂથને આપી મંજૂરી
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget